અંકલેશ્વર : રેલવે સ્ટેશન વિસ્તારમાં પોલીસ ચોકી પાસે જ મોબાઈલ શોપમાંથી રૂ.66000ના મુદ્દામાલની ચોરીથી ચકચાર

અંકલેશ્વરમાં આવેલ ભવાની મોબાઈલ શોપને તસ્કરોએ નિશાન બનાવી હતી.રાત્રી દરમિયાન દુકાનના છતનું પતરૂ તોડીને તસ્કરો અંદર પ્રવેશ્યા હતા,અને ચોરીને અંજામ આપીને ફરાર થઇ ગયા

New Update
  • શહેર પોલીસને તસ્કરોનો ખુલ્લો પડકાર

  • રેલવે સ્ટેશન પાસેની ભવાની મોબાઈલ શોપમાં ચોરી

  • પોલીસ ચોકી નજીક જ બન્યો બનાવ

  • અજાણ્યા તસ્કરોએ ચોરીને આપ્યો અંજામ

  • રૂ.66,587ના મુદ્દામાલની ચોરી

અંકલેશ્વર શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ એક મોબાઈલ શોપને તસ્કરોએ નિશાન બનાવી હતી,અને પોલીસ ચોકી નજીકમાં જ આવેલ મોબાઈલ શોપનું પતરૂ તોડીને દુકાનમાં ચોરીને અંજામ આપીને ચોર ફરાર થઇ ગયા હતા.

અંકલેશ્વર શહેર વિસ્તારમાં રેલવે સ્ટેશન પાસે અને પોલીસ ચોકી નજીકમાં જ આવેલ ભવાની મોબાઈલ શોપને તસ્કરોએ નિશાન બનાવી હતી.રાત્રી દરમિયાન દુકાનના છતનું પતરૂ તોડીને તસ્કરો અંદર પ્રવેશ્યા હતા,અને ચોરીને અંજામ આપીને ફરાર થઇ ગયા હતા.આ ઘટના અંગેની જાણ દુકાન માલિક પ્રભુરામ દ્વારા શહેર ડિવિઝન પોલીસ મથકમાં કરવામાં આવતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો.

અને ડિવિઝન પોલીસ સાથે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાય હતી. આ ઉપરાંત પોલીસે તસ્કરોનું પગેરૂ મેળવવા માટે ડોગ સ્કવોર્ડની પણ મદદ લીધી હતી.શહેર A ડિવિઝન પોલીસે જુદી જુદી કંપનીના 12 નંગ મોબાઈલ ફોન કિંમત રૂપિયા 66,587ના મુદ્દામાલની ચોરી અંગે ફરિયાદ દર્જ કરીને વધુ તપાસ શરૂ કરી હતી.

 

#મોબાઈલ શોપ #Mobile Shop #Mobile Chori #Ankleshwar News #Ankleshwar police
Latest Stories
Read the Next Article

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલન...

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

New Update
bhupendra

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે પ્રવાસન ખાતા (ઉદ્યોગ અને ખાણ) વિભાગને વહીવટી હુકમ- 3 હેઠળ જમીન તબદીલ કરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં નર્મદા પરિક્રમા આગવી ઓળખ સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે. વમલેશ્વર યાત્રાધામ સહિત નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા અને પરિક્રમાપથના યાત્રાધામોના વિકાસથી ગુજરાત અને મઘ્યપ્રદેશ રાજ્યના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને પડતી વિવિધ મુશ્કેલીઓ હવે ભૂતકાળ બનશે.રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી ખરા અર્થમાં ભરૂચ જિલ્લામાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિકોને પણ તેનો લાભ થનાર છે. નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે મહત્વનો નિર્ણય લઇ જમીન ફાળવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. પ્રવાસન ખાતા દ્વારા વમલેશ્વર ખાતે સર્વે નંબર 553 ની 10091 ચોરસ મીટર જમીન ફાળવવા અંગે સરકારમાં માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું વમલેશ્વર ધાર્મિક સ્થળોમાં ખૂબ વિખ્યાત યાત્રાધામ છે. આ યાત્રાધામ સાથે નર્મદા પરિક્રમા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહીવટી મંજૂર હુકમ 3 હેઠળ તબદીલ કરતા મુખ્યમંત્રીનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે.