ભરૂચ એબીસી ચોકડી નજીક માર્ગ પર ખાડાના કારણે ટ્રકે પલટી મારી, તો વ્હોરવાડમાં મકાનની દીવાલ થઈ ધરાશાયી

અવિરત વરસાદના પગલે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે, ત્યારે ભરૂચની દલાલ સ્કૂલ નજીક વ્હોરવાડ વિસ્તારમાં એક મકાનની દીવાલ ધરાશાયી થઈ હતી. વ્હોરવાડ વિસ્તારમાં આવેલ એક જુના મકાનની એક બાજુની દીવાલ ધરાશાયી થઈ તૂટી પડી

New Update

શહેર તથા જિલ્લામાં અવિરત વરસતો વરસાદ

વરસાદના પગલે રોડ-રસ્તા પર મસમોટા ખાડા

એબીસી ચોકડી નજીક માર્ગ પર ટ્રક પલટી મારી

વ્હોરવાડમાં મકાનની દીવાલ અચાનક ધરાશાયી

પાલિકાના ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા

ભરૂચ શહેરમાં અવિરત વરસાદના પગલે બિસ્માર રોડ-રસ્તા પરના મસમોટા ખાડાના કારણે એબીસી ચોકડી નજીક માર્ગ પર ખાડામાં માલવાહક ટ્રક પલટી મારી ગઈ હતી. તો બીજી તરફવ્હોરવાડ વિસ્તારમાં મકાનની દીવાલ ધરાશાયી થતાં પાલિકાના ફાયર ફાઇટરો દોડ્યા હતા.

ગુજરાત રાજ્યમાં રવિવારથી શરૂ થયેલો ધોધમાર વરસાદ સતત ત્રીજા દિવસે પણ યથાવત રહ્યો છેત્યારે ભરૂચ શહેર તથા જીલ્લામાં પણ અવિરત વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે. આ સાથે જ રોડ-રસ્તા પરના મસમોટા ખાડના પગલે અનેક વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

તેવામાં ભરૂચ શહેરની એબીસી ચોકડી નજીક માર્ગ પર પડેલા મોટા મોટા ખાડાના કારણે માલવાહક ટ્રક પછડાતા અચાનક પલટી મારી ગઈ હતી. તો બીજી તરફઅન્ય એક ટ્રકની એક તરફની કમાન તૂટતા ટ્રક નમી પડી હતી. આ તરફટ્રક પલટી મારી જતાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થતાં લોકોએ રાહત અનુભવી હતી.

ભરૂચ શહેર તથા જીલ્લામાં અવિરત વરસાદના પગલે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છેત્યારે ભરૂચની દલાલ સ્કૂલ નજીક વ્હોરવાડ વિસ્તારમાં એક મકાનની દીવાલ ધરાશાયી થઈ હતી. વ્હોરવાડ વિસ્તારમાં આવેલ એક જુના મકાનની એક બાજુની દીવાલ ધરાશાયી થઈ તૂટી પડતા ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતાજ્યાં મકાનની દીવાલનો કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકેઆ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ નહીં સર્જાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Read the Next Article

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાય, દેશપ્રેમના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા

New Update

ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

ભાજપ દ્વારા આયોજન કરાયું

તિરંગા યાત્રાનું આયોજન

આગેવાનો અને કાર્યકરો જોડાયા

દેશભક્તિના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મહામંત્રી નિરલ પટેલ, શહેર પ્રમુખ જતીન શાહ સહિત પક્ષના અગ્રણીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. હાથમાં તિરંગો લહેરાવતા કાર્યકરો દેશભક્તિના સૂત્રોચ્ચાર કરતા આગળ વધતા નજરે પડ્યા હતા.ભાજપ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાયેલી આ યાત્રા દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પર દેશપ્રેમનો જુસ્સો છલકાતો જોવા મળ્યો હતો. યાત્રામાં દેશભક્તિ ગીતો, સૂત્રોચ્ચારો અને તિરંગાની લહેરાટ સાથે ઉત્સાહનો માહોલ છવાયો હતો.