ભરૂચ : ઝઘડીયાની અવિધા પોસ્ટ ઓફિસમાં પ્રિન્ટર-નેટવર્ક સુવિધાના અભાવે ગ્રામજનોને હાલાકી…

અવિધા ગામની પોસ્ટ ઓફિસમાં છેલ્લા 3 મહિના ઉપરાંતથી પ્રિન્ટર બંધ હાલતમાં છે, તેમજ નેટવર્ક સુવિધા પણ બંધ હાલતમાં છે. જેથી ગ્રામજનોને ધક્કા ખાવાનો વારો આવે છે

New Update
  • ઝઘડીયાની અવિધા પોસ્ટ ઓફિસ વિવાદમાં આવી

  • છેલ્લા 3 મહિનાથી નેટવર્ક સુવિધા પણ બંધ હાલતમાં

  • અવિધાના ગ્રામજનોને ધક્કા ખાવાનો વારો આવ્યો

  • પોસ્ટ સેવાના અભાવના કારણે ગ્રામજનોને હાલાકી

  • વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ ઉઠી

 ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના અવિધા ગામ સ્થિત પોસ્ટ ઓફિસ ખાતે મળતી સેવાઓના અભાવના કારણે ગ્રામજનોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના અવિધા ગામની પોસ્ટ ઓફિસમાં છેલ્લા 3 મહિના ઉપરાંતથી પ્રિન્ટર બંધ હાલતમાં છેતેમજ નેટવર્ક સુવિધા પણ બંધ હાલતમાં છે. જેથી ગ્રામજનોને ધક્કા ખાવાનો વારો આવે છે.

પ્રિન્ટર તેમજ નેટવર્કના અભાવે વિધવા સહાય યોજનાવૃદ્ધ પેન્શન યોજના તેમજ પોસ્ટ ઓફિસના કામકાજમાં અને પૈસાની લેવડદેવડમાં ગ્રામજનોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વૃદ્ધ મહિલાઓને પોસ્ટ ઓફિસના કામ અર્થે આવે તો ધક્કા ખાવાનો વારો આવે છેતેમજ બાજુના ગામમાં જવાની ફરજ પડે છે.

સ્થાનિક પોસ્ટ ઓફિસ તેમજ ભરૂચ પોસ્ટ ઓફિસના કર્મચારીઓને ગ્રામજનોએ ટેલીફોનિક જાણ કરતા તેઓ દ્વારા ગેરવર્તન કરવામાં આવતું હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. અવિધા ગ્રામ પંચાયત દ્વારા આ વાતની જાણ હેડ પોસ્ટ ઓફિસ ભરૂચના સાંસદ મનસુખ વસાવા તેમજ ઝઘડીયાના ધારાસભ્ય રીતેશ વસાવાને પણ લેખિતમાં કરવામાં આવશેઅને આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી છે.

#post office #Bharuch News #Aviidha Post Office #અવિધા પોસ્ટ ઓફિસ #Jhagadia News #Avidha village
Latest Stories
Read the Next Article

ભરૂચ : અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ પર કાર ચાલકે અડફેટે ...

ભરૂચ : અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ પર કાર ચાલકે અડફેટે લેતા બાઈક સવારનું ઘટના સ્થળે મોત, પોલીસે તપાસ આરંભી...

કાર ચાલકે બાઈક સવારને ટક્કર મારી હતી. જેના કારણે બાઈક સવાર રાજુભાઈ ચખલીયા બાઈક સાથે રોડ પર ફંગોળાયા હતા, જેથી તેઓને શરીરે ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું

New Update
  • અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ પર સર્જાયો ગમખ્વાર અકસ્માત

  • કાર અને બાઇક વચ્ચેના અકસ્માતમાં એક વ્યક્તિનું મોત

  • કાર ચાલકે બાઈક સવાર યુયાવ્કને અડફેટે લેતા કરૂણ મોત

  • સ્થળ પર પરિવારના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું

  • પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ કરી 

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચાલકે અડફેટે લેતા બાઈક સવારનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસારભરૂચ જિલ્લાના અંકલેશ્વરથી ઝઘડિયાને જોડતા મુખ્ય માર્ગની કામગીરી ચાલી રહી છે. આ વચ્ચે ઉછાલી નજીક નાના પુલીયા તેમજ એપ્રોચ રોડની ચાલતી કામગીરીના પગલે માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે. એટલું જ નહીંદઢાલ બ્રિજ પર પડેલા મસમોટા ખાડા અકસ્માતનું નિમિત્ત બની રહ્યા છે.

તેવામાં આજરોજ અંકલેશ્વરના ઉછાલી ગામ નજીક ભારત પેટ્રોલિયમ પાસે ઉછાલી ગામના રણુજા ફાર્મમાં રહેતા 36 વર્ષીય શ્રમિક રાજુભાઈ ચખલીયા બાઈક પર ઉછાલી નજીકથી પસાર થઈ રહ્યા હતા. તે દરમ્યાન કાર ચાલકે બેફિકરાઈ ભરી રીતે ખાડે ગયેલા રોડ પર પણ પૂરપાટ આવતા બાઈક સવારને ટક્કર મારી હતી. જેના કારણે બાઈક સવાર રાજુભાઈ ચખલીયા બાઈક સાથે રોડ પર ફંગોળાયા હતાજેથી તેઓને શરીરે ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

બનાવની જાણ થતાં જ પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતાજ્યાં પરિવારજનો હૈયાફાટ રુદનથી વાતાવરણમાં ગમગીની છવાય હતી. ઘટના અંગે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ફરાર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલેખનીય છે કેમાર્ગના નવીનીકરણ વચ્ચે વરસાદના પગલે માર્ગ વધુ બિસ્માર બન્યો છેજેથી વાહન ચાલકો ખાડામાં પટકાઈને અકસ્માતને ભેટી રહ્યા છેત્યારે મંથર ગતિએ ચાલતા રોડના નવીનીકરણ અને પુલની કામગીરીને લઇ લોકોમાં રોષ ફેલાયો છે.