અંકલેશ્વરના ખરોડ ગામમાં દીપડાના આતંકનો અંત, દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ લીધો રાહતનો શ્વાસ

વન વિભાગે મારણ સાથે ગામની સીમમાં પાંજરા ગોઠવ્યા હતા.જે પાંજરામાં મારણનું શિકાર કરવા આવેલ દીપડો પાંજરે પૂરાયો હતો.વન વિભાગ દ્વારા આ દીપડાને પકડી સુરક્ષિત જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી

New Update
Kharod Village
અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામમા બે દિવસથી આંટા ફેરા કરતો દીપડો વન વિભાગે મુકેલ પાંજરામાં પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. ભરૂચના ઝઘડિયા વાલિયા અને નેત્રંગ સહિતના ટ્રાઇબલ વિસ્તારોમાં વન્યજીવોની હાજરી નોંધાયા બાદ હવે અંકલેશ્વરના શહેરી વિસ્તાર નજીક પણ વન્યજીવો આવી ચઢતા હોય છે ત્યારે અંકલેશ્વર નજીકના ખરોડ ગામે દીપડો નજરે પડતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો.
Advertisment
આ અંગેની જાણ વન વિભાગમાં કરવામાં આવી હતી.વન વિભાગે મારણ સાથે ગામની સીમમાં પાંજરા ગોઠવ્યા હતા.જે પાંજરામાં મારણનું શિકાર કરવા આવેલ દીપડો આજરોજ સવારે પાંજરે પૂરાયો હતો.વન વિભાગ દ્વારા આ દીપડાને પકડી સુરક્ષિત જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી છે. કદાવર દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લિધો હતો.
Advertisment
Read the Next Article

ભરૂચ : DGVCL દ્વારા માતરીયા ઇન્ટેકવેલ પર  કામગીરીને પગલે વીજ અને  પાણી પુરવઠો રહેશે બંધ

ભરૂચ શહેરના માતરીયા ઇન્ટેકવેલ પર દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા મેન્ટેનન્સની કામગીરીને પગલે વીજ સપ્લાય બંધ રહેશે,જેના કારણે શહેરીજનોને અપાતો પાણી પુરવઠો પણ ખોરવાશે.

New Update
power cut

ભરૂચ શહેરના માતરીયા ઇન્ટેકવેલ પર દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા મેન્ટેનન્સની કામગીરીને પગલે વીજ સપ્લાય બંધ રહેશે,જેના કારણે શહેરીજનોને અપાતો પાણી પુરવઠો પણ ખોરવાશે.

Advertisment

aa

ભરૂચ નગરપાલિકા દ્વારા એક અખબારી યાદી જાહેર કરીને જણાવવામાં આવ્યું છે કે તારીખ 30-05-2025ને શુક્રવારના રોજ દક્ષિણ ગુજરાત વીજ કંપની તરફથી માતરીયા ઇન્ટેકવેલ ઉપર અપાતો વીજ પુરવઠો સવારના 7 કલાકથી બપોરેના 1 કલાક સુધી બંધ રાખવામાં આવશે.જેના કારણે શુક્રવારના રોજ સવારના 7 કલાકથી તમામ ટાંકી પરથી અપાતો પાણી પુરવઠો પણ બંધ રહેશે.જોકે તારીખ 31-05-2025ને શનિવારના રોજ તમામ વિસ્તારમાં રાબેતા મુજબ પાણી પુરવઠો રાબેતા મુજબ મળશે.

Advertisment
Latest Stories