-
ભરૂચ-નર્મદા જિલ્લા પાટણવાડીયા-ઠાકોર સમાજ દ્વારા આયોજન
-
ભરૂચ તાલુકાના વગુસણા ગામ ખાતે સમૂહ લગ્નોત્સવ યોજાયો
-
12માં સમૂહ લગ્નોત્સવમાં 5 નવયુગલોએ પ્રભુતામાં ડગ માંડ્યા
-
જિલ્લા ભાજપ પ્રમુખ સહિત સર્વ સમાજના મોભીયોની ઉપસ્થિતિ
ભરૂચ-નર્મદા જિલ્લા પાટણવાડીયા-ઠાકોર સમાજ દ્વારા ભરૂચ તાલુકાના વગુસણા ગામ ખાતે આયોજિત 12માં સમૂહ લગ્નોત્સવમાં 5 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા.
ભરૂચ તાલુકાના વગુસણા ગામ ખાતે ભરૂચ-નર્મદા જિલ્લા પાટણવાડીયા-ઠાકોર સમાજ દ્વારા 12માં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નના પ્રમુખ નિલેશ ઠાકોરની આગેવાનીમાં 5 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આ સમૂહ લગ્ન પ્રસંગમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભાજપ અગ્રણી દિવ્યેશ પટેલ સહિત સર્વ સમાજના મોભીયો તેમજ અગ્રણીઓએ નવયુગલોને આર્શીવાદ આપ્યા હતા. ભરૂચ જિલ્લા પાટણવાડીયા-ઠાકોર સમાજની ટીમ દ્વારા સમૂહ લગ્નને સુચારું આયોજનને લઈને ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.