ભરૂચ ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટી 24 ફૂટે, કબીરવડમાં લોકોએ સ્થળાંતર કર્યું

ભરૂચ જિલ્લામાં અવિરત વરસાદની સાથે સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં છોડવામાં આવતા પાણીને પરિણામે હાલમાં ગોલ્ડન બ્રિજની જળ સપાટી 24 ફૂટને આંબી છે

New Update

ભરૂચ જિલ્લામાં અવિરત વરસાદની સાથે સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં છોડવામાં આવતા પાણીને પરિણામે હાલમાં ગોલ્ડન બ્રિજની જળ સપાટી 24 ફૂટને આંબી છે,જ્યારે કબીરવડ ખાતે લોકોએ સ્વયં જ સુરક્ષિત સ્થળ પર ખસી જવાની કવાયત કરી છે.

Advertisment
ભરૂચ જિલ્લામાં અવિરત મેઘમહેર વરસી રહ્યો છે,તો બીજી તરફ નર્મદા નદીમાં ઝડપી ગતિએ વધી રહેલા જળસ્તરના પરિણામે નદી કિનારે વસતા લોકો તેમજ ભરૂચ વહીવટી  તંત્રની ચિંતામાં વધારો થયો છે,જાણવા મળ્યા મુજબ સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે હાલમાં ડેમની જળ સપાટી 135.9 મીટર પહોંચી છે,જેમાં 3 લાખ 68 હજાર 475 ક્યુસેક પાણીની આવક છે,તો ડેમમાંથી 3 લાખ 45 હજાર 445 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવતા નદીના પાણી ભરૂચ ગોલ્ડન બ્રિજની ભયજનક જળ સપાટી 24 ફૂટને પહોંચી છે. જેના કારણે નદી કિનારે વસતા ગ્રામજનોને વહીવટી તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે,જ્યારે ભરૂચનાં પ્રવાસન સ્થળ કબીરવડમાં સ્થાનિક લોકો સલામતીના ભાગરૂપે પોતાની નાવડીની મદદથી સ્વયં જ સ્થળાંતર કરી રહ્યા છે.નર્મદા નદીમાં વધતા પાણીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભરૂચ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા પણ નદી કિનારે વસતા લોકોને સાબદા કરીને જરૂરી સૂચનાઓ આપી છે.   
Advertisment
Read the Next Article

ભરૂચ : સાવરણી વેચીને જીવન ગુજારતા વૃદ્ધ દંપતી તબિયત બગડતાં રસ્તા પર ઢળી પડ્યા, શંકાસ્પદ કોરોના લક્ષણો જોઈ હોસ્પિટલ ખસેડાયા

ભરૂચના મુલદ ચોકડી વિસ્તારમાં લુણાવાડાના મૂળ રહેવાસી અને હાલ સાવરણી વેચીને પોતાનું જીવન નિર્વાહ કરતા વૃદ્ધ દંપતી અચાનક તબિયત બગડતાં રસ્તા પર ઢળી પડ્યા હતા.

New Update
ભરૂચ 1222

ભરૂચના  મુલદ ચોકડી વિસ્તારમાં લુણાવાડાના મૂળ રહેવાસી અને હાલ સાવરણી વેચીને પોતાનું જીવન નિર્વાહ કરતા વૃદ્ધ દંપતી અચાનક તબિયત બગડતાં રસ્તા પર ઢળી પડ્યા હતા.

Advertisment

આ ઘટના સમયે ત્યાં નજીક રિક્ષા લઈને ઉભેલા શખ્સે માનવતા દેખાડી અને તત્કાલ ભરૂચ 108 ઇમરજન્સી સેવાને જાણ કરી હતી.108 ની ટીમ ઘટનાસ્થળે તરત પહોંચી અને દંપતીને પ્રાથમિક સારવાર આપી. આ દરમિયાન તેમનામાં શંકાસ્પદ કોરોના વાયરસના લક્ષણો જોવા મળતાં, સલામતીના પગલાં તરીકે બંનેને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.હાલ સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા દર્દીઓની વધુ તપાસ અને કોરોના રિપોર્ટ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

Advertisment