અંકલેશ્વર-હાંસોટ પંથકમાં પોણો ઇંચ જેટલો કમોસમી વરસાદ, ઠેર ઠેર તારાજીના દ્રશ્યો

ભારે પવન સાથે  કમોસમી વરસાદ વરસ્યો હતો જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. હાલ લગ્નસરાની સિઝન ચાલી રહી છે ત્યારે લગ્ન માટે બાંધવામાં આવેલ મંડપો પણ ઉડી ગયા

New Update
  • અંકલેશ્વર હાંસોટ પંથકમાં વાતાવરણ બદલાયું

  • ભારે પવનથી વાવાઝોડા જેવો અનુભવ

  • ઠેર ઠેર કમોસમી વરસાદ પણ ખાબક્યો

  • બન્ને પંથકમાં સરેરાશ પોણો ઇંચ વરસાદ

  • વૃક્ષ ધરાશાયી થવાની અનેક ઘટના

Advertisment
અંકલેશ્વર અને હાંસોટ પંઠકમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો જેના કારણે તારાજીના દ્રશ્યો જોવા મળ્યા હતા બંને પંથકમાં સરેરાશ 21 મીલીમીટર જેટલો વરસાદ નોંધાયો છે.

અંકલેશ્વર અને હાસોટ પંથકના વાતાવરણમાં ગતરોજ સમી સાંજના સમયે પલટો આવ્યો હતો. ભારે પવન સાથે  કમોસમી વરસાદ વરસ્યો હતો જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. હાલ લગ્નસરાની સિઝન ચાલી રહી છે ત્યારે લગ્ન માટે બાંધવામાં આવેલ મંડપો પણ ઉડી ગયા હતા.

તો બીજી તરફ અંકલેશ્વર હાંસોટ રોડ સહિત અને વિસ્તારોમાં વૃક્ષો ધરાશાય થવાની અનેક ઘટના બની હતી જેના પગલે અંકલેશ્વરથી સુરતને જોડતો સ્ટેટ હાઇવે થોડા સમય માટે બંધ થઈ ગયો હતો અને વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો.તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી આ માર્ગો શરૂ કરાવવામાં આવ્યા હતા.

તો બીજી તરફ ભારે પવનના પગલે વીજળી પણ વેરણ બની હતી. મોડી રાત સુધી વીજળી ડુલ થતાં લોકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં 21 મીલીમીટર જેટલો વરસાદ નોંધાયો હતો. વરસાદના કારણે ખેડૂતોના લલાટે ચિંતાની લકીર જોવા મળી રહી છે.

Advertisment
Read the Next Article

અંકલેશ્વર: કમોસમી વરસાદ સાથે પ્રદૂષણના દ્રશ્યો સામે આવ્યા, રાસાયણિક પાણી ખાડીમાં વહ્યું !

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં સી પમ્પીંગ સ્ટેશન ગેટ અને કેનાલ ઓવરફલો થતા રાસાયણિક પાણી અમરાવતી નદી અને છાપરા ખાડીમાં વહી ગયું જીપીસીબી દ્વારા નમૂના લેવામાં આવ્યા

New Update
  • અંકલેશ્વરમાં કમોસમી વરસાદ

  • કમોસમી વરસાદ સાથે પ્રદૂષણના દ્રશ્યો

  • પ્રદુષિત પાણી ઓવરફ્લો થયું

  • લાખો લીટર પાણી ખાડીમાં વહ્યું

  • જીપીસીબી દ્વારા નમૂના લેવામાં આવ્યા

Advertisment
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં સી પમ્પીંગ સ્ટેશન ગેટ અને કેનાલ ઓવરફલો થતા રાસાયણિક પાણી અમરાવતી નદી અને છાપરા ખાડીમાં વહી ગયું હતું. હજુ ચોમાસુ બેઠું નથી એ પૂર્વે જ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વરસાદી પાણી સાથે રાસાયણિક પાણી વિપુલ માત્રામાં વહી ગયું હતું.10 દિવસમાં બીજી વાર પડેલા માવઠામાં પ્રથમ માવઠામાં અમરાવતી નદીમાં માછલાંના મોત થયા હતા અને હવે બીજા માવઠામાં જળ સંપદા અને જમીન સંપદાને વ્યાપક નુકશાન થવાના દ્રશ્યો સામે આવ્યા છે.
ખાસ કરીને સી પમ્પીંગ સ્ટેશન પાસે નોટીફાઈડ વિભાગ દ્વારા બનાવેલ પાળો અને તેની નજીક મુકેલ ગેટ પર ઓવરફ્લો થઇને ઔદ્યોગિક વસાહતનું રાસાયણિક પાણી ખાડીમાં ધોધ સ્વરૂપે વહી રહ્યું હતું.આ અંગે જીવદયા પ્રેમીઓ જીપીસીબીને જાણ કરતા અધિકારીઓએ ત્વરિત અસરથી સ્થળ પર દોડી આવ્યા હતા અને સેમ્પલ લીધા હતા તેમજ નોટીફાઈડ વિભાગના અધિકારીઓ અને ઉદ્યોગ મંડળને પ્રિ મોન્સૂન કામગીરી અંતર્ગત પાળો ઉંચો કરવા તાકીદ કરવામાં આવી હતી. 
Advertisment