ભાવનગર : બોરતળાવમાં નહાવા પડેલી 5 દીકરીઓ પાણીમાં ગરકાવ, ડૂબી જવાથી 4 દીકરીઓના મોત...

ભાવનગર શહેરના બોરતળાવ કાંઠે કપડાં ધોવાં અને નહાવા માટે આવેલી 5 બાળકીઓ પૈકી 4 બાળકીઓનું પાણીમાં ડૂબી જતાં મોત નીપજ્યું હતું.

New Update
ભાવનગર : બોરતળાવમાં નહાવા પડેલી 5 દીકરીઓ પાણીમાં ગરકાવ, ડૂબી જવાથી 4 દીકરીઓના મોત...

ભાવનગર શહેરના બોરતળાવ કાંઠે કપડાં ધોવાં અને નહાવા માટે આવેલી 5 બાળકીઓ પૈકી 4 બાળકીઓનું પાણીમાં ડૂબી જતાં મોત નીપજ્યું હતું.

ભાવનગર શહેરના બોરતળાવમાં સવારના સમયે નજીકના વિસ્તારમાં જ રહેતી 5 બાળાઓ કપડાં ધોવા અને નહાવા માટે ગઈ હતી. જેમાં એક બાળકી પાણીમાં પડી ગયા બાદ ડૂબવા લાગતા તેની સાથે રહેતી અન્ય 4 બાળકીઓ તેને બચાવવા માટે એક બાદ એક પાણીમાં પડી હતી. જે તમામ ડૂબવા લાગતા બૂમાબૂમ કરી મુકી હતી. જેથી સ્થાનિક લોકોના ટોળાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા, અને તમામને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં 9 વર્ષીય રાશિ ચારોલિયા, 12 વર્ષીય કાંજલ જાંબુચા, 13 વર્ષીય કોમલ ચારોલિયા અને 17 વર્ષીય અર્ચના ડાભીને તબીબો દ્વારા મૃત જાહેર કરવામાં આવી હતી, જ્યારે 12 વર્ષીય કિંજલ ચારોલિયાની સારવાર ચાલી રહી છે. જે ખતરાની બહાર હોવાનું જાણવા મળ્યું છે. તો બીજી તરફ, બનાવની જાણ થતાં જ ભાવનગર મનપા કમિશનર અને ભાવનગર જિલ્લા કલેક્ટર હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, તળાવ કાંઠે કપડાં ધોવા અને નહાવા માટે ગયેલી 4 દીકરીઓના એકસાથે આકસ્મિક મોતથી સમગ્ર પંથકમાં ચકચાર સાથે શોકની લાગણી પ્રસરી જવા પામી છે.

Read the Next Article

સુરતના એકમાત્ર “પ્લાસ્ટિક મુક્ત” અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાયું...

સુરત જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

New Update

નાગરિકો માટે પોલીસ સેવા સુલભ બને તેવું આયોજન

સુરતનું એકમાત્ર પ્લાસ્ટિક મુક્ત અલથાણ પોલીસ સ્ટેશન

અલથાણ પોલીસ સ્ટેશનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે લોકાર્પણ કરાયું

પોલીસ સ્ટેશનમાં રેઇન વોટર હારવેસ્ટિંગની વિશેષ વ્યવસ્થા

સુરત જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અલથાણ પોલીસ સ્ટેશન સુરતનું એકમાત્ર પ્લાસ્ટિક મુક્ત પોલીસ સ્ટેશન તેમજ સોલાર પાવર સિસ્ટમથી સંચાલિત છેત્યારે આ પોલીસ સ્ટેશનમાં રેઇન વોટર હારવેસ્ટિંગની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અલથાણ પોલીસ સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું. ગૃહ રાજ્યમંત્રીએ રાજ્યમાં શાંતિસુરક્ષા સલામતીના મૂળમાં ઉત્તમ કાયદો અને વ્યવસ્થા તેમજ ન્યાયની આશામાં પોલીસ સ્ટેશને આવતા ફરિયાદી તથા આમ નગારિક નિરાશ ન થાય તેમજ નાગરિકોની સમસ્યાઓફરિયાદોમાં અલથાણ પોલીસ સ્ટેશન મદદરૂપ થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. આ લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલસંદીપ દેસાઈધારાસભ્ય સંગીતા પાટીલસુરત શહેર પોલીસ કમિશનર સહિત પોલીસ અધિકારીઓસામાજિક આગેવાનો  સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories