ભરૂચ : નગરપાલિકાના વોર્ડ 2માં હુસેનીયા નગર 2માં ડ્રેનેજ લાઈનની કામગીરી ખોરંભે ચડતા સ્થાનિકોમાં આક્રોશ

ચોમાસાની સીઝન નજીક હોવાથી રહીશોને ઘરમાં પાણી ઘૂસવાની તકલીફોનો સામનો કરવો પડી શકે છે, જેના કારણે લોકોએ તાત્કાલિક કામગીરી કરવાની માંગ ઉઠાવી...

New Update
  • પાલિકાના વોર્ડ નં 2માં ડ્રેનેજનો મામલો

  • હુસેનીયા નગર 2માં ડ્રેનેજની કામગીરી અટવાય

  • સ્થાનિકોની રજૂઆત બાદ પણ કામગીરી થઈ નહીં

  • પાલિકા તંત્ર સામે સ્થાનિકોમાં આક્રોશ

  • ત્વરિત કામગીરી શરૂ કરવાની કરી માંગ

  • ડ્રેનેજ મુદ્દે પાલિકાને તાળાબંધીની ઉચ્ચારી ચીમકી  

ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 2ની હુસેનીયા નગર 2માં ડ્રેનેજ લાઈનની કામગીરી ખોરંભે ચડતા સ્થાનિક લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે,જો ત્વરિત આ કામગીરી શરૂ કરવામાં નહીં આવે તો સ્થાનિકોએ પાલિકાને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી છે.

ભરૂચ શહેરના વોર્ડ નંબર 2ના હુસેનીયા નગર-2 વિસ્તારમાં હજુ સુધી ડ્રેનેજ લાઇનની કામગીરી હાથ ધરવામાં આવી નથીજે બાબતે સ્થાનિક રહીશો ખુબ જ ચિંતિત છે. જ્યારે આસપાસની અન્ય સોસાયટીઓમાં નગરપાલિકા દ્વારા ડ્રેનેજ લાઇનનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છેત્યારે હુસેનીયા નગર 2માં આ કામગીરી માટે પાલિકામાં રજૂઆત કરવા છતાં પણ કોઈ પગલા લેવામાં આવ્યા નથી.સોસાયટીના રહીશોએ વારંવાર નગરપાલિકા સત્તાધીશોને લેખિત તથા મૌખિક રીતે રજૂઆત કરી હોવા છતાં હાલ સુધી કોઈ પરિણામ જોવા મળ્યું નથી.

ચોમાસાની સીઝન નજીક હોવાથી રહીશોને ઘરમાં પાણી ઘૂસવાની તકલીફોનો સામનો કરવો પડી શકે છેજેના કારણે લોકોએ તાત્કાલિક કામગીરી કરવાની માંગ ઉઠાવી છે.આ મામલે સોસાયટીના આગેવાન મુન્ના શેખે જણાવ્યું હતું કે,અમે અગાઉ પણ વારંવાર પાલિકાને જાણ કરી છેપણ હજુ સુધી કોઈ અસરકારક પગલું ભરવામાં આવ્યું નથી. જો આગામી દસ દિવસની અંદર ડ્રેનેજ લાઇનની કામગીરી શરૂ નહીં થાય તોઅમે તાળાબંધી અને ઉગ્ર આંદોલન કરવા મજબૂર બનશું.

રહીશોની માંગ છે કે નગરપાલિકા આ મુદ્દાને ગંભીરતાથી લે અને હુસેનિયા નગર 2માં તાત્કાલિક ધોરણે ડ્રેનેજ લાઇનની કામગીરી શરૂ કરે જેથી ચોમાસાના આગમન પૂર્વે મુશ્કેલીઓથી બચી શકાય.

Read the Next Article

ભરૂચ : પ્રથમ વરસાદમાં જ રાજપારડીથી SOUને જોડતો મુખ્ય બન્યો અત્યંત માર્ગ બિસ્માર..!

ઝઘડીયા તાલુકાના રાજપારડીથી એક્તાનગર સરદાર પ્રતિમાને જોડતો મુખ્ય માર્ગ પ્રથમ વરસાદમાં જ અત્યંત બિસ્માર બનતા અનેક વાહન ચાલકો પરેશાન થઈ ઉઠ્યા..

New Update
  • ઝઘડીયા તાલુકામાં વિવિધ માર્ગ બન્યા અત્યંત બિસ્માર

  • રાજપારડીથી SOUને જોડતો મુખ્ય માર્ગ બિસ્માર બન્યો

  • પ્રથમ વરસાદમાં જ માર્ગ બિસ્માર બનતા લોકોને હાલાકી

  • માર્ગ પરથી પસાર થતાં અનેક વાહન ચાલકોને પરેશાની

  • વહેલીતકે બિસ્માર માર્ગનું સમારકામ હાથ ધરવાની માંગ 

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડીથી એક્તાનગર સરદાર પ્રતિમાને જોડતો મુખ્ય માર્ગ પ્રથમ વરસાદમાં જ અત્યંત બિસ્માર બનતા અનેક વાહન ચાલકો પરેશાન થઈ ઉઠ્યા છે.

હાલ ભરૂચ જિલ્લામાં ચોમાસાની વિધિવત રીતે શરૂઆત થઈ છેત્યારે પ્રથમ વરસાદથી જિલ્લાના કેટલાક માર્ગ બિસ્માર બન્યા છે. જેમાં ઝઘડીયા તાલુકાના રાજપારડીથી એક્તાનગર સરદાર પ્રતિમાને જોડતો મુખ્ય માર્ગ પ્રથમ વરસાદમાં જ અત્યંત બિસ્માર બનતા અનેક વાહન ચાલકો પરેશાન થઈ ઉઠ્યા છે. રાજપારડી ચાર રસ્તા નજીક પ્રથમ વરસાદથી જ માર્ગ પર ખાડા પડવાની શરૂઆત થઈ ગઈ હતી.

વરસાદનું આગમન થતાં જ માર્ગો પર ખાડાઓ પડતાં વાહન ચાલકો પરેશાન થઈ ઉઠ્યા છે. માર્ગ અત્યંત બિસ્માર બનતા વાહન ચાલકોની હાલત કફોડી બની છે. આ માર્ગ પર મોટા તેમજ જીવલેણ ખાડા પડતા વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છેત્યારે વહેલી તકે બિસ્માર માર્ગનું સમારકામ હાથ ધરવામાં આવે તેવી સ્થાનિકો સહિત રાહદારીઓ માંગ કરી રહ્યા છે.