અંકલેશ્વર-હાંસોટ પંથકમાં પોણો ઇંચ જેટલો કમોસમી વરસાદ, ઠેર ઠેર તારાજીના દ્રશ્યો

ભારે પવન સાથે  કમોસમી વરસાદ વરસ્યો હતો જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. હાલ લગ્નસરાની સિઝન ચાલી રહી છે ત્યારે લગ્ન માટે બાંધવામાં આવેલ મંડપો પણ ઉડી ગયા

New Update
  • અંકલેશ્વર હાંસોટ પંથકમાં વાતાવરણ બદલાયું

  • ભારે પવનથી વાવાઝોડા જેવો અનુભવ

  • ઠેર ઠેર કમોસમી વરસાદ પણ ખાબક્યો

  • બન્ને પંથકમાં સરેરાશ પોણો ઇંચ વરસાદ

  • વૃક્ષ ધરાશાયી થવાની અનેક ઘટના

Advertisment
અંકલેશ્વર અને હાંસોટ પંઠકમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો જેના કારણે તારાજીના દ્રશ્યો જોવા મળ્યા હતા બંને પંથકમાં સરેરાશ 21 મીલીમીટર જેટલો વરસાદ નોંધાયો છે.

અંકલેશ્વર અને હાસોટ પંથકના વાતાવરણમાં ગતરોજ સમી સાંજના સમયે પલટો આવ્યો હતો. ભારે પવન સાથે  કમોસમી વરસાદ વરસ્યો હતો જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. હાલ લગ્નસરાની સિઝન ચાલી રહી છે ત્યારે લગ્ન માટે બાંધવામાં આવેલ મંડપો પણ ઉડી ગયા હતા.

તો બીજી તરફ અંકલેશ્વર હાંસોટ રોડ સહિત અને વિસ્તારોમાં વૃક્ષો ધરાશાય થવાની અનેક ઘટના બની હતી જેના પગલે અંકલેશ્વરથી સુરતને જોડતો સ્ટેટ હાઇવે થોડા સમય માટે બંધ થઈ ગયો હતો અને વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો.તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી આ માર્ગો શરૂ કરાવવામાં આવ્યા હતા.

તો બીજી તરફ ભારે પવનના પગલે વીજળી પણ વેરણ બની હતી. મોડી રાત સુધી વીજળી ડુલ થતાં લોકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં 21 મીલીમીટર જેટલો વરસાદ નોંધાયો હતો. વરસાદના કારણે ખેડૂતોના લલાટે ચિંતાની લકીર જોવા મળી રહી છે.

Advertisment
Read the Next Article

અંકલેશ્વર : અંદાડા ખાતે સંત નિરંકારી મિશન દ્વારા મહારક્તદાન શિબિર યોજાઈ,70 જેટલા રકતદાતાઓએ કર્યું બ્લડ ડોનેટ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામના પટેલ સ્મૃતિ ભવન ખાતે સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દિલ્હી ઝોન દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • અંદાડામાં યોજાઈ મહારક્તદાન શિબિર

  • સંત નિરંકારી મિશન દ્વારા કરાયું આયોજન

  • રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી કરાયું આયોજન

  • 70થી વધુ રક્તદાતાઓએ કર્યું રક્તદાન  

  • સંસ્થા દ્વારા વર્ષમાં બે વખત કરાય છે આયોજન

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામના પટેલ સ્મૃતિ ભવન ખાતે સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દિલ્હી ઝોન દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચની રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી સંત નિરંકારી મિશનના સભ્યો દ્વારા 70થી વધુ યુનિટનું રક્તદાન કરવામાં આવ્યું હતું. આ સંસ્થા દ્વારા વર્ષમાં બે વખત રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે,અને સંસ્થાના સભ્યો ઉત્સાહભેર રક્તદાન કરે છે.

આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી .જેમાં અંદાડા ગામના સરપંચ નીરૂ પટેલ ,સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન ઝોન અંકલેશ્વરના સંયોજક આર પી ગુપ્તા વડોદરાના જ્ઞાનપ્રચારક મહાત્મા ચીમન પરમાર,બબન મહાદિક ,સંત નિરંકારી મિશન અને મંડળના સભ્યો તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.