ભરૂચ : જંબુસરના ધારાસભ્યની આવી કેવી ગેરંટી..!, 25 વર્ષની ગેરંટીવાળો રોડ ફક્ત 3 મહિનામાં જ ખખડધજ થઈ ગયો...

ભરૂચ જિલ્લાના આમોદ પાસેથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 64ને ત્રણ મહિના પહેલા જ રૂ. 7.33 કરોડના ખર્ચે નવીન બનાવવામાં આવ્યો હતો.

New Update

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાંથી પસાર થતો નેશનલ હાઇવે નં. 64 ફક્ત 3 મહિનામાં જ પ્રથમ વરસાદે ખખડધજ બનતા મતવિસ્તારના ધારાસભ્યએ રોડની ગુણવત્તા માટે આપેલી 25 વર્ષની ગેરંટીવાળી વાતની ધજીયા ઉડી ગઈ છે.

ભરૂચ જિલ્લાના આમોદ પાસેથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 64ને ત્રણ મહિના પહેલા જ રૂ. 7.33 કરોડના ખર્ચે નવીન બનાવવામાં આવ્યો હતો. જેમાં આમોદ નગરના બત્રીસી નાળાથી લઈ મલ્લા તલાવડી સુધી 5 લેયરમાં રોડ બનાવવામાં આવ્યો હતો. જે નવીન બનાવેલ રોડમાં ખોદકામ કરી કાણી માટી બહાર કાઢી તેમાં પીળી માટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમ છતાં જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામીની 25 વર્ષની ગેરંટીવાળો રોડ ફક્ત 3 મહિનામાં જ પ્રથમ વરસાદે ખખડધજ બનતા કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની કામગીરી અને રોડની ગુણવત્તા ઉપર સવાલો ઊભા થયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ રૂ. 13 કરોડના ખર્ચે બનેલો રોડ પણ 3 મહિનામાં જ તૂટી ગયો હતો. જેની ગાંધીનગર ટ્રીબિનલ કોર્ટ ખાતે સ્થાનિક  જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. તો બીજી તરફ, સરકારના લાખો અને કરોડો રૂપિયાનો સતત ધુમાડો થતો હોય તેમ સમગ્ર પંથકમાં અહીંનો બિસ્માર માર્ગ ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.