ભરૂચ : ટંકારીયામાં જુગારધામ પર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમના દરોડા,25 જુગારીયાની પોલીસે કરી ધરપકડ

દરોડા દરમિયાન પોલીસે 25 જુગારીઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. સ્થળ પરથી રોકડા રૂપિયા 2 લાખ 10 હજાર 870, 22 નંગ મોબાઈલ ફોન, એક તવેરા કાર અને જુગાર રમવાના અન્ય સાધનો મળી કુલ રૂપિયા 7 લાખ 8 હજાર 370 નો મુદ્દામાલ જપ્ત કર્યો

New Update
  • ટંકારીયામાં જુગારધામ પરLCBના દરોડા

  • ઝાડી ઝાંખરામાં જામી હતી જુગારની મહેફિલ

  • પોલીસના દરોડાથી જુગારીઓમાં ફફડાટ

  • પોલીસે 25 આરોપીઓની કરી ધરપકડ

  • પોલીસે 7 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કર્યો જપ્ત 

ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટંકારીયામાં જુગારધામ પર દરોડો પાડ્યો હતો.જેમાં ઝાડી ઝાંખરામાં જુગાર રમતા 25 જુગારીઓની પોલીસે ધરપકડ કરી હતી,અને રોકડા રૂપિયા તેમજ તવેરા કાર સહિતના કિંમત રૂપિયા 7 લાખ 8 હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.પી.વાળાની ટીમને બાતમી મળી હતી કે ટંકારીયા ગામના એસ.ટી.કોલોની વિસ્તારમાં રહેતો ઇકરામ ઇનાયત લાલન અને તેના સાગરીતો મોટા પાયે જુગાર રમાડી રહ્યા છે. આ માહિતીના આધારે પોલીસે ટંકારીયા ગામે અડોલ રોડ પર એસ.ટી.કોલોની પાછળ આવેલી ખુલ્લી બાવળની ઝાડીઓમાં દરોડો પાડ્યો હતો.

દરોડા દરમિયાન પોલીસે 25 જુગારીઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. સ્થળ પરથી રોકડા રૂપિયા 2 લાખ 10 હજાર 87022 નંગ મોબાઈલ ફોનએક તવેરા કાર અને જુગાર રમવાના અન્ય સાધનો મળી કુલ રૂપિયા 7 લાખ 8 હજાર 370 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત પોલીસે મોહસીન ઇનાયત લાલન સહિત 10 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.

Read the Next Article

ભરૂચ : વરસાદથી ક્ષતિગ્રસ્ત અંકલેશ્વર-ઝઘડીયા-રાજપીપલા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગનું યુદ્ધના ધોરણે સમારકામ

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા

New Update
MixCollage-13-Jul-2025-08-

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે.

જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના કુલ ખરાબ ૧૫.૪૦૦ કિમીથી વધુ લંબાઈના માર્ગોની મરામત કામગીરી પૂર્ણ કરાઈ છે. જેમાં કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર અને ૧૦ રોલરની મદદથી ૧૧૭ થી વધુ શ્રમયોગીઓ દ્વારા આ સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે. 
આ મરામત કામગીરીમાં માર્ગના ક્ષતિગ્રસ્ત ભાગોનું સમારકામ, પેચવર્કની કામગીરી આયોજનબદ્ધ રીતે હાથ ધરવામાં આવી રહી છે.ભરૂચ જિલ્લામાં પણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંકલેશ્વરથી ઝઘડીયા અને રાજપીપલા-સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો હાઈવે નં- ૬૪, રાજપારડી- નેત્રંગ, અસા - ઉમલ્લા -પાણેથા, રોડ ઉપર કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર, ૧૦ રોલર, ગ્રેટર ૨ ટ્રેક્ટરો તેમજ અને લોડરની મદદથી થી ૧૧૭ વધુ શ્રમયોગીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.