ભરૂચ: બંધારણીય જોગવાઈના અમલની માંગ સાથે આદિવાસી સમાજ દ્વારા કલેકટરને પાઠવાયું આવેદનપત્ર

વિશ્વ આદિવાસી અધિકાર દિવસે આદિવાસીઓ પર થતા અત્યાચાર અટકાવવા અને બંધારણીય જોગવાઈઓના અમલ મુદ્દે આદિવાસી સમાજ દ્વારા કલેકટરને આવેદનપત્ર અપાયું 

New Update

ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

આદિવાસી સમાજ દ્વારા પાઠવાયું આવેદનપત્ર

બંધારણીય જોગવાઈઓનો અમલ કરવાની માંગ

આદિવાસીઓ પર અત્યાચાર થતો હોવાના આક્ષેપ

બંધારણીય હક આપવાની માંગ

વિશ્વ આદિવાસી અધિકાર દિવસે આદિવાસીઓ પર થતા અત્યાચાર અટકાવવા અને બંધારણીય જોગવાઈઓના અમલ મુદ્દે આદિવાસી સમાજ દ્વારા કલેકટરને આવેદનપત્ર અપાયું 
દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મને સંબોધીને આજરોજ ભારતીય આદિવાસી પાર્ટી અને આદિવાસી આગેવાનોએ  આવેદનપત્ર પત્ર જીલ્લા કલેકટર કચેરી ખાતે પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ભારત દેશ આઝાદ થયાને 78 વર્ષ થયા અને ભારત દેશનું બંધારણ અમલમાં આવ્યાને 74 વર્ષ થયા તેમ છતા આજ દિન સુધી આદિવાસીઓ માટે બંધારણમાં અનુસૂચી-૫ અને અનુસૂચી-૬ની જોગવાઈઓ કરવામાં આવી છે.
તેનો અમલ કરવામાં આવી રહ્યો નથી અને બંધારણીય અધિકારોનું હનન થઈ રહ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.આદિવાસીઓને બંધારણીય અધિકારો મળે તેવી વ્યવસ્થા રાજ્યપાલ અને ટ્રાયબલ એડવાઇઝરી કમિટી દ્વારા કરવી,નર્મદા જિલ્લાનાં ડેડિયાપાડા તાલુકાના જંગલ વિસ્તારના ગામોને ઇકોલોજીકલી સેંસેટીવ ઝોન તરીકે જાહેર કરવા અને ૭૩ એએની જમીનો છીનવી ધમકી આપતા તત્વો સામે પગલા લેવામાં આવે સહીત ૧૫ માંગણીઓ સ્વીકારમાં આવે તેવી માંગ કરવામાં આવી છે
Read the Next Article

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

New Update
bhupendra

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે પ્રવાસન ખાતા (ઉદ્યોગ અને ખાણ) વિભાગને વહીવટી હુકમ- 3 હેઠળ જમીન તબદીલ કરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં નર્મદા પરિક્રમા આગવી ઓળખ સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે. વમલેશ્વર યાત્રાધામ સહિત નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા અને પરિક્રમાપથના યાત્રાધામોના વિકાસથી ગુજરાત અને મઘ્યપ્રદેશ રાજ્યના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને પડતી વિવિધ મુશ્કેલીઓ હવે ભૂતકાળ બનશે.રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી ખરા અર્થમાં ભરૂચ જિલ્લામાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિકોને પણ તેનો લાભ થનાર છે. નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે મહત્વનો નિર્ણય લઇ જમીન ફાળવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. પ્રવાસન ખાતા દ્વારા વમલેશ્વર ખાતે સર્વે નંબર 553 ની 10091 ચોરસ મીટર જમીન ફાળવવા અંગે સરકારમાં માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું વમલેશ્વર ધાર્મિક સ્થળોમાં ખૂબ વિખ્યાત યાત્રાધામ છે. આ યાત્રાધામ સાથે નર્મદા પરિક્રમા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહીવટી મંજૂર હુકમ 3 હેઠળ તબદીલ કરતા મુખ્યમંત્રીનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે.