અંકલેશ્વર: ગણેશ સમિતિની પ્રથમ બેઠક યોજાઇ, વિવિધ મુદ્દે કરાય ચર્ચા

અંકલેશ્વર ગણેશ સમિતિની રચના કરવામાં આવી છે જેની આજરોજ પ્રથમ બેઠક યોજાઇ હતી જેમાં વિવિધ પ્રશ્ને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી

New Update

અંકલેશ્વર ગણેશ સમિતિની રચના કરવામાં આવી છે જેની આજરોજ પ્રથમ બેઠક યોજાઇ હતી જેમાં વિવિધ પ્રશ્ને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી

દુદાળા દેવના પર્વ ગણેશ મહોત્સવ નજીક આવી રહ્યો છે ત્યારે અંકલેશ્વરમાં ગણેશ સમિતિની રચના કરવામાં આવી છે જેના પ્રમુખ તરીકે પ્રતીક કાયસ્થ,ઉપપ્રમુખ તરીકે સુરેશ પટેલ,ચંદ્રેશ પટેલ સહિતના આગેવાનોની વરણી કરવામાં આવી છે ત્યારે આજરોજ સમિતિની પ્રથમ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં વિવિધ ગણેશ મંડળોએ ભાગ લીધો હતો અને તેમના તંત્ર,પોલીસ તેમજ દક્ષિણ ગુજરાત વીજ કંપનીને લગતા પ્રશ્નોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સમિતિ દ્વારા આવનારા દિવસોમાં ગણેશ મંડળોને લગતા પ્રશ્નોની તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવશે અને તેનું નિરાકરણ લાવવા પ્રયત્નો હાથ ધરાશે
Latest Stories