ભરૂચ : જંબુસરના ધારાસભ્યની આવી કેવી ગેરંટી..!, 25 વર્ષની ગેરંટીવાળો રોડ ફક્ત 3 મહિનામાં જ ખખડધજ થઈ ગયો...

ભરૂચ જિલ્લાના આમોદ પાસેથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 64ને ત્રણ મહિના પહેલા જ રૂ. 7.33 કરોડના ખર્ચે નવીન બનાવવામાં આવ્યો હતો.

New Update

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાંથી પસાર થતો નેશનલ હાઇવે નં. 64 ફક્ત 3 મહિનામાં જ પ્રથમ વરસાદે ખખડધજ બનતા મતવિસ્તારના ધારાસભ્યએ રોડની ગુણવત્તા માટે આપેલી 25 વર્ષની ગેરંટીવાળી વાતની ધજીયા ઉડી ગઈ છે.

ભરૂચ જિલ્લાના આમોદ પાસેથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 64ને ત્રણ મહિના પહેલા જ રૂ. 7.33 કરોડના ખર્ચે નવીન બનાવવામાં આવ્યો હતો. જેમાં આમોદ નગરના બત્રીસી નાળાથી લઈ મલ્લા તલાવડી સુધી 5 લેયરમાં રોડ બનાવવામાં આવ્યો હતો. જે નવીન બનાવેલ રોડમાં ખોદકામ કરી કાણી માટી બહાર કાઢી તેમાં પીળી માટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમ છતાં જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામીની 25 વર્ષની ગેરંટીવાળો રોડ ફક્ત 3 મહિનામાં જ પ્રથમ વરસાદે ખખડધજ બનતા કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની કામગીરી અને રોડની ગુણવત્તા ઉપર સવાલો ઊભા થયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ રૂ. 13 કરોડના ખર્ચે બનેલો રોડ પણ 3 મહિનામાં જ તૂટી ગયો હતો. જેની ગાંધીનગર ટ્રીબિનલ કોર્ટ ખાતે સ્થાનિક  જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. તો બીજી તરફ, સરકારના લાખો અને કરોડો રૂપિયાનો સતત ધુમાડો થતો હોય તેમ સમગ્ર પંથકમાં અહીંનો બિસ્માર માર્ગ ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
Read the Next Article

ભરૂચ : નંદેલાવ બ્રિજ નીચે કેમિકલ ભરેલું કન્ટેનર પિલર સાથે ધડાકાભેર અથડાતા મંગલદીપ સોસાયટીની દિવાલ તૂટી

ભરૂચની મઢુલી ચોકડી નજીક કેમિકલ ભરેલ કન્ટેનરના ચાલકે નવા બ્રિજના પિલરને ટક્કર મારી હતી. ત્યારબાદ કન્ટેનર મંગલદીપ સોસાયટીની કમ્પાઉન્ડ વોલ સાથે અથડાતા અફરાતફરી મચી હતી

New Update
  • નંદેલાવ બ્રિજ પાસે સર્જાયો અકસ્માત

  • બેલગામ કન્ટેનર બ્રિજના પિલરમાં ભટકાયું

  • પિલર બાદ મંગલદીપ સોસાયટીમાં પણ અથડાયું

  • સોસાયટીના મંદિરની દીવાલ તૂટતા નુકસાન

  • જાનહાની ટળતા લોકોએ લીધો રાહતનો શ્વાસ

ભરૂચની મઢુલી ચોકડી નજીક કેમિકલ ભરેલ કન્ટેનરના ચાલકે નવા બ્રિજના પિલરને ટક્કર મારી હતી. ત્યારબાદ કન્ટેનર મંગલદીપ સોસાયટીની કમ્પાઉન્ડ વોલ સાથે અથડાતા અફરાતફરી મચી હતી.
 
ભરૂચ દહેજ બાયપાસ માર્ગ પર નંદેલાવ પાસે નવા બ્રિજ નીચે ગુરુવારે એક ગંભીર અકસ્માત થયો હતો. હજીરા અદાણીથી કેમિકલ ભરેલું કન્ટેનર દહેજ સ્થિત મેઘમણી કંપનીમાં જઈ રહ્યું હતું. એ દરમિયાન કન્ટેનર ચાલકનો સ્ટિયરિંગ પર નિયંત્રણ ખોરવાતા કન્ટેનર સીધું નવા પિલરને અથડાઈને સીધુ મંગલદીપ સોસાયટીની મંદિરે જોડાયેલી કમ્પાઉન્ડ વોલમાં ટકરાયું હતું.

આ અકસ્માતમાં બ્રિજના પિલર સાથે સાથે મંદિરની દિવાલને પણ ગંભીર નુકસાન થયું હતું. જોકે, ઘટના દરમિયાન કોઈપણ જાતની જાનહાની ન પહોંચતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. કન્ટેનરનો ચાલક દ્વારા કન્ટેનરને બેલગામ દોડાવવામાં આવી રહ્યું હતું.ઘટનાના પગલે સ્થળ પર તાત્કાલિક ફાયર વિભાગ તથા પોલીસ દોડી આવી હતી. ભારે વજનના કેમિકલ ભરેલા કન્ટેનરને સ્થળ પરથી દૂર કરવા ત્રણ હાઇડ્રાની મદદ લેવાઈ હતી. લાંબા સમય બાદ માર્ગ પર સર્જાયેલો ટ્રાફિક પુનઃ રાબેતા મુજબ થયો હતો.મંગલદીપ સોસાયટીના પ્રમુખ જીતુ  પ્રજાપતિએ જણાવ્યું હતું કે,કન્ટેનર અમારા મંદિરની દીવાલ તોડી ઘૂસી ગયું હતું. સદનસીબે કોઈ વ્યક્તિ ત્યાં નહોતી. પરંતુ આવી ઘટનાઓથી ભવિષ્યમાં વધુ ગંભીર પરિસ્થિતિ ઉભી ન થાય એ માટે પગલાં લેવા જરૂરી છે.