ઝઘડીયા : ડમલાઈમાં જીપીસીબી દ્વારા જીએમડીસીના લિગ્નાઇટ પ્રોજેક્ટ માટે પર્યાવરણીય લોક સુનાવણી યોજાઈ,સ્થાનિકોએ નોંધાવ્યો ભારે વિરોધ

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ડમલાઈ ખાતે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જી.એમ.ડી.સી.ના લિગ્નાઇટ પ્રોજેકટ માટે પર્યાવરણીય લોક સુનાવણી યોજાઈ હતી.

New Update
  • જીએમડીસીના લિગ્નાઇટ પ્રોજેક્ટનો વિરોધ

  • પ્રોજેક્ટ માટે યોજાઈ પર્યાવરણીય લોક સુનાવણી

  • જિલ્લા કલેકટર અને GPCBના અધિકારી રહ્યા ઉપસ્થિત

  • ધારાસભ્ય સહિત સ્થાનિક આગેવાનોએ નોંધાવ્યો ઉગ્ર વિરોધ

  • પ્રોજેક્ટ માટે જમીન આપવાનો સ્થાનિકોનો સ્પષ્ટ ઇન્કાર 

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ડમલાઈ ખાતે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જી.એમ.ડી.સી.ના લિગ્નાઇટ પ્રોજેકટ માટે પર્યાવરણીય લોક સુનાવણી યોજાઈ હતી.જેમાં ધારાસભ્ય ચૈતર વસાવા સહિતના આગેવાનો અને સ્થાનિક લોકોએ આ પ્રોજેક્ટ માટે ભારે વિરોધ નોંધાવ્યો હતો.

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ડમલાઈ નજીક જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા અને જી.પી.સી.બીના પ્રાદેશિક અધિકારી વી.ડી.રાખોડીયાની અધ્યક્ષતામાં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરી અંકલેશ્વર દ્વારા  જી.એમ.ડી.સી.ના લિગ્નાઇટ પ્રોજેકટ માટે પર્યાવરણીય લોક સુનાવણી યોજાઈ હતી.જેમાં ડમલાઈપડવાણીયામોરણશિયાલીભોજપુરખાટાઆમલાવાસણાબાડાબેડાબોરજાઈ ધારોલીભગતફળિયા,ગામોના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

આ લોક સુનાવણીમાં પડવાણીયા ગામના સરપંચ સીમા વસાવાઆગેવાન કનુ વસાવાધારાસભ્ય ચૈતર વસાવા,પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા,દિલીપ વસાવા,અનિલ ભગત તેમજ શરલા વસાવા અને અસરગ્રસ્ત ગામોના લોકો અને આગેવાનો ઉપસ્થિત રહીને વિરોધ નોંધાવ્યો હતો.લોક સુનાવણીમાં ઉપસ્થિત જન પ્રતિનિધિઓ અને સ્થાનિક અસરગ્રસ્ત આગેવાનોએ પોતાના વાંધાઓ રજૂ કરી લોક સુનાવણીમાં વિરોધ નોંધાવ્યો હતો.જ્યારે ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ પોતાની ઉગ્ર પ્રતિક્રિયા આપી હતી.

ઝઘડિયા તાલુકાના વઢવાણિયા ગામના આગેવાન કનુ વસાવા તેમજ અન્ય આગેવાનો દ્વારા પોતાની એક ઇંચ પણ જમીન કોઈપણ કિંમતે નહીં આપીએ તેવી કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતીઅસરગ્રસ્ત ગામના સરપંચો તેમજ આગેવાનો દ્વારા જીએમડીસીના અધિકારીઓને વિવિધ મુદ્દાઓ પર સવાલો કરવામાં આવ્યા હતા.જેમાંથી કેટલાક સવાલોના જવાબ આપવામાં અસમત રહ્યા હતાલોક સુનાવણીનો વિરોધ કરતા સ્થાનિક આગેવાનો જણાવ્યું હતું કે અમે આ જમીન પર વર્ષોથી વસ્યા છે અને અમે અહીંયાથી સ્થાનાંતર કરવાના નથી. જેથી આ એક ઇંચ પણ જમીન અને જીએમડીસીને આપવાના નથી તેમ કહી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

 

Read the Next Article

ભરૂચ : જિલ્લાની 67 ગ્રામ પંચાયત રાજની ચૂંટણી માટે યોજાયું મતદાન,મતદારોનો જોવા મળ્યો ઉત્સાહ

ભરૂચ જિલ્લાની કુલ 85 ગ્રામ પંચાયત માટે ચૂંટણીની જાહેરાત થઇ હતી,જેમાંથી 18 પંચાયતો સમરસ જાહેર થઇ હતી,તેથી 67 ગ્રામ પંચાયત માટે ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવી

New Update

ભરૂચ જિલ્લામાં પંચાયતીરાજની યોજાઈ ચૂંટણી

67 ગ્રામ પંચાયતો માટે યોજાઈ ચૂંટણી

શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા સંપન્ન

વૃદ્ધ અને અશક્ત મતદારોએ પણ બતાવ્યો ઉત્સાહ

ઉમેદવારોના ભાવિ મતપેટીમાં સીલ  

25 જૂને યોજાશે મતગણતરી

ભરૂચ જિલ્લાની પંચાયતીરાજની ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા યોજાઇ હતી.સવારના 7 વાગ્યાથી શરૂ થયેલા મતદાન પ્રક્રિયામાં મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

ભરૂચ જિલ્લાની કુલ 85 ગ્રામ પંચાયત માટે ચૂંટણીની જાહેરાત થઇ હતી,જેમાંથી 18 પંચાયતો સમરસ જાહેર થઇ હતી,તેથી 67 ગ્રામ પંચાયત માટે ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવી હતી.જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા યોજાઇ હતી.અને સવારથી જ મતદારોમાં મતદાન માટેનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

ભરૂચના તવરા,ઝાડેશ્વર, બંબુસર સહિતની ગ્રામ પંચાયતો માટે મતદાન પ્રક્રિયા યોજાઇ હતી.બંબૂસર ગામે સરપંચ પદ માટે પેટા ચૂંટણી યોજાઈ હતી.બંબુસર ગામે સરપંચ પદ માટે અત્યાર સુધી સમરસ થતું આવ્યું હતું અને 2021માં ચૂંટણી યોજાઈ હતી.જેમાં મતદાનના 2 દિવસ પહેલા સરપંચ પદના ઉમેદવારનું નિધન થતા ચૂંટણી ઠેલાઈ હતી. સરપંચ પદ માટે હાલ યોજાઈ રહેલી ચૂંટણીમાં બંબૂસર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદ માટે પેટા ચૂંટણી યોજાઈ છે.જેમાં 3 ઉમેદવારોએ ઉમેદવારી કરતા આજરોજ મતદાન યોજાયું હતું.અને  મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું.

આ ઉપરાંત તવરા ગ્રામ પંચાયતની બેઠક પર મતદાન બુથ પર મતદારોની લાંબી કતાર જોવા મળી હતી,અને વરસતા વરસાદમાં પણ મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો હતો.

મતદાન પ્રક્રિયા દરમિયાન પોલીસ દ્વારા અશક્ત મતદારો માટે સરાહનીય કામગીરી કરવામાં આવી હતી,અને લોકશાહીના પર્વમાં વૃદ્ધ અને અશક્ત મતદારોએ ઉત્સાહભેર મતદાન કરીને અન્ય લોકો માટે પ્રેરણારૂપ બન્યા હતા.  

અંકલેશ્વર તાલુકામાં 23 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી.તાલુકાની કુલ 27 ગ્રામ પંચાયતમાંથી 4 પંચાયતો સમરસ જાહેર થઈ હતી.23 ગ્રામ પંચાયતોમાંથી 12 ગ્રામ પંચાયતોને સંવેદનશીલ જાહેર કરવામાં આવી હતી.ચૂંટણીની કામગીરીમાં 250 કર્મચારીઓ જોડાયા હતા. મતદાન પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

અંકલેશ્વરના માંડવા,કોસમડી,સજોદ સહિત 23 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું.અને ઉમેદવારોએ પોતાની જીતના દાવા કર્યા હતા. ઉલ્લેખનીય છે કે આગામી તારીખ 25મી જૂનના રોજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતગણતરી યોજવામાં આવશે,અને ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે.