ભરૂચ ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટી 24 ફૂટે, કબીરવડમાં લોકોએ સ્થળાંતર કર્યું
ભરૂચ જિલ્લામાં અવિરત વરસાદની સાથે સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં છોડવામાં આવતા પાણીને પરિણામે હાલમાં ગોલ્ડન બ્રિજની જળ સપાટી 24 ફૂટને આંબી છે
ભરૂચ જિલ્લામાં અવિરત વરસાદની સાથે સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં છોડવામાં આવતા પાણીને પરિણામે હાલમાં ગોલ્ડન બ્રિજની જળ સપાટી 24 ફૂટને આંબી છે
અંકલેશ્વરનાકોસમડી ખાડીમાં વીજ કંપનીનો જીવતો વીજ તાર તૂટીને પડ્યો હતો.જેના કારણે ચારો ચરતા અબોલ પશુઓને વીજ કરંટ લગતા બે અબોલ પશુઓના નિપજ્યા મોત
અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામની ખાડી પાસે વીજ લાઈનનો એક તાર તૂટીને પડ્યો હતો,જેનો કરંટ બે અબોલ પશુઓને લગતા મોતને ભેટ્યા હતા. અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામના નવાપરા ફળિયામાં રહેતા જમણા વસાવા અને રેવા વસાવા પોતાની ભેંસોને ચરાવવા માટે ગામની સીમમાં ગયા હતા,ત્યાંથી સાંજના સુમારે પરત ફરતી વેળાએ એક દુર્ઘટના સર્જાય હતી.
જેમાં કોસમડી ખાડીમાં વીજ કંપનીનો જીવતો વીજ તાર તૂટીને પડ્યો હતો.જેના કારણે ચારો ચરતા અબોલ પશુઓને વીજ કરંટ લાગ્યો હતો,વીજ કરંટના જોરદાર ઝટકાથી એક ભેંસ અને પાડાના મોત નિપજ્યા હતા,ઘટના અંગે જમના વસાવાએ જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી.