અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત એસવીએમ ગુજરાતી માધ્યમ શાળામાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ

અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત એસવીએમ ગુજરાતી માધ્યમ શાળામાં નર્સરી થી ધોરણ 8 સુધીમાં ભાઈ બહેનના પવિત્ર લાગણીને ઉજાગર કરતા પર્વ રક્ષાબંધનની દબદબાભેર ઉજવણી કરવામાં આવી

New Update
SVM School Rakhi Festival
અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત એસવીએમ ગુજરાતી માધ્યમ શાળામાં રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત એસવીએમ ગુજરાતી માધ્યમ શાળામાં નર્સરી થી ધોરણ 8 સુધીમાં ભાઈ બહેનના પવિત્ર લાગણીને ઉજાગર કરતા પર્વ રક્ષાબંધનની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી.
શાળાના આચાર્ય મિલેન્દ્રસિંહ કેસરોલા તેમજ સુપરવાઇઝર મિતા રીંડાણીના ઉત્સાહવર્ધક માર્ગદર્શન હેઠળ ભારતીય સંસ્કૃતિની ગરિમા જાળવવા ભાઈ બહેનના પવિત્ર શુદ્ધ લાગણીને દર્શાવતા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે નર્સરી થી ધોરણ 8 સુધીના બાળકોમાં બહેનોએ ભાઈઓના માથે કંકુ તિલક કરી રાખડી બાંધી ચોકલેટ ખવડાવી રક્ષાબંધન પર્વની શુભેચ્છા પાઠવી હતી.તેમજ ધોરણ 1 ના વિદ્યાર્થીઓએ સુંદર રક્ષાબંધન ગીત અભિનય સાથે રજૂ કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.
Latest Stories