આમોદ નગરપાલિકાનાં સફાઇ કામદારો છેલ્લા કેટલાક દિવસોથી તેમની માંગણીઓને લઈ ધરણા પર ઉતર્યા છે
જેને લઇ સમગ્ર આમોદ પંથકમાં રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે.આ પરિસ્થિતિ સામે તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવે તે માટે વેપારીઓ દ્વારા નગરપાલિકાને આવેનદન પત્ર પાઠવીને માંગ કરી હતી.
આમોદ નગરપાલિકાના સફાઇ કામદારોના સમર્થનમાં આજરોજ આમોદ નગર વેપારી એસોસીએશન દ્વારા નગરપાલિકા પ્રમુખની તેમજ નગરપાલિકાનાં મુખ્ય અધિકારીને સંબોધીને આવેદન પત્ર આપ્યું હતું.જેમાં આમોદ નગરમાં પાયાની સુવિધા મળી રહે અને સફાઇ કામદારોનો પ્રશ્ન વહેલી તકે હલ કરી સફાઇ અભિયાન હાથ ધરે તેવી માંગ કરી હતી.