અંકલેશ્વર : કાંસીયા ગામના પ્રગતિશીલ ખેડૂતે કરી બતાવી ફણસની સફળ ખેતી, અન્ય ખેડૂતો માટે બન્યા પ્રેરણારૂપ
અંકલેશ્વરના કાંસીયા ગામના ખેડૂતએ પોતના ખેતરમાં ફણસની સફળ ખેતી કરી બતાવી છે. ફણસ ખાવામાં બહુ જ સ્વાદિષ્ય હોય છે, અને સાથે જ આ ફળ માનવ શરીર માટે પણ ઘણું ફાયદાકારક હોય છે
પોતાના ખેતરમાં 80 ફૂટ ઊંચા ફણસના વૃક્ષોનું વાવેતર કર્યું
ફણસની ખેતી કરી ખેડૂત મેળવી રહ્યા છે મબલક આવક
ખેડૂત અન્ય ખેડૂતોને પણ ખેતી કરવા આપી રહ્યા છે પ્રેરણા
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના કાંસીયા ગામના પ્રગતિશીલ ખેડૂત ફણસની સફળ ખેતી કરી અન્ય ખેડૂતોને પણ પ્રેરણા આપી રહ્યા છે. કહેવાય છે કે, ખેડૂતો માટે બહુહેતુ ફળપાક એટલે ફણસની ખેતી... જોકે, મોટાભાગના ખેડૂતો દ્વારા ફણસ એટલે કે, જેકફ્રૂટની ખેતી કરવામાં આવે છે. કારણ કે, તેની ખેતી માટે ખેડૂતોએ વધારે મહેનત કરવાની જરૂર પડતી નથી. ફણસનો છોડ ઘણા વર્ષો સુધી ફળ આપે છે. એવામાં જો ખેડૂતો પોતાના ખેતરમાં ફણસની ખેતી કરે, તો તેઓ ઘણા વર્ષો સુધી સરળતાથી મોટી કમાણી કરી શકે છે.ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના કાંસીયા ગામના ખેડૂત અંકુર વસાવાએ પોતના ખેતરમાં ફણસની સફળ ખેતી કરી બતાવી છે.
ફણસના વૃક્ષ 80 ફૂટ સુધી ઊંચા હોય છે. એક વૃક્ષ પર 30થી 35 ફળ લાગે છે. ફણસ ખાવામાં બહુ જ સ્વાદિષ્ય હોય છે, અને સાથે જ આ ફળ માનવ શરીર માટે પણ ઘણું ફાયદાકારક હોય છે. ફણસમાં પ્રોટીન, આયરન, કાર્બોહાઈડ્રેટ, વિટામિન એ, વિટામિન સી, પોટેશિયલ તેમજ ભરપૂર માત્રામાં કેલ્શિયમ મળી આવે છે. જેને આરોગવાથી લોકોમાં રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે, ત્યારે કાંસીયા ગામના ખેડૂત અંકુર વસાવા ફણસની ખેતી કરી મબલક આવક મેળવવા સાથે અન્ય ખેડૂતોને પણ ફણસની ખેતી કરવા પ્રેરણા આપી રહ્યા છે.
ભરૂચ જિલ્લામાં ચોમાસાની શરૂઆત સાથે ખેડૂતોએ ખરીફ વાવેતરની કામગીરી શરૂ કરી છે. અત્યાર સુધીમાં 730 હેક્ટરથી વધુ વિસ્તારમાં પિયત કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે.
ભરૂચ જિલ્લામાં જૂન મહિનાના પ્રથમ સપ્તાહથી ચોમાસુ વાવેતરની શરૂઆત થાય છે. પિયતની સુવિધા ધરાવતા ખેડૂતો સૌ પ્રથમ કપાસનું વાવેતર કરે છે. ગત વર્ષે જૂનના બે સપ્તાહમાં 990 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું હતું. આ વર્ષે પ્રથમ સપ્તાહમાં 551 હેક્ટરમાં વાવેતર થયું છે. પરંતુ પૂરતો વરાપ ન નીકળવાના કારણે આ વર્ષે 439 હેક્ટર ઓછું વાવેતર થયું છે.જોકે બે સપ્તાહ મળીને 730 હેક્ટરમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
ભરૂચ જિલ્લામાં સૌથી વધુ વાવેતર હાંસોટ તાલુકામાં 150 હેક્ટર વિસ્તારમાં થયું છે. વાગરા અને વાલિયા તાલુકામાં હજુ વાવેતરની શરૂઆત થઈ નથી. જૂન મહિનાના અંત સુધીમાં 5 હજાર હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવેતર થવાનું અનુમાન ખેડૂતો લગાવી રહ્યા છે.
ખેડૂતોના જણાવ્યા મુજબ, વરસાદને કારણે ખેતરો વાવેતર માટે તૈયાર કરી દેવામાં આવ્યા છે. કપાસ અને તુવેર જેવા પાકની વાવણી ચાલુ છે. ગત વર્ષે અતિવૃષ્ટિના કારણે પ્રથમ વાવેતર નિષ્ફળ ગયું હતું. આ વર્ષે સારો વરસાદ અને યોગ્ય વરાપ મળે તો સારા પાકની આશા છે. આખી સિઝનમાં 30 ઇંચ જેટલો વરસાદ પડે તો સારો પાક થઈ શકે છે.