ભરૂચ : પાલિકાના રોજમદાર કર્મચારીનું ફરજ પર મોત થતાં આદિવાસી સમાજ દ્વારા સહાયની કરાઈ માંગ

ભરૂચ નગરપાલિકાના વોટર વર્કસના રોજમદાર કર્મચારી શંભુ વસાવા ત્રણ દિવસ પૂર્વે સોનેરી મહેલ પાણીની ટાંકી ખાતે ફરજ પર હતા.ત્યાં તેઓની તબિયત લથડી હતી

New Update
  • પાલિકા કર્મચારીનું ફરજ દરમિયાન નીપજ્યું હતું મોત

  • 27 વર્ષથી રોજમદાર તરીકે ફરજ નિભાવતા હતા

  • પરિવારને આર્થિક સહાય ચૂકવવા ઉઠી માંગ

  • આદિવાસી સમાજ દ્વારા પાલિકા તંત્રને કરાઈ રજૂઆત

  • પાલિકા પ્રમુખે આપ્યો સકારાત્મક પ્રત્યુત્તર 

Advertisment

 ભરૂચ નગરપાલિકાના રોજમદાર કર્મચારીનું ફરજ દરમિયાન મોત નીપજ્યું હતું,જે ઘટનામાં આદિવાસી સમાજ દ્વારા મૃતકના પરિવારને સહાય આપવા માટેની માંગ કરવામાં આવી હતી.

ભરૂચ નગરપાલિકાના રોજમદાર કર્મચારીનું ફરજ પર મોત થતાં આદિવાસી સમાજ દ્વારા પરિવારને સહાય માટેની માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી.નગરપાલિકાના વોટર વર્કસના રોજમદાર કર્મચારી શંભુ વસાવા ત્રણ દિવસ પૂર્વે સોનેરી મહેલ પાણીની ટાંકી ખાતે ફરજ પર હતા.ત્યાં તેઓની તબિયત બગડતા તેઓને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.

જ્યાં તેઓને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.શંભુ વસાવા છેલ્લા 27 વર્ષથી રોજમદાર તરીકે ફરજ બજાવતા હતા.તેઓને સારવાર માટે લઇ જવામાં આવતા પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા  હતા.જોકે તે બાદ તેમના પરિવારને સાંત્વના પાઠવવા કે સહાય માટે કોઈ પણ નહિ ફરકતા આદિવાસી સમાજમાં નારાજગી સાથે રોષ જોવા મળી રહ્યો છે. 

મૃતકના પુત્ર રાહુલે તેના પિતાએ અકસ્માત બાદ બ્રેઈન હેમરેજ હોવા અંગે  રજૂઆત કરી હતી,પણ તેમની બદલી કરવામાં ન આવી  હોવાનો આક્ષેપ કરી પરિવારની કોઈ ખબર પણ પૂછવામાં આવી ન હોવાનું કહ્યું હતું.જેના પગલે પાલિકા સભ્ય હેમેન્દ્ર કોઠીવાલા સહિત અન્ય અગ્રણીઓ તેમજ આદિવાસી સમાજના લોકો  મૃતકના પુત્ર અને પરિવાર સાથે  પાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા.

જોકે પ્રમુખ,ચીફ ઓફિસર કે અન્ય હોદ્દેદારો ન મળતા આ અંગે સેક્રેટરીને રજૂઆત કરવા સાથે પાલિકા પ્રમુખને ટેલીફોનીક રજૂઆત કરી પરિવારને સહાય માટેની માંગણી અને લાગણી દર્શાવી હતી.જેના સકારાત્મક પ્રત્યુત્તર પ્રમુખ દ્વારા આપવામાં આવ્યો હોવાનું હેમેન્દ્ર કોઠીવાલાએ જણાવ્યું હતું.

Advertisment
Read the Next Article

ભરૂચ : સાવરણી વેચીને જીવન ગુજારતા વૃદ્ધ દંપતી તબિયત બગડતાં રસ્તા પર ઢળી પડ્યા, શંકાસ્પદ કોરોના લક્ષણો જોઈ હોસ્પિટલ ખસેડાયા

ભરૂચના મુલદ ચોકડી વિસ્તારમાં લુણાવાડાના મૂળ રહેવાસી અને હાલ સાવરણી વેચીને પોતાનું જીવન નિર્વાહ કરતા વૃદ્ધ દંપતી અચાનક તબિયત બગડતાં રસ્તા પર ઢળી પડ્યા હતા.

New Update
ભરૂચ 1222

ભરૂચના  મુલદ ચોકડી વિસ્તારમાં લુણાવાડાના મૂળ રહેવાસી અને હાલ સાવરણી વેચીને પોતાનું જીવન નિર્વાહ કરતા વૃદ્ધ દંપતી અચાનક તબિયત બગડતાં રસ્તા પર ઢળી પડ્યા હતા.

Advertisment

આ ઘટના સમયે ત્યાં નજીક રિક્ષા લઈને ઉભેલા શખ્સે માનવતા દેખાડી અને તત્કાલ ભરૂચ 108 ઇમરજન્સી સેવાને જાણ કરી હતી.108 ની ટીમ ઘટનાસ્થળે તરત પહોંચી અને દંપતીને પ્રાથમિક સારવાર આપી. આ દરમિયાન તેમનામાં શંકાસ્પદ કોરોના વાયરસના લક્ષણો જોવા મળતાં, સલામતીના પગલાં તરીકે બંનેને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.હાલ સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા દર્દીઓની વધુ તપાસ અને કોરોના રિપોર્ટ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

Advertisment