અંકલેશ્વર: ESIC હોસ્પિટલમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, મનસુખ વસાવાએ  તબીબી સ્ટાફનો લીધો ઉધડો

અંકલેશ્વર ઔદ્યોગિક વિસ્તરમાં આવેલી 150 બેડની આધુનિક ગણાતી ESIC હોસ્પિટલમાં મૂળભૂત તબીબી સુવિધાઓના અભાવનો મામલો ફરી એક વખત સામે આવ્યો.....

New Update
  • અંકલેશ્વરમાં આવેલી છે હોસ્પિટલ

  • ESIC હોસ્પિટલનો વિવાદ

  • હોસ્પિટલમાં પ્રાથમિક સુવિધાનો અભાવ

  • દર્દીઓને ખસેડાય છે ખાનગી હોસ્પિટલ

  • સાંસદ મનસુખ વસાવા અકળાયા

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ 150 બેડની ભવ્યાતિભવ્ય  ESIC હોસ્પિટલમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે.ઔદ્યોગિક એકમો પાસેથી ESIC તંત્ર દ્વારા કર્મચારીઓને ESIC  અંતર્ગત આપવમાં આવતી સારવાર માટે લાખો -કરોડો રૂપિયાની વસુલાત કરાઈ છે. છતાં પ્રાથમિક સુવિધાઓના નામે હર હંમેશ સરવાળે મીંડું જ જોવા મળ્યું છે.
સિક્યુરીટીમાં કામ કરતા કર્મચારીને અકસ્માત નડતા ESIC  હોસ્પિટલ ખેસવામાં આવ્યા હતા. જોકે, તેઓને પૂરતી પ્રાથમિક સારવાર આપ્યા પહેલા જ સુવિધાઓ અને તબીબોના અભાવને કારણે અન્ય ખાનગી હોસ્પિટલમાં રીફર કરવમાં આવ્યા હતા. જોકે, ઈજાગ્રસ્ત ઈસમને ખુદ અંકલેશ્વર ઉદ્યોગ મંડળના સભ્યો જ ESIC  હોસ્પિટલમાં લઇ જતા સમગ્ર ગતિવિધિ અને નિષ્કાળજી સામે આવી હતી.
જેને લઇ ત્વરિત તેઓએ ભરૂચ અને નર્મદા જિલ્લાના સંસદ મનસુખ વસાવાને ટેલિફોનિક જાણ કરી હતી અને હાજર નર્સિંગ અને તબીબી સ્ટાફનો ઉઘાડો લીધો હતો. સાંસદ  મનસુખ વસાવાએ ટેલિફોનિક વાતચીતમાં આવનાર ટુક જ સમયમાં હોસ્પિટલની વિઝીટ કરી અને સરસાધનો અને તબીબોની ઉણપ પુરી કરવા કેન્દ્રમાં પત્ર લખવા માટે હાંકલ કરી હતી.
Latest Stories