ભરૂચ : ABC સર્કલ નજીક ટ્રક ચાલકે અડફેટે લેતા મોપેડ સવાર માતા-પુત્રીનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત...

પુરપાટ ઝડપે ધસી આવેલા ટ્રક ચાલકે મોપેડને ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે, માતા અને પુત્રીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું

author-image
By Connect Gujarat Desk
New Update
  • એબીસી સર્કલ નજીક સર્જાય ગમખ્વાર અકસ્માતની ઘટના

  • ટ્રક ચાલકે મોપેડ સવાર માતા અને પુત્રીને અડફેટમાં લીધા

  • અકસ્માતમાં માતા-પુત્રીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત

  • બનાવના પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો

  • ફરાર ટ્રક ચાલકની ધરપકડ માટે પોલીસે કવાયત હાથ ધરી

Advertisment

 ભરૂચ શહેરના એબીસી સર્કલ નજીક ટ્રક ચાલકે અડફેટમાં લેતા મોપેડ સવાર માતા-પુત્રીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું. ભરૂચ શહેરના એબીસી સર્કલ નજીકથી ફરી એક વખત અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી અનુસારઅંકલેશ્વરના GIDC વિસ્તારમાં આવેલ દ્વારકેશ પાર્કમાં રહેતા મધુબેન અંકિતભાઈ પટેલ ધોરણ 3માં અભ્યાસ કરતી પુત્રી પ્રિશા અંકિતભાઈ પટેલ સાથે ભરૂચના GNFC ટાઉનશિપ ખાતે ટેનિસની સ્પર્ધા માટે આવ્યા હતા.

જોકેસ્પર્ધા પૂર્ણ થયા બાદ તેઓ પોતાના મોપેડ નં. GJ-16-DL-7397 ઉપર પરત અંકલેશ્વર તરફ ફરી રહ્યા હતાત્યારે ભરૂચના એબીસી સર્કલ નજીક પુરપાટ ઝડપે ધસી આવેલા ટ્રક ચાલકે તેઓના મોપેડને ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયંકર હતો કેમાતા અને પુત્રીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું.

તો બીજી તરફઅકસ્માત સર્જ્યા બાદ ટ્રક લઈને ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતની ઘટનાના પગલે આસપાસના લોકો ટોળે વળ્યા હતાજ્યારે બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે બન્ને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતીજ્યારે અકસ્માતમાં 2 લોકોને મોતને ઘાટ ઉતારનાર ટ્રક ચાલકની ધરપકડ માટે પોલીસે કવાયત હાથ ધરી છે.

Advertisment
Read the Next Article

ભરૂચ : DGVCL દ્વારા માતરીયા ઇન્ટેકવેલ પર  કામગીરીને પગલે વીજ અને  પાણી પુરવઠો રહેશે બંધ

ભરૂચ શહેરના માતરીયા ઇન્ટેકવેલ પર દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા મેન્ટેનન્સની કામગીરીને પગલે વીજ સપ્લાય બંધ રહેશે,જેના કારણે શહેરીજનોને અપાતો પાણી પુરવઠો પણ ખોરવાશે.

New Update
power cut

ભરૂચ શહેરના માતરીયા ઇન્ટેકવેલ પર દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા મેન્ટેનન્સની કામગીરીને પગલે વીજ સપ્લાય બંધ રહેશે,જેના કારણે શહેરીજનોને અપાતો પાણી પુરવઠો પણ ખોરવાશે.

Advertisment

aa

ભરૂચ નગરપાલિકા દ્વારા એક અખબારી યાદી જાહેર કરીને જણાવવામાં આવ્યું છે કે તારીખ 30-05-2025ને શુક્રવારના રોજ દક્ષિણ ગુજરાત વીજ કંપની તરફથી માતરીયા ઇન્ટેકવેલ ઉપર અપાતો વીજ પુરવઠો સવારના 7 કલાકથી બપોરેના 1 કલાક સુધી બંધ રાખવામાં આવશે.જેના કારણે શુક્રવારના રોજ સવારના 7 કલાકથી તમામ ટાંકી પરથી અપાતો પાણી પુરવઠો પણ બંધ રહેશે.જોકે તારીખ 31-05-2025ને શનિવારના રોજ તમામ વિસ્તારમાં રાબેતા મુજબ પાણી પુરવઠો રાબેતા મુજબ મળશે.

Advertisment