ભાવનગર : છેલ્લા 3 માસમાં ડેન્ગ્યુના 11 કેસ નોંધાયા, આરોગ્ય વિભાગની દોડધામ વધી...

ડેન્ગ્યુના 11 કેસ, જ્યારે મલેરિયાના 3 કેસ નોંધાયા છે. મચ્છરજન્ય રોગને પહોચી વળવા માટે મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ કામે લાગ્યું છે. અંદાજિત 237 લીંક વર્કર બહેનો ઘરે ઘરે જઈને દવા છાંટવાનું કામ કરી રહી છે.

New Update

ચોમાસુ શરૂ થતાં જ મચ્છરજન્ય રોગચાળો ફાટ્યો

ડેન્ગ્યુમલેરિયા અને ચિકનગુનિયાના કેસમાં વધારો

મચ્છરજન્ય રોગચાળાને પહોચી વળવાની કવાયત

રોગચાળા સામે મનપાબુ આરોગ્ય વિભાગ સજ્જ થયું

ઠેર ઠેર સર્વેદવાનો છંટકાવ અને ફોગીંગ હાથ ધરાયું

 ભાવનગર શહેર તથા જીલ્લામાં ચોમાસાની શરૂઆત થતા જ મચ્છરજન્ય રોગમાં પણ વધારો થયો છે. જેમાં ડેન્ગ્યુમલેરિયા અને ચિકનગુનિયા જેવા રોગ વધુ વકરે નહીં તે માટે આરોગ્ય વિભાગના દ્વારા પગલાં લેવામાં આવી રહ્યા છે.

ચોમાસાની સિઝન દરમ્યાન ભેજ અને ભીનું વાતાવરણ થતું હોય છેત્યારે ભરાયેલા ખાડા-ખાબોચિયાના પાણીમાં મચ્છરોની ઉત્પત્તિ થતી હોય છે. મચ્છરોના કરડવાથી માનવ શરીરમાં ડેન્ગ્યુમલેરિયા અને ચિકનગુનિયા જેવા રોગો વધતા હોય છેત્યારે ભાવનગર શહેર તથા જીલ્લામાં ચોમાસાની શરૂઆત થતા જ મચ્છરજન્ય રોગમાં પણ વધારો થયો છે.

જેમાં ડેન્ગ્યુના 11 કેસજ્યારે મલેરિયાના 3 કેસ નોંધાયા છે. મચ્છરજન્ય રોગને પહોચી વળવા માટે મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ કામે લાગ્યું છે. ભાવનગર મહાનગરપાલિકાના અર્બન વિભાગના બાયોલોજીસ્ટ ડો. વિજય કાપડીયાએ જણાવ્યું હતું કેમચ્છરજન્ય રોગચાળા સામે આરોગ્ય વિભાગની ટીમ કામે લાગી ગઈ છે. જે અંતર્ગત હાલમાં ઘરે ઘરે જઈને સર્વેની કામગીરી થઈ રહી છે.

અંદાજિત 237 લીંક વર્કર બહેનો ઘરે ઘરે જઈને દવા છાંટવાનું કામ કરી રહી છે. આ સાથે જ પોરાનાશક કામગીરી પણ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત શહેરમાં વિવિધ જગ્યાએ જ્યાં કાયમી પાણીના સ્ત્રોતો છેત્યાં ગપ્પી ફીશ માછલી મુકવામાં આવી છેજે પોરનાશક માછલી છે. તેમજ જરૂર જણાય તે તમામ વિસ્તારમાં ફોગીંગની કામગીરી પણ કરવામાં આવી રહી છે.

 

Read the Next Article

રાજ્યના અનેક જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ કરાયું જાહેર

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ રહેશે.  આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

New Update
red alrt

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ રહેશે.  આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.  

આજે બનાસકાંઠા, સાબરકાંઠામાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી પાંચ દિવસ સુધી માછીમારો દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. 

બે વરસાદી સિસ્ટમ સક્રિય

હવામાન વિભાગની આગાહી મુજબ આ સમય દરમિયાન પવન ગતિ 41થી 61 કિલોમીટર પ્રતિ કલાકે રહેશે.  બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં અલગ-અલગ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  અમદાવાદ અને ગાંધીનગરમાં આજે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.  

રાજ્યના અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

જ્યારે કચ્છ,  પાટણ,  ગાંધીનગર,  મહેસાણા,  અરવલ્લી,  અમદાવાદ,  સુરેન્દ્રનગર,  મહીસાગર,  દાહોદ,  સુરત,  નર્મદા,  તાપી,  ડાંગ,  નવસારી,  વલસાડ,  દમણ,  દાદરા નગર  હવેલીમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 

રાજ્યના અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ

મોરબી,  જામનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ખેડા,પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર અને ભરૂચમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.