New Update
ભરૂચના ઝાડેશ્વર ખાતે નર્મદા નદીના કિનારે વસેલા નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભક્તોનોભક્તિરસ છલકાયો હતો,આ પ્રસંગે કાવડયાત્રીઓએનર્મદા જળ કાવડમાં ભરીને મંદિરની પ્રદક્ષિણા પણ કરી હતી.
ભરૂચમાંપાવન શલીલામાંનર્મદના કિનારે વસેલા ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે દર્શન અર્થે આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી, ઉપરાંત કાવડયાત્રીઓએનર્મદા નદીના નીર કાવડમાં ભરીને નીલકંઠેશ્વર મહાદેવ મંદિરની પ્રદક્ષિણા કરી હતી.400 થી વધુ કાવડયાત્રીઓએ નર્મદાનુંજળ કાવડમાં ભરીને નીલકંઠેશ્વર મહાદેવ મંદિરની પ્રદક્ષિણા કરી ત્યારબાદ અંકલેશ્વર ખાતે આવેલા શિવ મંદિરેઆ જળથી અભિષેક કરીને ધન્યતા અનુભવી હતી.