અંકલેશ્વરના ખરોડ ગામમાં દીપડાના આતંકનો અંત, દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ લીધો રાહતનો શ્વાસ

વન વિભાગે મારણ સાથે ગામની સીમમાં પાંજરા ગોઠવ્યા હતા.જે પાંજરામાં મારણનું શિકાર કરવા આવેલ દીપડો પાંજરે પૂરાયો હતો.વન વિભાગ દ્વારા આ દીપડાને પકડી સુરક્ષિત જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી

New Update
Kharod Village
અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામમા બે દિવસથી આંટા ફેરા કરતો દીપડો વન વિભાગે મુકેલ પાંજરામાં પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. ભરૂચના ઝઘડિયા વાલિયા અને નેત્રંગ સહિતના ટ્રાઇબલ વિસ્તારોમાં વન્યજીવોની હાજરી નોંધાયા બાદ હવે અંકલેશ્વરના શહેરી વિસ્તાર નજીક પણ વન્યજીવો આવી ચઢતા હોય છે ત્યારે અંકલેશ્વર નજીકના ખરોડ ગામે દીપડો નજરે પડતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો.
આ અંગેની જાણ વન વિભાગમાં કરવામાં આવી હતી.વન વિભાગે મારણ સાથે ગામની સીમમાં પાંજરા ગોઠવ્યા હતા.જે પાંજરામાં મારણનું શિકાર કરવા આવેલ દીપડો આજરોજ સવારે પાંજરે પૂરાયો હતો.વન વિભાગ દ્વારા આ દીપડાને પકડી સુરક્ષિત જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી છે. કદાવર દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લિધો હતો.
Read the Next Article

ભરૂચ : આમોદ નેશનલ હાઇવે નં.64 પર આર.ટી.ઓ.ની તપાસથી ટ્રક ચાલકોમાં ફફડાટ

આમોદ નજીકના નેશનલ હાઇવે નં.64 પર ભરૂચ આર.ટી.ઓ. વિભાગ દ્વારા આજ રોજ ઓવરલોડ તેમજ કાગળ વિના દોડી રહેલા વાહનો સામે ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી

New Update
guj amod

90,000 રૂપિયાનો દંડ વસુલાયો, ઓવરલોડ અને બિનકાયદેસર વાહનો પર કાર્યવાહી

આમોદ નજીકના નેશનલ હાઇવે નં.64 પર ભરૂચ આર.ટી.ઓ. વિભાગ દ્વારા આજ રોજ ઓવરલોડ તેમજ કાગળ વિના દોડી રહેલા વાહનો સામે ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આર.ટી.ઓ.ઇન્સ્પેક્ટર એમ.પી. ડાયમાની આગેવાની હેઠળ આ તપાસ દરમિયાન કુલ રૂ. 90,000 જેટલો દંડ વસૂલવામાં આવ્યો હતો.

આ માર્ગ પરથી દિવસ-રાત ભારે વાહનો પસાર થાય છે, જેમાં ખાસ કરીને નમક (મીઠું), રેતી અને હઝાર્ડ વેસ્ટ ભરેલ ટ્રકોનો સમાવેશ થાય છે. ઓવરલોડ અને સુરક્ષા નિયમોની અવગણનાથી અકસ્માતોની સંભાવના વધતી હોવાથી આર.ટી.ઓ. દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.તપાસની માહિતી વાયુવેગે ફેલાતા કેટલાય ટ્રક ચાલકોએ પોતાની ઓવરલોડ વાહનો રસ્તા કિનારે ઊભા રાખી દિધા હોવાની વિગતો સામે આવી છે. રાત્રિના સમયે દહેજ તરફ જતા મીઠું ભરેલ ટ્રકો અને હઝાર્ડ વેસ્ટવાળા વાહનો ગંભીર જોખમ ઊભું કરે છે, કારણ કે કેટલાક વાહનોમાંથી પ્રવાહી રોડ પર સરકે છે, જેને લીધે અકસ્માતોની ઘટનાઓ સર્જાઈ છે.તદુપરાંત, કરજણથી વહેલી સવારે પસાર થતી રેતી ભરેલી ટ્રકોમાં યોગ્ય કવરિંગ ન હોવાને કારણે રેતી ઉડીને પાછળ આવતા બાઈક સવારોને આંખમાં વળગી જાય છે. રાત્રી દરમિયાન કેટલીક ટ્રકોની લાઈટો પણ બંધ હોવાના કારણે માર્ગ પર અકસ્માતનો ભય વધ્યો છે.