ભરૂચ ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટી 24 ફૂટે, કબીરવડમાં લોકોએ સ્થળાંતર કર્યું

ભરૂચ જિલ્લામાં અવિરત વરસાદની સાથે સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં છોડવામાં આવતા પાણીને પરિણામે હાલમાં ગોલ્ડન બ્રિજની જળ સપાટી 24 ફૂટને આંબી છે

New Update

ભરૂચ જિલ્લામાં અવિરત વરસાદની સાથે સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં છોડવામાં આવતા પાણીને પરિણામે હાલમાં ગોલ્ડન બ્રિજની જળ સપાટી 24 ફૂટને આંબી છે,જ્યારે કબીરવડ ખાતે લોકોએ સ્વયં જ સુરક્ષિત સ્થળ પર ખસી જવાની કવાયત કરી છે.

ભરૂચ જિલ્લામાં અવિરત મેઘમહેર વરસી રહ્યો છે,તો બીજી તરફ નર્મદા નદીમાં ઝડપી ગતિએ વધી રહેલા જળસ્તરના પરિણામે નદી કિનારે વસતા લોકો તેમજ ભરૂચ વહીવટી  તંત્રની ચિંતામાં વધારો થયો છે,જાણવા મળ્યા મુજબ સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે હાલમાં ડેમની જળ સપાટી 135.9 મીટર પહોંચી છે,જેમાં 3 લાખ 68 હજાર 475 ક્યુસેક પાણીની આવક છે,તો ડેમમાંથી 3 લાખ 45 હજાર 445 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવતા નદીના પાણી ભરૂચ ગોલ્ડન બ્રિજની ભયજનક જળ સપાટી 24 ફૂટને પહોંચી છે. જેના કારણે નદી કિનારે વસતા ગ્રામજનોને વહીવટી તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે,જ્યારે ભરૂચનાં પ્રવાસન સ્થળ કબીરવડમાં સ્થાનિક લોકો સલામતીના ભાગરૂપે પોતાની નાવડીની મદદથી સ્વયં જ સ્થળાંતર કરી રહ્યા છે.નર્મદા નદીમાં વધતા પાણીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભરૂચ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા પણ નદી કિનારે વસતા લોકોને સાબદા કરીને જરૂરી સૂચનાઓ આપી છે.   
Read the Next Article

ભરૂચ જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહ યોજાયો...

ભરૂચ જિલ્લાના પંચાયત સભાખંડ ખાતે જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • જિલ્લા પંચાયત સભાખંડ ખાતે યોજાયો વિશેષ કાર્યક્રમ

  • જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા આયોજન

  • નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહનું આયોજન કરાયું

  • ડ્રાઇવર એસોસિએશનના અધ્યક્ષ રહ્યા વિશેષ ઉપસ્થિત

  • સરકાર સમક્ષ ડ્રાઇવર વર્ગની સમસ્યા રજૂ કરવાનો ઉદ્દેશ્ય

ભરૂચ જિલ્લાના પંચાયત સભાખંડ ખાતે જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લાના પંચાયત સભાખંડમાં જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં અવસાન પામેલા ડ્રાઇવરોના સ્મરણાર્થે 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. ત્યારબાદ ભરૂચ જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશનના અધ્યક્ષ કનુ વાળંદ અને ભુપેન્દ્ર પરમારની આગેવાની હેઠળ નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહ યોજાયો હતો. આ સાથે જ ડ્રાઇવર કેડરના ઘટતા પ્રમાણ અને તેની પરિસ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

આ પ્રસંગે મુખ્ય અતિથિ બેચર રાઠોડે જણાવ્યું હતું કે, “નિવૃત થયેલા ડ્રાઇવરોને સરકાર તરફથી મળતી રિટાયરમેન્ટ સ્કીમના તમામ હકો સમયસર અને યોગ્ય રીતે મળી રહે તે જરૂરી છે. જેથી તેમનું જીવન સુખમય બની રહે.” આ કાર્યક્રમનો ઉદ્દેશ માત્ર સન્માન નથી. પરંતુ રાજ્ય સરકાર અને તંત્ર સમક્ષ ડ્રાઇવર વર્ગની જરૂરિયાતો અને સમસ્યાઓ રજૂ કરવાનો પણ હતો.