ભરૂચ : શિક્ષણ વિભાગ-NCPCR દ્વારા નારાયણ વિદ્યાવિહાર ખાતે સાયબર સેફ્ટી અંગે કાર્યશાળા યોજાય

ભરૂચ શહેરના ભોલાવ વિસ્તાર સ્થિત નારાયણ વિદ્યાવિહાર શાળા ખાતે ભરૂચ જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગ તેમજ NCPCR દ્વારા સાયબર સેફ્ટી અંગે એક દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update

ભરૂચ શહેરના ભોલાવ વિસ્તાર સ્થિત નારાયણ વિદ્યાવિહાર શાળા ખાતે ભરૂચ જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગ તેમજ NCPCR દ્વારા સાયબર સેફ્ટી અંગે એક દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

હાલના આધુનિક યુગમાં સાયબર સેફ્ટી સહિત શાળામાં બાળકોની સલામતી અને સુરક્ષા માટે વ્યાપક માર્ગદર્શિકા પર સંવેદનશીલતાના ભાગરૂપે ભરૂચ શહેરના ભોલાવ વિસ્તાર સ્થિત નારાયણ વિદ્યાવિહાર શાળા ખાતે ભરૂચ જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગ તેમજ NCPCR દ્વારા સાયબર સેફ્ટી અંગે એક દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એજયુકેશન ઈન્સપેક્ટરતાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, BRC કો-ઓર્ડિનેટર, CRC કો-ઓર્ડિનેટરપ્રાથમિક અને માધ્યમિક શાળાના આચાર્ય અને SMC, SMDCના સભ્યો સહિત શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતીબા રાઓલજિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સચિન શાહ, NCPCR ના કો-ઓર્ડિનેટર ઇર્શાદ અહમદજિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-વડોદારના તજજ્ઞ વિશ્વજીત યાદવ, NCPCRના તજજ્ઞ સાયકોલોજીસ્ટ યોગીતા ખન્નાભરૂચ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના લેકચરર ચંદ્રકાંત વસાવાએ ઉપસ્થિત રહી બાળકોની સુરક્ષાસલામતી અને સાયબર ગુન્હાઓને લગતા વિવિધ મુદ્દે માર્ગદર્શન આપ્યું હતું.

 

Read the Next Article

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

New Update
bhupendra

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે પ્રવાસન ખાતા (ઉદ્યોગ અને ખાણ) વિભાગને વહીવટી હુકમ- 3 હેઠળ જમીન તબદીલ કરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં નર્મદા પરિક્રમા આગવી ઓળખ સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે. વમલેશ્વર યાત્રાધામ સહિત નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા અને પરિક્રમાપથના યાત્રાધામોના વિકાસથી ગુજરાત અને મઘ્યપ્રદેશ રાજ્યના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને પડતી વિવિધ મુશ્કેલીઓ હવે ભૂતકાળ બનશે.રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી ખરા અર્થમાં ભરૂચ જિલ્લામાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિકોને પણ તેનો લાભ થનાર છે. નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે મહત્વનો નિર્ણય લઇ જમીન ફાળવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. પ્રવાસન ખાતા દ્વારા વમલેશ્વર ખાતે સર્વે નંબર 553 ની 10091 ચોરસ મીટર જમીન ફાળવવા અંગે સરકારમાં માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું વમલેશ્વર ધાર્મિક સ્થળોમાં ખૂબ વિખ્યાત યાત્રાધામ છે. આ યાત્રાધામ સાથે નર્મદા પરિક્રમા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહીવટી મંજૂર હુકમ 3 હેઠળ તબદીલ કરતા મુખ્યમંત્રીનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે.