ભરૂચમાં વરસાદી પાણી તો ઓસરી ગયા પણ આ ગંદકી કોણ સાફ કરશે?

ભરૂચના ફાંટા તળાવથી કતોપોર બજારને જોડતા માર્ગ પર વરસાદી પાણી ઓસર્યાને 12 કલાકનો સમય વિતી ગયો હોવા છતાં હજુ પણ પરિસ્થિતિ બદતર જોવા મળી રહી છે

New Update

ભરૂચના ફાંટા તળાવથી કતોપોર બજારને જોડતા માર્ગ પર વરસાદી પાણી ઓસર્યાને 12 કલાકનો સમય વિતી ગયો હોવા છતાં હજુ પણ પરિસ્થિતિ બદતર જોવા મળી રહી છે

ભરૂચ શહેરમાં ગતરોજ વરસેલા સાડા સાત ઇંચ વરસાદના પગલે વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. જેમાં ભરૂચના ફાટા તળાવથી કતોપોર બજાર સુધીના માર્ગ પર પણ વરસાદી પાણી ભરાયા હતા. છેલ્લા 12 કલાકથી વરસાદે વિરામ લીધો છે અને પાણી ઓસરી ગયા છે પરંતુ આ વિસ્તારમાં હજુ પણ પરિસ્થિતિ બદતર જોવા મળી રહી છે. આ વિસ્તારમાં ઠેર ઠેર કચરાના ઢગ જોવા મળી રહ્યા છે તો માર્ગો બિસ્માર બન્યા છે.

વરસાદી પાણી ઓસરીયાને 12 કલાકથી વધુનો સમય થયો હોવા છતાં તંત્ર દ્વારા કોઇ જ કામગીરી કરવામાં આવી નથી.સાફ-સફાઈ ન કરાતા વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની પણ દહેશત વર્તાય રહી છે.આ વિસ્તારનો માર્ગ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હતો પરંતુ વારંવાર વરસાદી પાણી ભરાઈ જતા માર્ગ વધુ બિસ્માર બન્યો છે. નગર સેવા સદનને વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં તેઓના પ્રશ્નોનું કોઈ નિરાકરણ ન આવતું હોવાના આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે

Read the Next Article

ભરૂચ : વરસાદની તોફાની બેટિંગથી શહેર વિસ્તારમાં પાણી ભરાતા હાલાકી,વાહન ચાલકો માટે સર્જાય મુશ્કેલી,જનજીવન અસ્તવ્યસ્ત

ગુજરાત રાજ્યમાં હવામાન ખાતા દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. સોમવારની સવારથી જ વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબક્યો હતો

New Update
  • ભરૂચ જિલ્લામાં વરસાદની તોફાની ઈનિંગ

  • શહેરમાં દોઢ ઇંચ વરસાદથી જળબંબાકાર

  • વિવિધ વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી

  • અંકલેશ્વર-હાંસોટમાં એક એક ઇંચ વરસાદ ખાબક્યો

  • જાહેર માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી  

ભરૂચ જિલ્લામાં સોમવારની શુભ શરૂઆત મુશળધાર વરસાદથી થઇ હતી,અને સેવાશ્રમ,પાંચબત્તી,કસક,ગાંધી બજાર ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો તેમજ વેપારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

ગુજરાત રાજ્યમાં હવામાન ખાતા દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. સોમવારની સવારથી જ વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબક્યો હતો,જ્યારે ભરૂચ જિલ્લામાં પણ મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી.જાણવા મળ્યા મુજબ ભરૂચમાં દોઢ ઇંચ જ્યારે અંકલેશ્વર અને હાંસોટમાં એક - એક ઇંચ વરસાદ ખાબક્યો હતો.અને ભરૂચ શહેરમાં જળબંબાકારની જેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી.ભારે વરસાદને પગલે જનજીવન પણ પ્રભાવિત થયું હતું.

ભરૂચ શહેરના પાંચબત્તી,સેવાશ્રમ રોડ,ગાંધી બજાર ચાર રસ્તા,કસક સહિતના વિસ્તારોમાં વરસાદી પાણીએ જમાવટ કરતા વાહન ચાલકો સહિત વેપારીઓએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.અને દર વર્ષે વરસાદની મોસમમાં આ માર્ગો પર વરસાદી પાણી ભરાય છે,ત્યારે પાલિકા તંત્ર દ્વારા આ ઘટના સંદર્ભે યોગ્ય કામગીરી કરવામાં તેવી માંગ  ઉઠવા પામી હતી.