રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો, નવા પ્રમુખ તરીકે પંકજ ભરવાડાની વરણી

અંકલેશ્વરના ડી.એ.આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરની ઇન્સ્ટોલેશન સેરેમની યોજાઇ હતી જેમાં રોટરીના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

New Update
  • અંકલેશ્વરમાં યોજાયો કાર્યક્રમ

  • રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરનો શપથ ગ્રહણ સમારોહ

  • નવા પ્રમુખ તરીકે પંકજ ભરવાડાની વરણી

  • PIAના પ્રમુખ બી.એસ.પટેલે આપી હાજરી

  • રોટરીના સભ્યો રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વરના ડી.એ.આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરની ઇન્સ્ટોલેશન સેરેમની યોજાઇ હતી જેમાં રોટરીના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરનો શપથ ગ્રહણ સમારોહ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ ડી.એ.આણંદપુરા સ્પોર્ટ્સ કઓમ્પ્લેક્સ ખાતે યોજાયો હતો જેમાં રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરના નવા પ્રમુખ તરીકે પંકજ ભરવાડા તો સેક્રેટરી તરીકે વીપીન નાયરની વરણી કરવામાં આવી હતી. રોટરીના  ડિસ્ટ્રીક ગવર્નર અમરદીપસિંગ બુનેટે નવ નિયુક્ત હોદ્દેદારોને શપથ ગ્રહણ કરાવ્યા હતા.આ પ્રસંગે મામલતદાર કિરણસિંહ રાજપૂત,પાનોલી ઉદ્યોગ મંડળના પ્રમુખ બી.એસ.પટેલ,એથર કંપનીના ચેરમેન અશ્વિન દેસાઈ,કલામંદિર જવેલર્સના ડિરેકટર શરદ શાહ, પ્રમુખ સુનિલ નેવે  સહિત રોટરી ક્લબ ઓફ ભરૂચ અને અંકલેશ્વરના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
Read the Next Article

અંકલેશ્વર : અંદાડા નજીક ગૌચરણમાં બનેલા RCC રોડ સહિતના ગેરકાયદે દબાણો દૂર કરવા સ્થાનિકોની માંગ...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ નજીક ગૌચરણમાં પાકા રસ્તાઓ સહિતના અન્ય દબાણો દૂર કરવાની માંગ સાથે સ્થાનિકો સહિત માલધારી સમાજએ વિરોધ નોંધાવ્યો હતો.

New Update
  • અંદાડા ગામ નજીક ગૌચરણમાં થયેલા દબાણનો મામલો

  • RCC પાકા રસ્તાઓ સહિતના અન્ય દબાણો ઊભા કરાયા

  • સ્થાનિકો સહિત માલધારી સમાજ દ્વારા વિરોધ નોંધાવાયો

  • ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે સ્થાનિકોએ માંગ કરી

  • નોટીસની અવગણના કરી બિલ્ડરોની મનમાની : સ્થાનિક

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ નજીક ગૌચરણમાં પાકા રસ્તાઓ સહિતના અન્ય દબાણો દૂર કરવાની માંગ સાથે સ્થાનિકો સહિત માલધારી સમાજએ વિરોધ નોંધાવ્યો હતો.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામને નેશનલ હાઈવે સાથે જોડતા માર્ગને અડીને આવેલ ગૌચરણમાં છેલ્લા ઘણા સમયથી પાકા રસ્તાઓ તેમજ અન્ય દબાણો ઉભા કરવામાં આવ્યા છે. અંદાડા ગ્રામ પંચાયત હસ્તકના સરકારી ગૌચરમાં કેટલાંક બિલ્ડરો દ્વારા પોતે બનાવેલ સોસાયટીમાં જવા-આવવા માટેના પાકા RCC રસ્તો બનાવી દેવામાં આવ્યો છે. એટલું જ નહીંબિલ્ડરો દ્વારા કેટલાંક અન્ય પ્રકારના દબાણો ઉભા કરી સરકારી ગૌચારણમાં ગેરકાયદેસર કબજા ટક કરી બેઠા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કેઅંદાડા ગામને નેશનલ હાઈવે સાથે જોડતા માર્ગને અડીને આવેલ ગૌચરણમાં હાલમાં બની રહેલ પાકા RCC રસ્તાના કામને તાત્કાલિક અસરથી રોકી દેવા ગ્રામ પંચાયત દ્વારા નોટીસ આપવામાં આવી હતી. તેમ છતાં નોટીસની અવગણના કરીને બિલ્ડરો દ્વારા કામ ચાલુ રાખવામાં આવ્યું છેત્યારે ગુજરાત સરકારના ગૌચર અધિનિયમ અને જોગવાઈઓને ધ્યાનમાં લઈ અંદાડા ગ્રામ પંચાયતના સત્તા ક્ષેત્રમાં આવેલ ગૌચરમાં બિલ્ડરો દ્વારા જેટલા પણ પાકા RCC રસ્તાઓ સહિત દબાણ કરવામાં આવ્યું છે. જેને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ ઉઠી છે.

Latest Stories