ભરૂચ : નારાયણ સ્ક્વેર સોસાયટીમાં નવરાત્રિ મહોત્સવ-2025નો ભવ્ય પ્રારંભ કરાયો...

ભરૂચ શહેરની નારાયણ સ્ક્વેર સોસાયટીમાં નવરાત્રિ મહોત્સવ-2025નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં પ્રથમ નોરતે ખેલૈયાઓ મન મુકીને ગરબે ઘુમ્યા હતા.

New Update
  • શારદીય નવરાત્રી મહોત્સવનો ગતરોજથી પ્રારંભ કરાયો

  • નારાયણ સ્ક્વેરમાં નવરાત્રિ મહોત્સવ-2025નું આયોજન

  • નવરાત્રિ પ્રારંભ કિન્નર સમાજના અગ્રણીઓના હસ્તે કરાયો

  • સોસાયટીના સભ્યોએ ભાવપૂર્વક માઁ અંબાની આરતી ઉતારી

  • પ્રથમ નોરતે સોસાયટીના સભ્યો મન મુકીને ગરબે ઘુમ્યા

ભરૂચ શહેરના લિંક રોડ પર આવેલી નારાયણ સ્ક્વેર કો.ઓ. હાઉસિંગ સોસાયટીમાં આદ્યશક્તિ માઁ અંબાજીના નવરાત્રિ મહોત્સવ-2025નો શાનદાર પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ મહોત્સવની શુભ શરૂઆત ભરૂચ કિન્નર સમાજના અગ્રણી દીપામાસી બા અને તેમના સહયોગીઓએ કરી હતી. તેઓએ નારાયણ સ્ક્વેર પરિવારના સભ્યો સાથે માઁ અંબાની આરતી ઉતારી અને ગરબાની શરૂઆત કરાવી હતી. 

આ પ્રસંગે મોટી સંખ્યામાં સોસાયટીના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં અને ભક્તિભાવપૂર્વક માતાજીની આરતીમાં ભાગ લઈ ઉમંગભેર ભાગ લઈને રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી. નારાયણ સ્ક્વેર કો.ઓ. હાઉસિંગ સોસાયટીના પ્રમુખ જીગર દિવાને સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ભવ્ય આયોજનથી સોસાયટીમાં ધાર્મિક અને ઉત્સાહભર્યું વાતાવરણ છવાયું હતું.

Latest Stories