અંકલેશ્વર: સંસ્કારદીપ વિદ્યાલયમાં ઇનામ વિતરણ સમારોહનું કરાયુ આયોજન

ધોરણ 10માં 90 ટકાથી ઉપર લાવનાર વિદ્યાર્થીઓ તેમજ ધોરણ 1 થી 9 ના પ્રથમ, દ્વિતીય, તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા

New Update
Sanskardeep Vidhyalay
અંકલેશ્વરની પુષ્પાવતી દેવીદાસ ટ્રોપ સંસ્કારદીપ વિદ્યાલયમાં ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમાં મુખ્ય મહેમાન પદે  મહેશ પટેલ તથા અતિથિ વિશેષ તરીકે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી નિશિથ સિંહ રણા ઉપસ્થિત રહ્યા હતા.
ધોરણ 10માં 90 ટકાથી ઉપર લાવનાર વિદ્યાર્થીઓ તેમજ ધોરણ 1 થી 9 ના પ્રથમ, દ્વિતીય, તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.
Latest Stories