Connect Gujarat
ગુજરાત

ભાવનગર : લગ્નપ્રસંગ બાદ સામાન્ય બાબતે થયેલ યુવાનની હત્યા મામલે 4 આરોપીની ધરપકડ…

પાનવાડી વિસ્તારમાં ગત શનિવારે થયેલ યુવાનની હત્યા મામલે પોલીસે 4 આરોપીઓની નારી ચોકડી નજીકથી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

X

ભાવનગર શહેરના પાનવાડી વિસ્તારમાં ગત શનિવારે થયેલ યુવાનની હત્યા મામલે પોલીસે 4 આરોપીઓની નારી ચોકડી નજીકથી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ભાવનગરના પાનવાડી વિસ્તારમાં આવેલ લીંમડી ચોક નજીક મેલડી માતાના મંદિર પાસે રહેતા એક પરિવારને ત્યાં લગ્ન પ્રસંગ નિમિત્તે પાલિતાણાથી વિરેન ચૌહાણ, સુરજ ચૌહાણ સહિતના યુવાનો આવ્યા હતા. જેમાં રાત્રે ડીજે, રાસ-ગરબાનો કાર્યક્રમ પૂર્ણ કરી સુરજ અને વિરેન તથા અન્ય યુવાનો ઘર પાસે બેઠા હતા તે દરમ્યાન આ વિસ્તારમાં રહેતા 6 જેટલા અજાણ્યા શખ્સોએ સુરજ સાથે બોલાચાલી કરી,

"અહીં કેમ બેઠો છે" તેમ જણાવી લાફો મારી દીધો હતો. જ્યાં થોડીવાર બાદ આ ચારેય શખ્સો તિક્ષ્ણ હથિયારો સાથે સુરજ પર તૂટી પડતા ગંભીર ઇજા પહોચી હતી. ઘવાયેલ યુવાનને સારવાર મળે તે પહેલાં જ દમ તોડ્યો હતો. આ મામલે વિરેન ચૌહાણે કુલ 6 હત્યારાઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા એ' ડિવિઝન પોલીસે નિકુંજ કામ્બડ, પાર્થ કામ્બડ, અજય મારવાડી અને હિતેશ દામજીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story