ભરૂચ એબીસી ચોકડી નજીક માર્ગ પર ખાડાના કારણે ટ્રકે પલટી મારી, તો વ્હોરવાડમાં મકાનની દીવાલ થઈ ધરાશાયી

અવિરત વરસાદના પગલે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે, ત્યારે ભરૂચની દલાલ સ્કૂલ નજીક વ્હોરવાડ વિસ્તારમાં એક મકાનની દીવાલ ધરાશાયી થઈ હતી. વ્હોરવાડ વિસ્તારમાં આવેલ એક જુના મકાનની એક બાજુની દીવાલ ધરાશાયી થઈ તૂટી પડી

New Update

શહેર તથા જિલ્લામાં અવિરત વરસતો વરસાદ

વરસાદના પગલે રોડ-રસ્તા પર મસમોટા ખાડા

એબીસી ચોકડી નજીક માર્ગ પર ટ્રક પલટી મારી

વ્હોરવાડમાં મકાનની દીવાલ અચાનક ધરાશાયી

પાલિકાના ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા

ભરૂચ શહેરમાં અવિરત વરસાદના પગલે બિસ્માર રોડ-રસ્તા પરના મસમોટા ખાડાના કારણે એબીસી ચોકડી નજીક માર્ગ પર ખાડામાં માલવાહક ટ્રક પલટી મારી ગઈ હતી. તો બીજી તરફવ્હોરવાડ વિસ્તારમાં મકાનની દીવાલ ધરાશાયી થતાં પાલિકાના ફાયર ફાઇટરો દોડ્યા હતા.

ગુજરાત રાજ્યમાં રવિવારથી શરૂ થયેલો ધોધમાર વરસાદ સતત ત્રીજા દિવસે પણ યથાવત રહ્યો છેત્યારે ભરૂચ શહેર તથા જીલ્લામાં પણ અવિરત વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે. આ સાથે જ રોડ-રસ્તા પરના મસમોટા ખાડના પગલે અનેક વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

તેવામાં ભરૂચ શહેરની એબીસી ચોકડી નજીક માર્ગ પર પડેલા મોટા મોટા ખાડાના કારણે માલવાહક ટ્રક પછડાતા અચાનક પલટી મારી ગઈ હતી. તો બીજી તરફઅન્ય એક ટ્રકની એક તરફની કમાન તૂટતા ટ્રક નમી પડી હતી. આ તરફટ્રક પલટી મારી જતાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થતાં લોકોએ રાહત અનુભવી હતી.

ભરૂચ શહેર તથા જીલ્લામાં અવિરત વરસાદના પગલે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છેત્યારે ભરૂચની દલાલ સ્કૂલ નજીક વ્હોરવાડ વિસ્તારમાં એક મકાનની દીવાલ ધરાશાયી થઈ હતી. વ્હોરવાડ વિસ્તારમાં આવેલ એક જુના મકાનની એક બાજુની દીવાલ ધરાશાયી થઈ તૂટી પડતા ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતાજ્યાં મકાનની દીવાલનો કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકેઆ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ નહીં સર્જાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Read the Next Article

ભરૂચ: નેત્રંગના ધાંણીખુટ પાસે કરજણ નદી પર બનાવાયેલ બ્રિજ જર્જરીત હાલતમાં, તાત્કાલિક સમારકામની માંગ

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે. ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા

New Update
MixCollage-12-Jul-2025-

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે.

ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા રોડ પર નેત્રંગ તાલુકાના ધાંણીખુટ ગામ પાસેથી વહેતી કરજણ નદી પર વર્ષો જુનો નિમાઁણ થયેલ બ્રિજ પણ જજઁરીત હાલતમાં થઈ ગયો છે.
આ બ્રિજ ભરૂચ અને નર્મદા તેમજ મહારાષ્ટ્ર રાજ્યને જોડતો  બ્રિજ છે. હાલ આ બ્રિજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના તાબા હેઠળ છે. અંકલેશ્વર,ભરૂચ, વડોદરા અને દહેજ જીઆઇડીસીના ઔદ્યોગિક એકમોમાં બનતી ભારેખમ મશીનરીઓ  મોટા વાહનો મારફત મહારાષ્ટ્ર થઈ અન્ય રાજ્યોમાં જાય છે.બાકી અન્ય ભારદારી વાહનો પણ રોજેરોજ આ બ્રિજ પરથી પસાર થઇ રહ્યા છે. તેવા સંજોગો ગંભીરા બ્રિજની બનેલ દુર્ઘટના બાદ સ્થાનિક રહીશોમાં આ બ્રિજની જજઁરીત હાલત જોઈ ને ભય સતાવી રહ્યો છે તેવા સંજોગોમાં જીલ્લા કલેક્ટર તેમજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના અધિકારીઓ આ બ્રિજની તાત્કાલિક તપાસ હાથ ધરે તેમજ બ્રિજ આજુબાજુ તુટી ગયેલ રેલીંગની મરામત કરે એવી માંગ ઉઠી છે.