અંકલેશ્વર: રામકુંડ સ્થિત માંડવ્યેશ્વર મહાદેવ મંદિરે હોમાત્મક લઘુરૂદ્રનું આયોજન

પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે અંકલેશ્વરના રામકુંડ સ્થિત માંડવ્યેશ્વર મહાદેવ મંદિર ખાતે હોમાત્મક લઘુરૂદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update

પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે અંકલેશ્વરના રામકુંડ સ્થિત માંડવ્યેશ્વર મહાદેવ મંદિર ખાતે હોમાત્મક લઘુરૂદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું

જીવના શિવ સાથે મિલન કરાવતા પવિત્ર શ્રાવણ માસ તેના અંતિમ ચરણમાં છે ત્યારે અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલ રામકુંડ સ્થિત માંડવ્યેશ્વર મહાદેવ મંદિર ખાતે આજરોજ હોમાત્મક લઘુરુદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર દેવાધિ દેવ મહાદેવની આરાધના કરવામાં આવી હતી. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન માંડવ્યેશ્વર મહાદેવ મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે અને ભોળાનાથને રિઝવવા પ્રયત્ન કરવામાં આવે છે ત્યારે ભોળા શંભુની આરાધનામાં ભક્તો લીન બન્યા હતા

Latest Stories