New Update
અંકલેશ્વર જીઆઈડીસીમાં બન્યો બનાવ
પાણીનું વહન કરતી મુખ્ય લાઈનમાં ભંગાણ
4 સ્થળોએ ભંગાણ હોવાનું બહાર આવ્યું
500 ઉદ્યોગો અને રહેણાંક વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ
યુદ્ધના ધોરણે સમારકામ શરૂ કરવામાં આવ્યું
અંકલેશ્વર જીઆઇડીસીમાં પાણીનું વહન કરતી મુખ્ય લાઈનમાં ભંગાર સર્જાતા 500 થી વધુ ઉદ્યોગો અને રહેણાટ વિસ્તારમાં વોટર સપ્લાય અટકી ગયો છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ફરી એકવાર જળ સંકટના એંધાણ વર્તાઈ રહ્યા છે. તાજેતરમાં જ ઉકાઈ જમણા કાંઠાની કેનાલ સમારકામ માટે ૩૦થી વધુ દિવસ બંધ રહ્યા બાદ હવે જીઆઇડીસીમાં પાણીનું વહન કરતી મુખ્ય લાઈનમાં ભંગાણ સર્જાયું છે.
અંકલેશ્વર નોટિફાઇડ એરીયાના તળાવથી વોટર ફિલ્ટરેશન સુધી પાણી પુરવઠો પહોંચાડતી પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું જેના પગલે દોડધામ મચી જવા પામી હતી. નોટીફાઇડ એરિયા ઓથોરિટીની ટીમ દ્વારા તાત્કાલિક સમારકામ હાથ ધરવામાં આવ્યુ હતું. જેમાં ચાર સ્થળોએ ભંગાણ સર્જાયુ હોવાનું સામે આવ્યું છે. જેના પગલે ગતરોજ સાંજથી 500થી વધુ ઉદ્યોગો અને રહેણાંક વિસ્તારમાં વોટર સપ્લાય બંધ કરી પાણીકાપ આપવામાં આવ્યો છે.
ઉદ્યોગો પાસે બેકઅપ સિસ્ટમ હોવાના કારણે હાલ ઉત્પાદન ઠપ્પ થયું નથી. પરંતુ સમસ્યા લાંબો સમય રહે તો મોટી ચિંતા નકારી શકાય નહિ.આ તરફ યુદ્ધના ધોરણે સમારકામ કરવામાં આવી રહ્યું છે અને આવતીકાલ સવારથી પાણી પુરવઠો રાબેતા મુજબ શરૂ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સમારકામની કામગીરીનું અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત સેલડીયા સહિતના હોદ્દેદારો અને અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.