ભરૂચ જિલ્લાના તવરા ગામે ધારાસભ્યની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા યોજાઈ

ભરૂચ તાલુકાના તવરા ગામ ખાતે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું,

New Update

ભરૂચ તાલુકાના તવરા ગામ ખાતે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં ભરૂચ તેમજ વાગરાના ધારાસભ્યો સહિત આગેવાનો તેમજ ગ્રામજનો જોડાયા હતા.

ભરૂચ "હર ઘર તિરંગા" કાર્યક્રમ અંતર્ગત તવરા ગામે વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રાણા અને ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં નવા તવરા થી તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. જે તિરંગા યાત્રા નવા તવરા ગામના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ જૂના તવરા ગામના પાંચ દેવી મંદિરે પહોંચી હતી. વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રાણા અને ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી સાથે આગેવાનો તેમજ  મોટી સંખ્યામાં ગ્રામજનો યાત્રામાં જોડાયા હતા. અને યાત્રામાં જોડાયેલા લોકોએ પાંચ દેવી મંદિરમાં દર્શન કર્યા બાદ તિરંગા યાત્રાનું સમાપન થયું હતું.
Latest Stories