વાગરાના સુતરેલ ગામે મકાનમાંથી રૂ.16.13 લાખના માલમત્તાની ચોરી, જુઓ CCTV

ભરૂચના વાગરા તાલુકાના સુતરેલ ગામના ખડકી ફળિયામાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણા તેમજ રોકડા મળી ૧૬.૧૩ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

New Update
  • ભરૂચના વાગરાના સુતરેલ ગામનો બનાવ

  • બંધ મકાનને તસ્કરોએ બનાવ્યું નિશાન

  • રૂ.16.13 લાખના માલમત્તાની ચોરી

  • ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ

  • વાગરા પોલીસે તપાસ શરૂ કરી

Advertisment
ભરૂચના વાગરા તાલુકાના સુતરેલ ગામના ખડકી ફળિયામાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણા તેમજ રોકડા મળી ૧૬.૧૩ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
ભરૂચના વાગરા તાલુકામાં આવેલા સુતરેલ ગામે ખડકી ફળીયા વિસ્તારમાં રહેતા યોગેશચંદ્ર ગોવિંદભાઈ પટેલ પોતાનું મકના બંધ કરી સામાજિક કામ અર્થે કરજણના ગણપતપુરા ગામે ગયા હતા.જ્યાંથી ભરૂચ ખાતે રહેતા તેઓના દીકરા ઘરે ગયા હતા.તે દરમિયાન તસ્કરો ત્રાટકી મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલ સોના-ચાંદીના ઘરેણા તેમજ રોકડા મળી ૧૬.૧૩ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.આ તરફ મકાન માલિકે પોતાના ઘરમાં લગાવેલ સીસીટીવી કેમેરા ચેક કરતા અજાણ્યા તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપતા નજરે પડ્યા હતા.ચોરી અંગે વાગરા પોલીસે ગુનો નોંધી સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી છે.
Advertisment
Read the Next Article

ભરૂચ: મનરેગા કૌભાંડ મામલે પોલીસ તપાસનો ધમધમાટ, કામના રિપોર્ટ પર સહી કરનાર અધિકારીઓ શંકાના ઘેરામાં !

ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મનરેગા અંતર્ગત થયેલા કામોમાં મોટાપાયે ગેરરીતિ સામે આવી છે. સમગ્ર મામલે હવે પોલીસ દ્રારા તપાસ હાથ ધરવામાં આવી છે.

New Update
  • ભરૂચમાં બહાર આવ્યું મનરેગા કૌભાંડ

  • 3 તાલુકામાં કૌભાંડ આચરાયું

  • એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે ફરિયાદ

  • પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

  • અનેક અધિકારીઓ પણ શંકાના ઘેરામાં

Advertisment
ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મનરેગા અંતર્ગત થયેલા કામોમાં મોટાપાયે ગેરરીતિ સામે આવી છે. સમગ્ર મામલે હવે પોલીસ દ્રારા તપાસ હાથ ધરવામાં આવી છે.
ભરૂચ જિલ્લાના ૩ તાલુકાઓમાં મનરેગા હેઠળ દર્શાવાયેલા કામોમાં સંભવિત કૌભાંડના ઈશારા મળતા પોલીસે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સહિત અન્ય સંકળાયેલી કચેરીઓ ધમરોળી છે. કૌભાંડમાં દર્શાવાયેલા કામોના તમામ દસ્તાવેજો પણ પોલીસે કબ્જે લઈ લીધા છે. આ કામોના રિપોર્ટ પર સહી કરનાર ઇજનેરો પણ હવે શંકાના ઘેરામાં આવી ગયા છે. પોલીસ આ ઉપરાંત તમામ અધિકારીઓ અને કર્મચારીઓના નિવેદન લઈ રહી છે જેમના હસ્તાક્ષર હેઠળ ફાઈલો પસાર થઈ હતી. આ તરફ અધિકારીઓ અને કર્મચારીઓ પોલીસને તપાસમાં સહયોગ ન આપતા હોવાનો પણ ગણગણા શરૂ થયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લાના જંબુસર આમોદ અને હાસોટ તાલુકાના ગામોમાં મનરેગા યોજના હેઠળ થયેલા કામોમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરાયો હોવાની એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાઈ છે ત્યારે હવે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ તપાસમાં આવનારા દિવસોમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ થઈ શકે છે
Advertisment