અંકલેશ્વર : ઉકાઈ જમણા કાંઠા નહેર વિભાગ દ્વારા પાણી કાપથી શહેર વિસ્તારને નહીં પડે તંગી

ઉકાઈ જમણા કાંઠા નહેર વિભાગ દ્વારા ડિસેમ્બરમાં મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવશે,જેના કારણે નહેર દ્વારા મળતો પાણી પુરવઠો બંધ કરવામાં આવશે.......

New Update
  • ઉકાઈ નહેર વિભાગ દ્વારા પાણી કાપ

  • નહેરના મેન્ટેનન્સની કામગીરી કરાશે

  • 35 દિવસ સુધી પાણીનો સપ્લાય થશે બંધ 

  • શહેર વિસ્તારમાં નહીં વર્તાય પાણીની તંગી

  • પાલિકાએ પાણી માટે કરી સુચારુ વ્યવસ્થા 

ઉકાઈ જમણા કાંઠા નહેર વિભાગ દ્વારા ડિસેમ્બરમાં મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવશે,જેના કારણે નહેર દ્વારા મળતો પાણી પુરવઠો બંધ કરવામાં આવશે,જોકે આ 35 દિવસ દરમિયાન અંકલેશ્વર શહેરને પાણી કાપની અછત વર્તાશે નહીં તેવો દાવો પાલિકાતંત્ર દ્વારા કરવામાં આવ્યો છે.

અંકલેશ્વર જીઆઇડીસી,શહેર તેમજ ખેડૂતોને સિંચાઈ માટે પાણી પુરવઠો પહોંચાડતી ઉકાઈ નહેર વિભાગ દ્વારા ડિસ્મેબરથી 35 દિવસ માટે મેન્ટેનન્સની કામગીરીને પગલે પાણી કાપનો નિર્ણય કરવામાં આવ્યો છે.આ જળસંકટ સામે પહોંચી વળવા માટે નગરપાલિકા દ્વારા સુચારૂ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.

પાણીનો પુરવઠો પુરૂ પાડતી ઉકાઈ જમણા કાંઠાની નહેર વિભાગ દ્વારા 26 ડિસેમ્બરથી 35 દિવસ માટે પાણી સપ્લાય પર કાપ મુકવામાં આવનાર છે.નહેર વિભાગ દ્વારા આ સમય દરમિયાન કેનાલમાં મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવશે.જોકે આ પાણી કાપથી એક તરફ જળસંકટના એંધાણ વર્તાય રહ્યા છે.તો બીજી તરફ નગરપાલિકા દ્વારા પાણી પુરવઠાને પહોંચી વળવા માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.

અંકલેશ્વર શહેર વિસ્તારને નગરપાલિકા દ્વારા તળાવમાંથી પાણી પુરવઠો ઘર ઘર સુધી પહોંચાડવામાં આવે છે.ત્યારે આ તળાવમાં 45 દિવસ સુધી શહેર વિસ્તારને પાણીનો પુરવઠો રાબેતા મુજબ મળી રહે તે પ્રકારની સ્ટોરેજ વ્યવસ્થા છે.જેના કારણે નગરપાલિકા દ્વારા આપવામાં આવતા પાણીના પુરવઠા પર પાણી કાપની કોઈ અછત નહી સર્જાય તેમ નગરપાલિકાના કારોબારી ચેરમેન નિલેશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે.

આ ઉપરાંત જો પાણીના અછતના સંજોગ વર્તાશે તો નગરપાલિકા દ્વારા તેના પાણીના બોરથી પાણીનો પુરવઠો નગરજનોને મળી રહે તે માટે પણ પાલિકાતંત્ર સજ્જ હોવાનું જાણવા મળ્યું છે.

Latest Stories