ભાવનગર; મહાનગર પાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા દૂર,21 મીટરનો રોડ ખુલ્લો કરાયો
ભાવનગર તરસમિયામાં ગેરકાયદેસર રીતે ચણી લેવામાં આવેલા પાક્કા બાંધકામો પર મહાનગરપાલિકા દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.
BY Connect Gujarat Desk4 May 2023 6:37 AM GMT
X
Connect Gujarat Desk4 May 2023 6:37 AM GMT
ભાવનગર તરસમિયામાં ગેરકાયદેસર રીતે ચણી લેવામાં આવેલા પાક્કા બાંધકામો પર મહાનગરપાલિકા દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.
ભાવનગર શહેરમાં ટી.પી.માં અડચણ રૂપ દબાણો દુરકારવા માટે મહાનગરપાલિકાના ટાઉન ડેવલોપમેન્ટ વિભાગ દબાણ હટાવો સેલ અને એસ્ટેટ વિભાગના વિશાળ કાફલા સાથે તરસમ્યા ૨૧ મીટર રોડ પર પહોંચ્યા હતા અને બુલડોઝરો વડે તરસમિયાના ૨૧ મીટર રોડ પર કરવામાં આવેલા ગેરકાયદેસર રીતે પાક્કા મકાન ઓરડી દિવાલ કમ્પાઉન્ડ વોલ સહિતના દબાણો જમીનદોસ્ત કરી દેવાયા હતા અને ૨૧ મીટરનો રોડ ખુલ્લો કરી દેવામાં આવ્યો હતો
Next Story