ભરૂચ-અંકલેશ્વર વચ્ચે માત્ર ₹20માં એસ.ટી. બસની સુવિધા શરૂ, MLA રમેશ મિસ્ત્રીના હસ્તે કરાયો પ્રારંભ

ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે એસ.ટી.ની લિંક સેવા આજે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ફરી શરૂ કરવામાં આવી જે દિવસ દરમિયાન કુલ 16 ટ્રિપ્સ ચલાવવામાં આવશે

New Update
  • ભરૂચ અંકલેશ્વર વચ્ચે બસ સેવા શરૂ

  • સીટી લિંક સેવા શરૂ કરવામાં આવી

  • ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે પ્રારંભ

  • 20 રૂપિયામાં મુસાફરી કરી શકાશે

  • વિદ્યાર્થીઓ-નોકરિયાત વર્ગને થશે લાભ

ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે એસ.ટી.ની લિંક સેવાનો નવરાત્રીના પાવન દિવસોમાં ધારાસભ્ય રમેશ મિસ્ટ્રીના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો છે. ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે એસ.ટી.ની લિંક સેવા આજે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ફરી શરૂ કરવામાં આવી છે. એમ.કે. કોલેજના પરિસરમાં યોજાયેલા કાર્યક્રમમાં આ સેવાનો પ્રારંભ કરવામાં આવતા વિદ્યાર્થીઓ અને સ્થાનિકોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો.
ભરૂચના ભોલાવ ડેપોથી શરૂ થતી આ સેવા અંકલેશ્વર, ભડકોદરા, માંડવા, ભોલાવ તેમજ અંકલેશ્વર જી.આઇ.ડી.સી.સુધી વિસ્તરશે. રોજ સવારે 7:15 વાગ્યે પ્રથમ ટ્રિપ ઉપડશે અને દિવસ દરમિયાન કુલ 16 ટ્રિપ્સ ચલાવવામાં આવશે. મુસાફરો માટે ભાડું માત્ર ₹20 નક્કી કરાયું છે, જેના કારણે કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તેમજ જી.આઇ.ડીસીમાં રોજગારી માટે આવતા હજારો કામદારોને રાહત મળશે.
ખાસ કરીને આ બસો નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થતી હોવાથી મુસાફરોનો કિંમતી સમય પણ બચશે.આ પ્રસંગે એમ.કે. કોલેજના આચાર્ય વિજય જોષી, ડેપો મેનેજર વિશાલ છત્રીવાલા, યુવા ભાજપ પ્રમુખ રૂષભ પટેલ, શહેર પ્રમુખ જતીન શાહ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories