ભરૂચ: રતન ટાટાના માનમાં એક દિવસના ગરબા રદ્દ, રાષ્ટ્રધ્વજ પણ અડધી કાંઠીએ ફરકાવાયો

ભરૂચ પોલીસ વેલ્ફેર સોસાયટી દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં એક દિવસના ગરબા રદ કરી સ્વર્ગીય રતન ટાટાને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા

New Update

દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું નિધન

પોલીસ વિભાગ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરાયા

એક દિવસના ગરબા રદ્દ કરવામાં આવ્યા

માત્ર માતાજીની આરતી ઉતારાય

રાષ્ટ્રધ્વજ પણ અડધી કાંઠીએ ફરકાવાયો

ભરૂચ પોલીસ વેલ્ફેર સોસાયટી દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં એક દિવસના ગરબા રદ કરી સ્વર્ગીય રતન ટાટાને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા
દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું નિધન થતાં રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો હતો ત્યારે ભરૂચમાં પોલીસ વેલ્ફેર સોસાયટી દ્વારા હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.જો કે રતન ટાટાનું નિધન થતા શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો અને એક દિવસના ગરબા રદ કરવામાં આવ્યા હતા.પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓએ માતાજીની આરતી ઉતારી આરાધના કરી હતી. તો બીજી તરફ હોસ્ટેલ ગ્રાઉન્ડમાં રાષ્ટ્રધ્વજ પણ અડધી કાંઠીએ ફરકાવવામાં આવ્યો હતો.પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ સ્વર્ગીય રતન ટાટા ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આજે નવરાત્રીની નોમ નિમિત્તે હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ગરબા યોજાશે જેમાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી પણ હાજરી આપશે.
Read the Next Article

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાય, દેશપ્રેમના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા

New Update

ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

ભાજપ દ્વારા આયોજન કરાયું

તિરંગા યાત્રાનું આયોજન

આગેવાનો અને કાર્યકરો જોડાયા

દેશભક્તિના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મહામંત્રી નિરલ પટેલ, શહેર પ્રમુખ જતીન શાહ સહિત પક્ષના અગ્રણીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. હાથમાં તિરંગો લહેરાવતા કાર્યકરો દેશભક્તિના સૂત્રોચ્ચાર કરતા આગળ વધતા નજરે પડ્યા હતા.ભાજપ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાયેલી આ યાત્રા દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પર દેશપ્રેમનો જુસ્સો છલકાતો જોવા મળ્યો હતો. યાત્રામાં દેશભક્તિ ગીતો, સૂત્રોચ્ચારો અને તિરંગાની લહેરાટ સાથે ઉત્સાહનો માહોલ છવાયો હતો.