ભરૂચના ઝાડેશ્વર ખાતે નર્મદા નદીના કિનારે વસેલા નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભક્તોનો ભક્તિરસ છલકાયો હતો,આ પ્રસંગે કાવડયાત્રીઓએ નર્મદા જળ કાવડમાં ભરીને મંદિરની પ્રદક્ષિણા પણ કરી હતી.
ભરૂચમાં પાવન શલીલા માં નર્મદના કિનારે વસેલા ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે દર્શન અર્થે આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી, ઉપરાંત કાવડયાત્રીઓએ નર્મદા નદીના નીર કાવડમાં ભરીને નીલકંઠેશ્વર મહાદેવ મંદિરની પ્રદક્ષિણા કરી હતી. 400 થી વધુ કાવડયાત્રીઓએ નર્મદાનું જળ કાવડમાં ભરીને નીલકંઠેશ્વર મહાદેવ મંદિરની પ્રદક્ષિણા કરી ત્યારબાદ અંકલેશ્વર ખાતે આવેલા શિવ મંદિરે આ જળથી અભિષેક કરીને ધન્યતા અનુભવી હતી.