અંકલેશ્વર: કોસમડી ગામ નજીક અજાણ્યા વાહનની અડફેટે રાહદારીનું મોત, પોલીસે તપાસ શરૂ કરી

અંકલેશ્વર-વાલિયા માર્ગ ઉપર કોસમડી ગામના બસ સ્ટેન્ડ પાસે અજાણ્યા વાહન ચાલકે રાહદારીને ટક્કર મારતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું...

New Update
Kosmadi Accident
અંકલેશ્વર-વાલિયા માર્ગ ઉપર કોસમડી ગામના બસ સ્ટેન્ડ પાસે અજાણ્યા વાહન ચાલકે રાહદારીને ટક્કર મારતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અંકલેશ્વરના ગોપાલ નગર પાસે આવેલ ટેન્કર ગેટ નજીક ફૂટપાથ ખાતે રહેતા રાજુ ફકરુ મલેક ગતરોજ સાંજે કોસમડી ગામના બસ સ્ટેન્ડ પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન પૂરપાટ ઝડપે ધસી આવેલ અજાણ્યા વાહન ચાલકે રાહદારી રાજુ મલેકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં ગંભીર ઇજાઓને પગલે તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.અકસ્માત અંગે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Latest Stories