ભરૂચ: શુકલતીર્થ પાસે કડોદમાં મીની કબીરવડનું થશે નિર્માણ, મોટા પ્રમાણમાં વડના વૃક્ષનું કરાયુ રોપણ

ભરૂચના પ્રાચીન કબીરવડથી પ્રેરિત થઈ શુકલતીર્થ પાસે કડોદ ખાતે સૌપ્રથમ મીની કબીરવડની સ્થાપના કરવામાં આવી છે. હવે આગામી દિવસોમાં નર્મદા સંગમ સુધી વડના વૃક્ષો વાવીને તેમનું જતન કરવાની કામગીરી હાથ ધરાશે.

author-image
By Connect Gujarat Desk
New Update
  • ભરૂચના માં નર્મદા ગ્રીન ગ્રુપ દ્વારા શુકલતીર્થ પાસે કડોદ ખાતે વડ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં મીની કબીરવડની રચનાનો સંકલ્પ લેવાયો હતો.
    ભરૂચના શુકલતીર્થના પવિત્ર નર્મદા તટ પર માં નર્મદા ગ્રીન ગ્રુપ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાણ, પ્રકૃતિ અને પર્યાવરણના ત્રિવેણી સંગમ સાથે આયોજીત આ કાર્યક્રમ અંતર્ગત ખાસ કરીને વડના વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું.ભરૂચના પ્રાચીન કબીરવડથી પ્રેરિત થઈ શુકલતીર્થ પાસે કડોદ ખાતે સૌપ્રથમ મીની કબીરવડની સ્થાપના કરવામાં આવી છે.
  • હવે આગામી દિવસોમાં નર્મદા સંગમ સુધી વડના વૃક્ષો વાવીને તેમનું જતન કરવાની કામગીરી હાથ ધરાશે.આ સેવાકાર્યમાં  રાજ્યસભાના પૂર્વ સાંસદ ભારતસિંહ પરમાર, કિન્નર સમાજ તથા ભરૂચની અનેક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અને વૃક્ષારોપણમાં સક્રિય ભાગ લીધો હતો.
Latest Stories