ભરૂચ:દહેજ UPL-12 કંપનીમાં અન્યાય થતો હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ ધરણા કરીને વિરોધ નોંધાવ્યો

UPL-12 કંપનીના જવાબદાર અધિકારીઓ જ ગ્રામજનોની રજૂઆત ધ્યાને નહીં લેતા હોવા સાથે અવગણના કરતા હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ ધરણા કરીને વિરોધ નોંધાવ્યો

New Update
  • UPL-12 સામે ગ્રામજનોનો વિરોધ

  • કડોદરા ગામના લોકોએ ધરણા પ્રદર્શન યોજ્યું

  • લેન્ડ લુઝર્સ અને કોન્ટ્રાક્ટના કામદારોનું શોષણ થતું હોવાનો આક્ષેપ

  • વારંવારની રજૂઆત બાદ પણ સમસ્યાનું નિરાકરણ આવ્યું નહીં

  • ધરણા પ્રદર્શન બાદ કંપની સત્તાધીશો દોડતા થયા

Advertisment

 ભરૂચ જિલ્લાના દહેજ ઔદ્યોગિક વસાહત ખાતેની UPL-12 કંપનીમાં વાગરા તાલુકાના કડોદરા ગામના લેન્ડ લુઝર્સ અને કોન્ટ્રાકટ હેઠળ કામ કરતા કામદારો સાથે અન્યાય થતો હોવાની રજૂઆત કંપની મેનેજમેન્ટને કરવામાં આવી હતી.

પરંતુ તેઓના પ્રશ્નોનું કોઈજ યોગ્ય નિરાકરણ ન આવતા આજરોજ કડોદરાના ગ્રામજનોએ કંપનીના ગેટ ઉપર પહોંચી વિરોધ નોંધાવી ધરણા પ્રદર્શન કરીને રોષ ઠાલવ્યો હતો.અને કંપનીના જવાબદાર અધિકારીઓ જ ગ્રામજનોની રજૂઆત ધ્યાને નહીં લેતા હોવા સાથે અવગણના કરતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. 

વધુમાં કંપનીમાં કામ કરતા કડોદરા ગામના બે વ્યક્તિઓના અકસ્માત થતા તેઓને નોકરીમાંથી બહાના કરી કાઢી મુકવામાં આવ્યા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા.જ્યારે અન્ય પડતર પ્રશ્નો અંગે અનદેખી કરતા હોવાના આક્ષેપ કરાયા હતા.આજરોજ લોકોએ વિરોધ કરતા કંપનીના સત્તાધીશો દોડી આવ્યા હતા અને કામદારો તેમજ આગેવાનો સાથે ચર્ચા કરી પ્રશ્નોનું નિરાકરણ કરવાની ખાતરી આપી હતી.

Advertisment
Read the Next Article

ભરૂચ : ફરી એકવાર પાવન સલિલા માઁ નર્મદા નદીમાં કોઈ બે’જવાબદાર ઉદ્યોગ દ્વારા મુક્ત કરાયું પ્રદુષિત પાણી..!

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પણ પ્રદૂષણના કહેરથી બચી શકી નથી. ભરૂચમાં ફરી એકવાર પાવન સલિલા માઁ નર્મદા નદીના પાણીને પ્રદૂષિત કરવાની ઘટના સામે આવી

New Update
  • ફરી એકવાર પાવન સલિલા માઁ નર્મદા નદીમાં ફેલાયું પ્રદૂષણ

  • નર્મદા નદીના પાણીને પ્રદૂષિત કરવાની ઘટના સામે આવી

  • અગાઉ પ્રદુષિત પાણીથી થયા હતા ગાય અને જળચરોના મોત

  • આ મામલે GPCB દ્વારા યોગ્ય તપાસની સ્થાનિકો દ્વારા માંગ

  • પ્રદુષિત પાણી છે કે કેમ તે અંગે કનેક્ટ ગુજરાત પુષ્ટિ કરતું નથી

Advertisment

ભરૂચમાં ફરી એકવાર પાવન સલિલા માઁ નર્મદા નદીના પાણીને પ્રદૂષિત કરવાની ઘટના સામે આવી છેત્યારે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આ મામલે યોગ્ય તપાસ કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે.

પ્રાકૃતિક ધરોહર કહેવાતી નદીઓ જે રીતે પ્રદૂષિત થઈ રહી છેતે ચિંતાનો વિષય બન્યો છે. એક તરફ પીવાના પાણીની સમસ્યાનો સામનો અનેક વિસ્તારો કરી રહ્યા છેત્યારે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પણ પ્રદૂષણના કહેરથી બચી શકી નથી. ભરૂચમાં ફરી એકવાર પાવન સલિલા માઁ નર્મદા નદીના પાણીને પ્રદૂષિત કરવાની ઘટના સામે આવી છે. અગાઉ પણ નર્મદા નદીમાં ભળી ગયેલ કેમિકલયુક્ત પાણી પીવાથી ગાયનું મોત થયું હોવાનો પશુપાલક દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો.

આ તરફકેમિકલયુક્ત પાણીથી અગાઉ પણ આમલાખાડીમાં હજારો જળચરના મૃત્યુ થયા હતાત્યારે નર્મદા નદીમાં પ્રદુષણ ફેલાવવા સાથોસાથ નદીના જળચર જીવોને પણ તેની અસર થતી હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આ મામલે યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે. જોકેકોઈ બેજવાબદાર ઉદ્યોગ દ્વારા નર્મદા નદીમાં છોડવામાં આવેલ કેમિકલયુક્ત પાણી પ્રદુષિત છે કેકેમ... તેની પુષ્ટી કનેક્ટ ગુજરાત ન્યૂઝ ચેનલ કરતું નથી. પરંતુ નર્મદા નદીને પ્રદૂષિત કરનાર તત્વો સામે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી કાસિયા ગામના સ્થાનિકોએ માંગ કરી છે.

Advertisment