ભરૂચ: નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળામાં કરંટ લાગતા ઋષિકુમારનું મોત

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળામાં કરંટ લાગતા 18 વર્ષીય ઋષિકુમારનું મોત નીપજ્યું હતું

New Update

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળામાં કરંટ લાગતા 18 વર્ષીય ઋષિકુમારનું મોત નીપજ્યું હતું

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળામાં હાલ ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગણેશ પંડાલમાં સ્પીકરના વાયર જોઈન્ટ કરવા માટે ગયેલ 18 વર્ષીય ઋષિકુમાર પ્રિન્સ પાઠકને કરંટ લાગ્યો હતો.આ અંગેની જાણ થતા જ પાઠશાળાના સંચાલકો દ્વારા તેને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જો કે ત્યાં તેનું મોત નિપજ્યું હતું. બનાવની જાણ પરિવારને કરવામાં આવતા સુરતના સચિન વિસ્તારમાં રહેતા ઋષિકુમારના પિતા અને પરિવારના સભ્યો ભરૂચ દોડી આવ્યા હતા. ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે બનાવની વધુ તપાસ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રિન્સ પાઠક કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો અને તે સંગીત તેમજ જ્યોતિષ વિદ્યામાં રુચિ ધરાવતો હતો ત્યારે તેના અકાળે મોતથી પરિવારમાં ગમનો માહોલ જોવા મળી રહ્યો છે
Read the Next Article

ભરૂચ: આમોદના રોંધ ગામ નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, કારમાં સવાર 6 લોકોને ઇજા

ભરૂચના આમોદ તાલુકામાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં છ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. રોધ ગામના પાટિયા પાસે એક ઇકો ગાડી અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતા આ દુર્ઘટના સર્જાઈ હતી,

New Update
MixCollage-27-Jul-2025-09-14-PM-1191

ભરૂચના આમોદ તાલુકામાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં છ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. રોધ ગામના પાટિયા પાસે એક ઇકો ગાડી અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતા આ દુર્ઘટના સર્જાઈ હતી, જેના કારણે થોડા સમય માટે ટ્રાફિક પણ ખોરવાઈ ગયો હતો.

સાંજના સમયે બનેલી આ ઘટનામાં જંબુસર તાલુકાના ઉચ્છદ ગામના રહેવાસીઓ ઇકો ગાડીમાં સવાર હતા તેઓ દેથાણ ગામેથી પરત ફરી રહ્યા હતા ત્યારે રોધ ગામના પાટિયા પાસે તેમની ગાડી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી.આ અકસ્માતમાં ઇકો ગાડીને ભારે નુકસાન થયું હતું અને તેમાં સવાર તમામ છ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત થતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મદદ માટે ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ૧૦૮ની ટીમ તાત્કાલિક પહોંચી ઇજાગ્રસ્તોને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.જોકે ઇજાની ગંભીરતા જોતા, વધુ સારવાર અર્થે તેમને જંબુસરની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.