ભરૂચ: આમોદમાં પુરના પાણી ઓસર્યા બાદ વધુ એક ખતરો, 3 મગર અને 1 અજગરનું રેસ્ક્યુ ઓપરેશન

વન વિભાગની ટીમે આમોદના નાહીયેર ગામ ખાતેથી લગભગ 15 ફૂટના મહાકાય અજગરનું રેસ્ક્યુ કર્યું હતું. તો આ તરફ બત્રીસી તળાવ, વાડીયા અને મંજુલાવાસણા ગામેથી મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું

New Update

ભરૂચના આમોદ નજીકથી પસાર થતી ઢાઢર નદીમાં પૂરના પાણીની ઓસર્યા બાદ હવે મગરનો ખતરો જોવા મળી રહ્યો છે,ત્યારે વન વિભાગની ટીમે ત્રણ મગર અને એક અજગરનું રેસ્ક્યુ ઓપરેશન કર્યું હતું

ભરૂચના આમોદ નજીકથી પસાર થતી ઢાઢર નદીમાં પૂર આવ્યું હતું.હવે નદી કાંઠાના વિસ્તારોમાંથી પૂરનું પાણી ઓસરી રહ્યું છે ત્યારે મગર અને અજગરનો ખતરો જોવા મળી રહ્યો છે,ત્યારે વન વિભાગની ટીમે ત્રણ મગર અને એક અજગરનું રેસ્ક્યુ કર્યું હતું.
વન વિભાગની ટીમે આમોદના નાહીયેર ગામ ખાતેથી લગભગ 15 ફૂટના મહાકાય અજગરનું રેસ્ક્યુ કર્યું હતું. તો આ તરફ બત્રીસી તળાવ, વાડીયા અને મંજુલાવાસણા ગામેથી મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.વન વિભાગની ટીમે મગરનું આરોગ્ય પરીક્ષણ કરી તેને સુરક્ષિત જગ્યાએ છોડી મુક્યા હતા.
Read the Next Article

ભરૂચ: પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ પૂર્વ CM વિજય રૂપાણીને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા, શોકસભાનું કરાયુ આયોજન

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી માટે શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા 

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • ભાજપ દ્વારા શોકસભાનું આયોજન

  • સ્વ.વિજય રૂપાણીને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા

  • ભાજપના આગેવાનો રહ્યા ઉપસ્થિત

  • સ્વ.વિજય રૂપાણીના કાર્યોને યાદ કરાયા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી માટે શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા 
તાજેતરમાં વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી માટે ભરૂચ શહેરમાં શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
શોકસભામાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, જિલ્લાના ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી,પૂર્વ ધારાસભ્ય અને સંઘ પ્રદેશ ભાજપના પ્રભારી દુષ્યંત પટેલ, પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરીયા સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.શોકસભામાં પક્ષના કાર્યકરો તથા વિભિન્ન સમાજના પ્રતિનિધિઓએ પણ હાજરી આપી દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. કાર્યક્રમના અંતે સૌએ પ્રાર્થના કરી સ્વ.વિજય રૂપાણીના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી.