ભરૂચ : જંબુસરના ધારાસભ્યની આવી કેવી ગેરંટી..!, 25 વર્ષની ગેરંટીવાળો રોડ ફક્ત 3 મહિનામાં જ ખખડધજ થઈ ગયો...

ભરૂચ જિલ્લાના આમોદ પાસેથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 64ને ત્રણ મહિના પહેલા જ રૂ. 7.33 કરોડના ખર્ચે નવીન બનાવવામાં આવ્યો હતો.

New Update

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાંથી પસાર થતો નેશનલ હાઇવે નં. 64 ફક્ત 3 મહિનામાં જ પ્રથમ વરસાદે ખખડધજ બનતા મતવિસ્તારના ધારાસભ્યએ રોડની ગુણવત્તા માટે આપેલી 25 વર્ષની ગેરંટીવાળી વાતની ધજીયા ઉડી ગઈ છે.

ભરૂચ જિલ્લાના આમોદ પાસેથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 64ને ત્રણ મહિના પહેલા જ રૂ. 7.33 કરોડના ખર્ચે નવીન બનાવવામાં આવ્યો હતો. જેમાં આમોદ નગરના બત્રીસી નાળાથી લઈ મલ્લા તલાવડી સુધી 5 લેયરમાં રોડ બનાવવામાં આવ્યો હતો. જે નવીન બનાવેલ રોડમાં ખોદકામ કરી કાણી માટી બહાર કાઢી તેમાં પીળી માટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમ છતાં જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામીની 25 વર્ષની ગેરંટીવાળો રોડ ફક્ત 3 મહિનામાં જ પ્રથમ વરસાદે ખખડધજ બનતા કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની કામગીરી અને રોડની ગુણવત્તા ઉપર સવાલો ઊભા થયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ રૂ. 13 કરોડના ખર્ચે બનેલો રોડ પણ 3 મહિનામાં જ તૂટી ગયો હતો. જેની ગાંધીનગર ટ્રીબિનલ કોર્ટ ખાતે સ્થાનિક  જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. તો બીજી તરફ, સરકારના લાખો અને કરોડો રૂપિયાનો સતત ધુમાડો થતો હોય તેમ સમગ્ર પંથકમાં અહીંનો બિસ્માર માર્ગ ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
Read the Next Article

ભરૂચ: સ્ટેશન રોડ મિશ્ર શાળા ક્રમાંક 10 અને 35ને બંધ કરવા બાબતે શિક્ષણ વિભાગનો ખુલાસો, શાળા બંધ નથી કરી મર્જ કરી છે !

ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્ટેશન રોડ મિશ્રા શાળા ક્રમાંક 10 અને 35ને છેલ્લા બે દિવસથી અચાનક તાળા મારી દેવાતા  85 થી વધુ વિદ્યાર્થીઓના

New Update

ભરૂચમાં શાળા બંધ થવાનો મામલો

સ્ટેશન રોડ મિશ્ર શાળા 10-35 બંધ થવાના થયા હતા આક્ષેપ

શાળા બંધ થવા બાબતે શિક્ષણ વિભાગનો ખુલાસો

શાળાને બંધ નથી કરાય મર્જ કરવામાં આવી છે

સુવિધા યુક્ત શિક્ષણ આપવા પ્રયાસ છે

ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્ટેશન રોડ મિશ્રા શાળા ક્રમાંક 10 અને 35ને છેલ્લા બે દિવસથી અચાનક તાળા મારી દેવાતા  85 થી વધુ વિદ્યાર્થીઓના ભણતર પર ગંભીર અસર પડી હોય આ બાબતે જિલ્લા શાસનાધિકારી  તરફથી ખુલાસો કરતા બંધ નહી પણ અન્ય  નજીકની શાળામાં  મર્જ કરવામાં આવી હોવાનું જણાવ્યુ હતું
ભરૂચના કલરવ સ્કૂલ સામે આવેલા ટેકરા પર રાવળીયાવાડ વિસ્તારમાં આવેલી આ નગર પ્રાથમિક શાળા વર્ષોથી ચાલતી આવી રહી હતી પરંતુ તાજેતરમાં અચાનક આ શાળાને બંધ કરી દેવાતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે અસંતોષ ફેલાયો હતો  અને શાળા ખાતે દોડી આવેલ વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો.આ બાબતે ઈન્ચાર્જ નગર પ્રાથમિક શાસનાધિકારી ભરત સલાટે  ખુલાસો કરતા જણાવ્યું હતું કે આ શાળા બંધ નથી કરી પણ વિદ્યાર્થીઓની અને શિક્ષકોની સંખ્યા તેમજ ભાડાનું જર્જરીત મકાનને ધ્યાને લઈ નગર પ્રાથમિક સમિતિની 500 મીટરના જ  અંતરે આવેલ  દાંડિયા બજાર મિશ્ર શાળામાં મર્જ કરવામાં આવી છે જ્યાં સુવિધા યુક્ત બિલ્ડિંગ, અને વિષય પ્રમાણેના શિક્ષકો પણ છે જેથી ગુણવત્તા યુક્ત શિક્ષણ મળી રહેશે.