અંકલેશ્વર-હાંસોટ પંથકમાં પોણો ઇંચ જેટલો કમોસમી વરસાદ, ઠેર ઠેર તારાજીના દ્રશ્યો

ભારે પવન સાથે  કમોસમી વરસાદ વરસ્યો હતો જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. હાલ લગ્નસરાની સિઝન ચાલી રહી છે ત્યારે લગ્ન માટે બાંધવામાં આવેલ મંડપો પણ ઉડી ગયા

New Update
  • અંકલેશ્વર હાંસોટ પંથકમાં વાતાવરણ બદલાયું

  • ભારે પવનથી વાવાઝોડા જેવો અનુભવ

  • ઠેર ઠેર કમોસમી વરસાદ પણ ખાબક્યો

  • બન્ને પંથકમાં સરેરાશ પોણો ઇંચ વરસાદ

  • વૃક્ષ ધરાશાયી થવાની અનેક ઘટના

અંકલેશ્વર અને હાંસોટ પંઠકમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો જેના કારણે તારાજીના દ્રશ્યો જોવા મળ્યા હતા બંને પંથકમાં સરેરાશ 21 મીલીમીટર જેટલો વરસાદ નોંધાયો છે.

અંકલેશ્વર અને હાસોટ પંથકના વાતાવરણમાં ગતરોજ સમી સાંજના સમયે પલટો આવ્યો હતો. ભારે પવન સાથે  કમોસમી વરસાદ વરસ્યો હતો જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. હાલ લગ્નસરાની સિઝન ચાલી રહી છે ત્યારે લગ્ન માટે બાંધવામાં આવેલ મંડપો પણ ઉડી ગયા હતા.

તો બીજી તરફ અંકલેશ્વર હાંસોટ રોડ સહિત અને વિસ્તારોમાં વૃક્ષો ધરાશાય થવાની અનેક ઘટના બની હતી જેના પગલે અંકલેશ્વરથી સુરતને જોડતો સ્ટેટ હાઇવે થોડા સમય માટે બંધ થઈ ગયો હતો અને વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો.તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી આ માર્ગો શરૂ કરાવવામાં આવ્યા હતા.

તો બીજી તરફ ભારે પવનના પગલે વીજળી પણ વેરણ બની હતી. મોડી રાત સુધી વીજળી ડુલ થતાં લોકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં 21 મીલીમીટર જેટલો વરસાદ નોંધાયો હતો. વરસાદના કારણે ખેડૂતોના લલાટે ચિંતાની લકીર જોવા મળી રહી છે.

Read the Next Article

અંકલેશ્વર : ગાંધીજી સાથે જોડાયેલું સ્મારક થઈ ગયું નામશેષ,પોળના માલિકે જર્જરિત ઇમારત ઉતારી લીધી

દેશની આઝાદી સાથે જોડાયેલ અને ખાસ કરીને મીઠાના કાયદાનો ભંગ માટે યોજાયેલ દાંડી યાત્રા સાથે અંકલેશ્વરનું નામ જોડાયેલું હતું.જે હવે મટી જવા પામ્યું છે

New Update
Gandhi Smarak

અંકલેશ્વર શહેરમાં એક માત્ર ગાંધીજી જોડે જોડાયેલ સ્મારક નામશેષ થઈ ગયું છે. જ્યોતિ સિનેમા પાસે આવેલ શ્રીમાળી પોળમાં દાંડી યાત્રા દરમિયાન ગાંધીજીએ રોકાણ કર્યું હતું.પોળ જર્જરિત થતા તેના માલિકો દ્વારા ઉતારી લીધી હતી.દીવાલ પર લાગેલી ગાંધીજી યાદની તકતી પણ તોડી પાડતા હવે દાંડી યાત્રાના કોઈ અવશેષ રહ્યા નહતા. સ્થાનિક નેતાગીરી અને તંત્રની અનદેખીના કારણે ગાંધી વિચારધારાનો અંત આવ્યો હતો.

દેશની આઝાદી સાથે જોડાયેલ અને ખાસ કરીને મીઠાના કાયદાનો ભંગ માટે યોજાયેલ દાંડી યાત્રા સાથે અંકલેશ્વરનું નામ જોડાયેલું હતું.જે હવે મટી જવા પામ્યું છે.દાંડી યાત્રા દરમિયાન ગાંધીજી જે શ્રીમાળી પોળમાં રોકાયા હતા તે પોળ હવે જમીનદોસ્ત થઈ જવા પામી છે. અહીં પોળ જર્જરિત બનતા ભયજનક સ્થિતિમાં મુકાઈ હતી. જે અંગે પાલિકા દ્વારા સમારકામ કે તેને સત્વરે ઉતારી લેવાની તાકીદ કરતી નોટિસ પોળ સંચાલકોને ફટકારી હતી. ત્યારબાદ પોળ સંચાલકો દ્વારા અચાનક આખા શ્રીમાળી પોળ સંકુલને ઉતારી લેવાનો નિર્ણય કરી તેને જમીનદોસ્ત કરી દેવામાં આવી છે.

આ પોળની દીવાલ પર ગાંધીજી દાંડી યાત્રા રોકાણ કર્યું હતું તેની તકતી તંત્ર દ્વારા લગાવી હતી. જોકે તંત્ર પણ તકતી લગાવી ભૂલી ગયું હતું. અને ત્યારબાદ પોળ સંચાલક પણ આ તકતીને તકતી તરીકે ન જોઈને તેને પણ તોડી પાડી હતી. જેને લઇ હવે દાંડી યાત્રા સ્મારક  રૂપે રહેલ એક ઓળખ જમીનદોસ્ત થઇ ગઈ હતી.જેને લઇ ગાંધીજી અને તેમની વિચારધારા સાથે જોડાયેલ અંકલેશ્વર શહેરનું એક માત્ર સ્મારક પણ નષ્ટ થઇ જવા પામ્યું છે.