ભરૂચ જિલ્લાના તવરા ગામે ધારાસભ્યની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા યોજાઈ

ભરૂચ તાલુકાના તવરા ગામ ખાતે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું,

New Update

ભરૂચ તાલુકાના તવરા ગામ ખાતે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં ભરૂચ તેમજ વાગરાના ધારાસભ્યો સહિત આગેવાનો તેમજ ગ્રામજનો જોડાયા હતા.

ભરૂચ "હર ઘર તિરંગા" કાર્યક્રમ અંતર્ગત તવરા ગામે વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રાણા અને ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં નવા તવરા થી તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. જે તિરંગા યાત્રા નવા તવરા ગામના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ જૂના તવરા ગામના પાંચ દેવી મંદિરે પહોંચી હતી. વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રાણા અને ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી સાથે આગેવાનો તેમજ  મોટી સંખ્યામાં ગ્રામજનો યાત્રામાં જોડાયા હતા. અને યાત્રામાં જોડાયેલા લોકોએ પાંચ દેવી મંદિરમાં દર્શન કર્યા બાદ તિરંગા યાત્રાનું સમાપન થયું હતું.
Read the Next Article

અંકલેશ્વર: તંત્રએ કર્યું બુદ્ધિનું પ્રદર્શન, પીલુદ્રા ગામે વરસતા વરસાદ વચ્ચે કરી RCC રોડની કામગીરી

અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારમાં તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે.અંકલેશ્વર તાલુકાના પીલુદરા ગામ ખાતે છેલ્લા કેટલાક સમયથી આરસીસી

New Update
Screenshot_2025-07-30-07-26-48-21_92460851df6f172a4592fca41cc2d2e6

અંકલેશ્વર તાલુકાના પીલુદરા ગામમાં ચાલુ વરસાદે આરસીસી રોડનું કામ ચાલુ હોવાનો વિડીયો વાયરલ થયો છે.

અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારમાં તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે.અંકલેશ્વર તાલુકાના પીલુદરા ગામ ખાતે છેલ્લા કેટલાક સમયથી આરસીસી રોડની કામગીરી ચાલી રહી છે ત્યારે ગતરોજ વરસતા વરસાદ વચ્ચે પણ આ રોડની કામગીરી ચાલુ જ રાખવામાં આવી હતી જેના પગલે કામની ગુણવત્તા સામે અનેક સવાલો ઉભાગ થયા છે. વરસતા વરસાદ વચ્ચે આરસીસી રોડનું કામ ચાલુ હોય તેવા વિડિયો પણ વાયરલ થયા છે. વરસતા વરસાદ વચ્ચે આ કામગીરી કરાતા તેની ગુણવત્તા સામે પણ સવાલ ઊભા થયા છે.પાણી વચ્ચે કરાયેલી કામગીરી કેટલા સમય ટકશે તે પ્રશ્ન ઉઠી રહ્યા છે ત્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ બાબતે જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે