શહેર વિસ્તારમાં વિકાસકાર્યનું ખાતમુહૂર્ત
વોર્ડ નં.6માં પેવર બ્લોકના કામની શરૂઆત
રૂ.40 લાખથી વધુના ખર્ચે થશે કામગીરી
પાલિકા પ્રમુખના હસ્તે કરાયું ખાતમુહૂર્ત
ભાજપ શહેર પ્રમુખ સહિતના આગેવાનો રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વર શહેરના પંચાટી બજાર શિવસાગર મંદિર વોર્ડ નંબર 6માં નગરપાલિકા પ્રમુખના હસ્તે વિકાસકાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર શહેરના પંચાટી બજાર શિવસાગર મંદિર પાસે વોર્ડ નંબર 6માં વિકાસના કામોનું નગરપાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિતના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ વિસ્તારમાં રૂપિયા 40 લાખથી વધુના ખર્ચે પેવર બ્લોકની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા તેમજ સ્થાનિકો આગેવાનો અને નગર સેવકો ઉપસ્થિત રહ્યા હતા.