ભરૂચ : શ્રવણ ચોકડી પાસે ગોલ્ડન ફેમિલી સ્પાની આડમાં અનૈતિક પ્રવૃત્તિ પર પોલીસના દરોડા,સંચાલકો ફરાર

ભરૂચ શહેર શ્રવણ ચોકડી પાસે આવેલા એશ્વર્યા બંગ્લોઝ શોપીંગ કોમ્પલેક્ષમાં ગોલ્ડન ફેમિલી સ્પાની આડમાં અનૈતિક પ્રવૃત્તિ ધમધમતી હતી,જેના પર A  ડિવિઝન પોલીસે દરોડા પાડ્યા

New Update
  • સ્પાની આડમાં દેહવિક્રયના ધંધાનો પર્દાફાશ

  • ડિવિઝન પોલીસે પાડ્યા દરોડા

  • ડમી ગ્રાહક મોકલીને પોલીસે કર્યો પર્દાફાશ

  • સ્પાનાં સંચાલકોને પોલીસે કર્યા વોન્ટેડ જાહેર

  • સ્પા માંથી એક યુવકની પોલીસે કરી ધરપકડ

ભરૂચ શહેર શ્રવણ ચોકડી પાસે આવેલા એશ્વર્યા બંગ્લોઝ શોપીંગ કોમ્પલેક્ષમાં ગોલ્ડન ફેમિલી સ્પાની આડમાં અનૈતિક પ્રવૃત્તિ ધમધમતી હતી,જેના પર A  ડિવિઝન પોલીસે દરોડા પાડ્યા હતા.

ભરૂચ શહેર વિસ્તારમાં શ્રવણ ચોકડી પાસે આવેલા એશ્વર્યા બંગ્લોઝ ખાતે ગોલ્ડન ફેમિલી સ્પાની આડમાં કુટણખાણુ ધમધમી રહ્યું હતું,જે અંગેની માહિતી ડિવિઝન પોલીસને મળી હતી,પોલીસે ચોક્કસ માહિતીને આધારે ડમી ગ્રાહક મોકલીને દેહવ્યાપારના ધંધાનો પર્દાફાશ કર્યો હતો.

પોલીસે દરોડા પાડીને  સ્પાની આડમાં કુટણખાનુ ચલાવનાર સંચાલક તથા માલિક દેવેન્દ્ર ભીખાભાઇ વાળંદ અને વિપુલ ઉર્ફે ગબ્બરને વોન્ટેડ જાહેર કરીને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.જ્યારે પોલીસે સ્થળ પરથી વાસુદેવ વક્તારામ ધનાજી દવેની ધરપકડ કરીને  તેના વિરૂધ્ધ ધી ઇમોરલ ટ્રાફિકીંગ પ્રિવેન્સન એક્ટ 1956ની કલમ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.અને વોન્ટેડ સ્પા સંચાલકોની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

Read the Next Article

ભરૂચ-દહેજ રોડ પર ભારે વાહનોના પસાર થવા પર પ્રતિબંધનું તંત્રનું જાહેરનામું, 15 દિવસ સુધી અમલીકરણ

ભરૂચ-દહેજ રોડ પર ભોલાવ જંકશનથી શ્રવણ જંક્શન સુધી 6 લેન એલિવેટેડ કોરીડોરનું બાંધકામ ચાલી રહયું હોવાથી ભારદારી વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

New Update
images (3)

ભરૂચ-દહેજ રોડ પર ભોલાવ જંકશનથી શ્રવણ જંક્શન સુધી 6 લેન એલિવેટેડ કોરીડોરનું બાંધકામ ચાલી રહયું હોવાથી ભારદારી વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

28મી જૂનથી 13મી જૂલાઇ એટલે કે 15 દિવસ સુધી જાહેરનામુ અમલમાં રહેશે. આ દિવસો દરમિયાન સવારના 5 થી રાત્રિના 9 વાગ્યા સુધી ભારદારી વાહનોએ ડાયવર્ઝન રૂટ પરથી પસાર થવાનું રહેશે. આ જાહેરનામામાંથી એસ.ટી.બસ, કંપની પેસેન્જર બસ. સ્કુલ બસ, દુધનાં વાહનો, શાકભાજીનાં વાહનો, જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લઈ જતા—આવતા વાહનો તથા જી.જે.16નંબર પ્લેટ ધરાવતા ભારે વાહનો તથા નર્મદા ચોકડીથી ભોલાવ જી.આઈ.ડી.સી. તથા ભોલાવ જી.આઈ.ડી.સી થી નર્મદા ચોકડી સુધી ભારે વાહનો ગુડ્ઝ કેરેજ વાહનો સિવાયનાં વાહનો નર્મદા ચોકડીથી દહેગામ બાયપાસ સુધી તથા દહેગામ બાયપાસથી નર્મદા ચોકડી સુધી સવારના 5 કલાકથી રાત્રિનાં 9 કલાક સુધી આ રસ્તો બંધ કરવામાં આવ્યો છે. દહેજથી વડોદરા તરફ જવા-આવવા માટે રૂટ ડાયવર્ઝન રૂટ દહેજ ટાઉન, આમોદ ચોકડી, કડોદરા ચોકડી, મુલેર ચોકડી, આમોદ, સરભાણ ચોકડી નકકી કરાયો છે. જયારે દહેજથી સુરત તરફ જવા-આવવા માટે રૂટ ડાયવર્ઝન રૂટ દહેજ, રહીયાદ, પખાજણ, વાગરા, વિલાયત, દેરોલ, દયાદરા, નબીપુર રાખવામાં આવ્યો છે. વિલાયતથી વડોદરા અને સુરત તરફ જવા-આવવા માટે વિલાયત ચોકડી, દેરોલ, દયાદરા, નબીપુરના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.