ભરૂચમાં “વિજકાપ” : 11 KV સોનેરી મહેલ ફીડર પર અગત્યના સમારકામ હેતુ આવતીકાલે વીજ પુરવઠો મળશે નહીં..!

ભરૂચ શહેરમાં 11 KV સોનેરી મહેલ ફીડર પર અંડર ગ્રાઉન્ડ કેબલ ચાર્જ કરવાની કામગીરી તથા અગત્યનું સમારકામ કરવાનું હોવાથી સવારે 9થી બપોરે 3 કલાક સુધી વિજકાપ રેહશે

New Update
power cut
ભરૂચ શહેરના 11 KV સોનેરી મહેલ ફીડર પર અગત્યના સમારકામ હેતુ આવતીકાલે તા. 23 મેં-2025 શુક્રવારના રોજ વીજ ગ્રાહકોને 6 કલાક સુધી વીજ પુરવઠો મળશે નહીં. જેની સર્વે ગ્રાહકોએ નોંધ લેવા DGVCL દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
આવતીકાલે તા. 23મી મેં-2025 શુક્રવારના રોજ દક્ષિણ ગુજરાત વીજ કંપની લી. દ્વારા ભરૂચ શહેરમાં 11 KV સોનેરી મહેલ ફીડર પર અંડર ગ્રાઉન્ડ કેબલ ચાર્જ કરવાની કામગીરી તથા અગત્યનું સમારકામ કરવાનું હોવાથી સવારે 9થી બપોરે 3 કલાક સુધી શટડાઉન રાખવામાં આવ્યું છે. જેના પગલે ભરૂચ જિલ્લા પંચાયત કચેરી, મિલેનિયમ માર્કેટ, મોદી કમ્પાઉન્ડ, પરમાર બુટ હાઉસ, શાસ્ત્રી માર્કેટ, 7-X, ડુમવાડ, સોનેરી મહેલ પાણીની ટાંકી વિસ્તાર, આચારવાડ રોડ, ગોલવાડ, ભોયવાડ, એદ્રુસ રોડ, નવાડેરા, લાલભાઇની પાટ, લલ્લુભાઇ ચકલા, સોનેરી મહેલ પોલીસ સ્ટેશન તથા આજુબાજુના વિસ્તારને આવરી લેવામાં આવ્યો છે. જોકે, વીજ નિગમ દ્વારા 6 કલાક બાદ કામગીરી પૂર્ણ થયે તાત્કાલિક વીજ ગ્રાહકોને કોઈપણ જાતની જાણ કર્યા વગર વીજ પુરવઠો રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવશે.