ભરૂચ જિલ્લાના તવરા ગામે ધારાસભ્યની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા યોજાઈ

ભરૂચ તાલુકાના તવરા ગામ ખાતે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું,

New Update

ભરૂચ તાલુકાના તવરા ગામ ખાતે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં ભરૂચ તેમજ વાગરાના ધારાસભ્યો સહિત આગેવાનો તેમજ ગ્રામજનો જોડાયા હતા.

Advertisment W3.CSS
ભરૂચ "હર ઘર તિરંગા" કાર્યક્રમ અંતર્ગત તવરા ગામે વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રાણા અને ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં નવા તવરા થી તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. જે તિરંગા યાત્રા નવા તવરા ગામના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ જૂના તવરા ગામના પાંચ દેવી મંદિરે પહોંચી હતી. વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રાણા અને ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી સાથે આગેવાનો તેમજ  મોટી સંખ્યામાં ગ્રામજનો યાત્રામાં જોડાયા હતા. અને યાત્રામાં જોડાયેલા લોકોએ પાંચ દેવી મંદિરમાં દર્શન કર્યા બાદ તિરંગા યાત્રાનું સમાપન થયું હતું.
Read the Next Article

અંકલેશ્વર : સુરવાડી ગામે દસ દિવસથી વીજ પુરવઠો ખોરવાતા ખેડૂતોમાં રોષ,નિયમિત પાણી ન મળતા ઉભો પાક સુકાઈ જવાની ભીતી

સુરવાડી ગામમાં અનિયમિત વીજ પુરવઠાથી લોકો પરેશાન થઇ ગયા છે.જ્યારે એગ્રીકલ્ચર લાઈનમાં 8 કલાક મળતો વીજ પુરવઠો પણ ખોરવાય જતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો

author-image
By Connect Gujarat Desk
New Update
  • અનિયમિત વીજ પુરવઠાએ ખેડૂતોમાં ચિંતા વધારી

  • વીજળી ખોરવાતા સિંચાઇની સમસ્યા પણ ઘેરી બની

  • ખેતરમાં ઉભા પાકમાં પાણી આપવું બન્યું મુશ્કેલ

  • છેલ્લા દસ દિવસથી નથી મળી રહી વીજળી

  • ખેડૂતોની રજૂઆત બાદ પણ સમસ્યા યથાવત 

Advertisment W3.CSS

અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામ ખાતે છેલ્લા દસ દિવસથી વીજ પુરવઠો ખોરવાયો છે,જેના કારણે એગ્રીકલ્ચર લાઈનમાં 8 કલાક મળતી વીજળી પણ ખેડૂતોને મળી રહી નથી,અને ખેતર માં ઉભો પાક સુકાઈ જવાની ભીતી ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.

અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામમાં અનિયમિત વીજ પુરવઠાથી લોકો પરેશાન થઇ ગયા છે.જ્યારે એગ્રીકલ્ચર લાઈનમાં 8 કલાક મળતો વીજ પુરવઠો પણ ખોરવા જતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.ખેડૂતો દ્વારા આ અંગે દક્ષિણ ગુજરાત વીજ કંપની લી.ખાતે રજૂઆત  બાદ પણ તેઓની સમસ્યાનું કોઈજ નિરાકરણ આવ્યું નથી.ખેતરમાં ઉભા પાકમાં સિંચાઈ માટે પાણી પણ તેઓ વીજ પુરવઠાના અભાવે આપી શકતા નથી.ત્યારે ઉભો પાક સુકાઈ ન જાય તે માટે ખેડૂતો દ્વારા પ્લાસ્ટિકના ડબ્બાથી પાકમાં પાણી નાખવાની નોબત આવી છે.