અંકલેશ્વરના ખરોડ ગામમાં દીપડાના આતંકનો અંત, દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ લીધો રાહતનો શ્વાસ

વન વિભાગે મારણ સાથે ગામની સીમમાં પાંજરા ગોઠવ્યા હતા.જે પાંજરામાં મારણનું શિકાર કરવા આવેલ દીપડો પાંજરે પૂરાયો હતો.વન વિભાગ દ્વારા આ દીપડાને પકડી સુરક્ષિત જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી

New Update
Kharod Village
અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામમા બે દિવસથી આંટા ફેરા કરતો દીપડો વન વિભાગે મુકેલ પાંજરામાં પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. ભરૂચના ઝઘડિયા વાલિયા અને નેત્રંગ સહિતના ટ્રાઇબલ વિસ્તારોમાં વન્યજીવોની હાજરી નોંધાયા બાદ હવે અંકલેશ્વરના શહેરી વિસ્તાર નજીક પણ વન્યજીવો આવી ચઢતા હોય છે ત્યારે અંકલેશ્વર નજીકના ખરોડ ગામે દીપડો નજરે પડતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો.
Advertisment
આ અંગેની જાણ વન વિભાગમાં કરવામાં આવી હતી.વન વિભાગે મારણ સાથે ગામની સીમમાં પાંજરા ગોઠવ્યા હતા.જે પાંજરામાં મારણનું શિકાર કરવા આવેલ દીપડો આજરોજ સવારે પાંજરે પૂરાયો હતો.વન વિભાગ દ્વારા આ દીપડાને પકડી સુરક્ષિત જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી છે. કદાવર દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લિધો હતો.
Latest Stories