ભરૂચ : ABC સર્કલ નજીક ટ્રક ચાલકે અડફેટે લેતા મોપેડ સવાર માતા-પુત્રીનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત...

પુરપાટ ઝડપે ધસી આવેલા ટ્રક ચાલકે મોપેડને ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે, માતા અને પુત્રીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું

author-image
By Connect Gujarat Desk
New Update
  • એબીસી સર્કલ નજીક સર્જાય ગમખ્વાર અકસ્માતની ઘટના

  • ટ્રક ચાલકે મોપેડ સવાર માતા અને પુત્રીને અડફેટમાં લીધા

  • અકસ્માતમાં માતા-પુત્રીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત

  • બનાવના પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો

  • ફરાર ટ્રક ચાલકની ધરપકડ માટે પોલીસે કવાયત હાથ ધરી

 ભરૂચ શહેરના એબીસી સર્કલ નજીક ટ્રક ચાલકે અડફેટમાં લેતા મોપેડ સવાર માતા-પુત્રીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું. ભરૂચ શહેરના એબીસી સર્કલ નજીકથી ફરી એક વખત અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી અનુસારઅંકલેશ્વરના GIDC વિસ્તારમાં આવેલ દ્વારકેશ પાર્કમાં રહેતા મધુબેન અંકિતભાઈ પટેલ ધોરણ 3માં અભ્યાસ કરતી પુત્રી પ્રિશા અંકિતભાઈ પટેલ સાથે ભરૂચના GNFC ટાઉનશિપ ખાતે ટેનિસની સ્પર્ધા માટે આવ્યા હતા.

જોકેસ્પર્ધા પૂર્ણ થયા બાદ તેઓ પોતાના મોપેડ નં. GJ-16-DL-7397 ઉપર પરત અંકલેશ્વર તરફ ફરી રહ્યા હતાત્યારે ભરૂચના એબીસી સર્કલ નજીક પુરપાટ ઝડપે ધસી આવેલા ટ્રક ચાલકે તેઓના મોપેડને ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયંકર હતો કેમાતા અને પુત્રીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું.

તો બીજી તરફઅકસ્માત સર્જ્યા બાદ ટ્રક લઈને ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતની ઘટનાના પગલે આસપાસના લોકો ટોળે વળ્યા હતાજ્યારે બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે બન્ને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતીજ્યારે અકસ્માતમાં 2 લોકોને મોતને ઘાટ ઉતારનાર ટ્રક ચાલકની ધરપકડ માટે પોલીસે કવાયત હાથ ધરી છે.

Read the Next Article

ભરૂચ: ધી મહાલક્ષ્મી બચત અને ધિરાણ કરનારી સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા યોજાય

ભરૂચની ધી મહાલક્ષ્મી બચત અને ધિરાણ કરનારી સહકારી મંડળીની સાતમી વાર્ષિક સાધારણ સભા યોજાય હતી જેમાં પ્લેન દુર્ઘટનાના મૃતકોને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • મહાલક્ષ્મી મંડળીની સાધારણ સભા યોજાય

  • પ્લેન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા

  • મંડળીનો વાર્ષિક અહેવાલ રજૂ કરાયો

  • ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી રહ્યા ઉપસ્થિત

ભરૂચની ધી મહાલક્ષ્મી બચત અને ધિરાણ કરનારી સહકારી મંડળીની સાતમી વાર્ષિક સાધારણ સભા યોજાય હતી જેમાં પ્લેન દુર્ઘટનાના મૃતકોને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા હતા
ભરૂચની ધી મહાલક્ષ્મી બચત અને ધિરાણ કરનારી સહકારી મંડળી લિમિટેડની સાતમી વાર્ષિક સાધારણ સભા આજરોજ યોજાઈ હતી. આ સભાની અધ્યક્ષતા અને ઉદ્ઘાટન ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશભાઈ મોદીએ કર્યું હતું. મંડળીના ચેરમેન  પ્રવીણસિંહ ડી. રણાના નેતૃત્વમાં આયોજિત આ સભામાં ધી ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપ. બેંકના CEO  પિંકલ રાવલ અને કર્મચારીઓની ક્રેડિટ સોસાયટીના ચેરમેન કિરીટસિંહ ધરીયા ઉપસ્થિત રહ્યા હતા.
સભામાં  તાજેતરમાં થયેલા એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં નિધન પામેલ ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને અન્ય યાત્રીઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.ચેરમેન  પ્રવીણસિંહ રણાએ મંડળીમાં થયેલી નાણાકીય અને સેવાકીય પ્રગતિ અંગે વિગતવાર માહિતી આપી હતી.