ઝઘડિયા : SOUને જોડતો માર્ગ બન્યો બિસ્માર,સાંસદ મનસુખ વસાવાએ સ્થળ નિરીક્ષણ કરીને યોગ્ય રીતે પેચવર્ક કરવાની આપી સૂચના

વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો માર્ગ બિસ્માર બન્યો છે. માર્ગ પર ઠેર ઠેર જીવલેણ ખાડાઓ પડતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે

New Update
  • SOU માર્ગ બન્યો ખખડધજ

  • ઝઘડિયાથી ઉમલ્લા સુધીનો માર્ગ બન્યો બિસ્માર

  • ખખડધજ માર્ગથી વાહન ચાલકો પરેશાન

  • માર્ગ પર પડ્યા છે ઠેર ઠેર ખાડા  

  • સાંસદે સ્થળ નિરીક્ષણ કરીને જરૂરી સૂચના આપી

ભરૂચ જિલ્લાના ઝઘડિયામાંથી પસાર થતો સરદાર પ્રતિમાને જોડતો રસ્તો અત્યંત બિસ્માર બનતા વાહનચાલકો માટે મુશ્કેલરૂપ પરિસ્થિતિ સર્જાય છે,માર્ગ અંગેની ઉઠેલી ફરિયાદોને પગલે સાંસદ મનસુખ વસાવાએ પણ સ્થળ નિરીક્ષણ કરીને યોગ્ય રીતે પેચવર્ક કરવા અંગે સૂચનાઓ આપી હતી.

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતો વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો માર્ગ બિસ્માર બન્યો છે.ઠેર ઠેર જીવલેણ ખાડાઓ પડતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે.ત્યારે રાજપારડી ચાર રસ્તા નજીક તંત્ર દ્વારા પેચવર્ક કરવામાં આવી રહ્યું છે. 

જે કામનું ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ નિરીક્ષણ કર્યું હતું અને આ પેચવર્કમાં વપરાયેલ પથ્થરો કાચા હોવાનું તેઓએ જણાવ્યુંહતું.તેમજઆ અંગે યોગ્ય રજૂઆત કરીને યોગ્ય રીતે પેચવર્કની કામગીરી કરવા માટે સૂચના આપી હતી.વધુમાં સાંસદે આ માર્ગને સિક્સ લેનની મંજૂરી મળી ગઈ છે તેમ જણાવ્યું હતું

ઉલ્લેખનીય છે કે ઝઘડિયાથી કેવડિયાSOU માર્ગ તરીકે ઓળખાતો માર્ગ પહેલીવાર ખખડધજ નથી થયો,આ માર્ગ પર ખાડા પડવા કોઈ નવી વાત નથી,ત્યારે એક તરફ જ્યાં રોડને સિક્સ લેન બનાવવાની વાત છે તો બીજી તરફ ફોરલેન માર્ગનાં જ ઠેકાણા ન હોય સ્થાનિકો વર્તમાનમાં જે માર્ગ છે એ માર્ગ જ સારો બને તેવી માંગ કરી રહ્યા છે.

Read the Next Article

ભરૂચ : જિલ્લા જેલમાંથી આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદીની 14 વર્ષ બાદ વહેલી મુક્તિથી પરિવારજનોમાં ખુશી

 ભરૂચ જિલ્લા જેલ ખાતે મર્ડર કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદી (કેદી ક્રમાંક 35359) નવીન ઝીણાભાઈ પટેલને રાજ્ય સરકારના નિર્ણય મુજબ આજે વહેલી મુક્તિ મળી હતી.

New Update

આજીવન કેળના કેદીની મુક્તિ

14 વર્ષ બાદ જેલમાંથી મળી મુક્તિ

જેલ અધિક્ષક દ્વારા કરવામાં આવી કાર્યવાહી

સારા વર્તનથી જેલમાંથી મળી મુક્તિ

પરિવારજનોમાં સર્જાયા લાગણીસભર દ્રશ્યો

ભરૂચ જિલ્લા જેલ ખાતે મર્ડર કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદી (કેદી ક્રમાંક 35359) નવીન ઝીણાભાઈ પટેલને રાજ્ય સરકારના નિર્ણય મુજબ આજે વહેલી મુક્તિ મળી હતી. તેમણે અત્યાર સુધી 14 વર્ષથી વધુ સમય જેલમાં વિતાવ્યા હતા અને સમગ્ર અવધિ દરમિયાન તેમનું વર્તન ઉત્તમ રહ્યું હતું.

જેલ અધિક્ષકે જણાવ્યું હતું કેભારતીય ન્યાય સંહિતા (B.N.S.S.)ની કલમ-473 મુજબ પાત્રતા ધરાવતા કેદીની વહેલી મુક્તિ માટે જેલ અધિક્ષક વી.એમ.ચાવડાએ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. સંબંધિત અધિકારીઓ અને જેલ સલાહકાર સમિતિ પાસેથી હકારાત્મક અભિપ્રાય મેળવી સરકારને દરખાસ્ત મોકલવામાં આવી હતી. રાજ્ય સરકારે બાકી રહેલી સજા માફ કરી તેમને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.જેલ બહાર આવતા જ નવીન  પટેલને મળવા તેમના પરિવારજનો અને સ્નેહીજનો હાજર રહ્યા હતા. લાંબા વિરામ પછી મળતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા અને ખુશીની લહેર જોવા મળી હતી.જેલ અધિક્ષકે તેમને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવીને વિદાય આપી હતી.