ભરૂચ: બંધારણીય જોગવાઈના અમલની માંગ સાથે આદિવાસી સમાજ દ્વારા કલેકટરને પાઠવાયું આવેદનપત્ર

વિશ્વ આદિવાસી અધિકાર દિવસે આદિવાસીઓ પર થતા અત્યાચાર અટકાવવા અને બંધારણીય જોગવાઈઓના અમલ મુદ્દે આદિવાસી સમાજ દ્વારા કલેકટરને આવેદનપત્ર અપાયું 

New Update

ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

આદિવાસી સમાજ દ્વારા પાઠવાયું આવેદનપત્ર

બંધારણીય જોગવાઈઓનો અમલ કરવાની માંગ

આદિવાસીઓ પર અત્યાચાર થતો હોવાના આક્ષેપ

બંધારણીય હક આપવાની માંગ

વિશ્વ આદિવાસી અધિકાર દિવસે આદિવાસીઓ પર થતા અત્યાચાર અટકાવવા અને બંધારણીય જોગવાઈઓના અમલ મુદ્દે આદિવાસી સમાજ દ્વારા કલેકટરને આવેદનપત્ર અપાયું 
દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મને સંબોધીને આજરોજ ભારતીય આદિવાસી પાર્ટી અને આદિવાસી આગેવાનોએ  આવેદનપત્ર પત્ર જીલ્લા કલેકટર કચેરી ખાતે પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ભારત દેશ આઝાદ થયાને 78 વર્ષ થયા અને ભારત દેશનું બંધારણ અમલમાં આવ્યાને 74 વર્ષ થયા તેમ છતા આજ દિન સુધી આદિવાસીઓ માટે બંધારણમાં અનુસૂચી-૫ અને અનુસૂચી-૬ની જોગવાઈઓ કરવામાં આવી છે.
તેનો અમલ કરવામાં આવી રહ્યો નથી અને બંધારણીય અધિકારોનું હનન થઈ રહ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.આદિવાસીઓને બંધારણીય અધિકારો મળે તેવી વ્યવસ્થા રાજ્યપાલ અને ટ્રાયબલ એડવાઇઝરી કમિટી દ્વારા કરવી,નર્મદા જિલ્લાનાં ડેડિયાપાડા તાલુકાના જંગલ વિસ્તારના ગામોને ઇકોલોજીકલી સેંસેટીવ ઝોન તરીકે જાહેર કરવા અને ૭૩ એએની જમીનો છીનવી ધમકી આપતા તત્વો સામે પગલા લેવામાં આવે સહીત ૧૫ માંગણીઓ સ્વીકારમાં આવે તેવી માંગ કરવામાં આવી છે
Read the Next Article

અંકલેશ્વર : લાયન્સ સ્કૂલ ખાતે સ્વ.વિઠ્ઠલ રાદડિયાની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

 અંકલેશ્વર જીઆઇડીસીની લાયન્સ સ્કૂલ ખાતે સ્વ.વિઠ્ઠલ રાદડિયાની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ નિમિતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • લાયન્સ ક્લબ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ

  • સ્વ.વિઠ્ઠલ રાદડિયાની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ

  • શ્રદ્ધાંજલિનાં ભાગરૂપે કરાયું આયોજન

  • મોટી સંખ્યામાં રકતદાતાઓએ કર્યું રક્તદાન

  • 350થી વધુ લોકોએ કર્યું રક્તદાન

અંકલેશ્વર જીઆઇડીસીની લાયન્સ સ્કૂલ ખાતે સ્વ.વિઠ્ઠલ રાદડિયાની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ નિમિતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર જીઆઇડીસી લાયન્સ સ્કૂલ ખાતે લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા,લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન તથા તથા આઇડિયલ લાઇટિંગ સિસ્ટમ પ્રા. લિ દ્વારા સ્વ.વિઠ્ઠલ રાદડિયાની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે કુમારપાળ ગાંધી બ્લડ બેંકના સહયોગથી મેઘા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં રક્ત દાતાઓએ બ્લડ ડોનેટ કર્યું હતું જેમાં 300 વધુ યુનિટ બ્લડ એકઠું કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાંલાયન્સ ક્લબના પ્રમુખ વાસુદેવ ગજેરા,સેક્રેટરી યોગેશ પટેલ,ખજાનચી હિતેશ પટેલ,સમાજના આગેવાન તેમજબ્લડ દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.