અંકલેશ્વર એરપોર્ટનું સ્વપ્ન હવે ટૂંક જ સમયમાં થશે સાકાર, ફેઝ-1ની કામગીરી પૂર્ણતાના આરે હોવાનો સરકારનો દાવો

અંકલેશ્વરવાસીઓનું હવે એરપોર્ટનું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે. વિધાનસભા ગૃહમાં પુછાયેલા પ્રશ્નોના જવાબમાં સરકારે અંકલેશ્વર નજીક નિર્માણ પામી રહેલ એરપોર્ટની ફેજ-1ની કામગીરી પૂર્ણતાને આરે હોવાનો જવાબ આપ્યો હતો

New Update
aa

અંકલેશ્વરવાસીઓનું હવે એરપોર્ટનું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે. વિધાનસભા ગૃહમાં પુછાયેલા પ્રશ્નોના જવાબમાં સરકારે અંકલેશ્વર નજીક નિર્માણ પામી રહેલ એરપોર્ટની ફેજ-1ની કામગીરી પૂર્ણતાને આરે હોવાનો જવાબ આપ્યો હતો

Advertisment

ગુજરાત ધીમેધીમે એવિએશન સેક્ટરનું હબ બનતું જાય છે દિન પ્રતિદીન વધી રહેલા પેસેન્જર ટ્રાફિકને કારણે નવા રૂટસ પરની ફલાઇટોની સંખ્યા વધી રહી છે, ગુજરાતમાં નવા એરપોર્ટ બનાવવાની પણ જરૂરીયાત ઉભી થઇ છે, ત્યારે ગુજરાતમાં અંકલેશ્નવર ખાતે નવું એરપોર્ટ આકાર લઇ રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી સ્ટેટ એવિએશન ડિપાર્ટમેન્ટ દ્વારા કામગીરી ચાલી રહી છે.હાલમાં ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે ત્યારે અંકલેશ્વર ખાતે હવાઈ પટ્ટી વિકસાવવા અને સેવાઓ મામલે ગૃહમાં પ્રશ્ન પુછાયો હતો જેના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે ફેઝ- 1ની કામગીરી માર્ચ 2025 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. અત્યાર સુધી ફેઝ -1ની કામગીરી હેઠળ રેન વે બાંધકામ, એપ્રન ,જમીન સમતળની કામગીરી, ટેક્સી વે સહિતની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને બાકીનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વરના વિકસતા ઉદ્યોગોને લઇ એરસ્ટ્રીપ બનાવવાની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા 1993માં કરવામાં આવી હતી. જે બાદ 1994થી જમીન એક્વાયર્ડ કરવા માટે તજવીજ શરુ કરાઇ હતી જે ભાવ તેમજ અન્ય કારણોસર સર્જાયેલ વાદ વિવાદ વચ્ચે 2002 જમીન સંપાદન કરાઈ હતી ત્યારથી અત્યાર સુધી વિવિધ તબક્કા પૂર્ણ થયા બાદ હવે એરપોર્ટનું સ્વપ્ન સાકાર થશે એમ લાગી રહ્યું છે.
Advertisment
Latest Stories