ભાવનગર: PM મોદીના યોજાનાર કાર્યક્રમ અંગે સમીક્ષા બેઠક યોજાય,જવાહર મેદાનમાં યોજાશે સભા

આગામી તારીખ 29 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગરની મુલાકાતે છે ત્યારે પી.એમ.ના કાર્યકરમણિ તૈયારી અંગે સમીક્ષા બેઠક યોજાય હતી

New Update
ભાવનગર: PM મોદીના યોજાનાર કાર્યક્રમ અંગે સમીક્ષા બેઠક યોજાય,જવાહર મેદાનમાં યોજાશે સભા

આગામી તારીખ 29 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગરની મુલાકાતે છે ત્યારે પી.એમ.ના કાર્યકરમણિ તૈયારી અંગે સમીક્ષા બેઠક યોજાય હતી.

આગામી તા. ૨૯ સપ્ટેમ્બરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગર આવી રહ્યા છે. કરોડો રૂપિયાના વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહુર્તના કામોને લઇ જયારે વડાપ્રધાન ભાવનગર આવી રહ્યા છે ત્યારે તેના આગમન અંગેની તડામાર તૈયારીઓને લઇ કલેકટર કચેરી ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની અધ્યક્ષતામાં ભાવનગર, બોટાદ અને અમરેલી જીલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ સાથે એક સંકલન બેઠક યોજાઇ હતી. જેમાં કિરીટસિંહ રાણા, જીતુ વાઘાણી સહિતના મંત્રીઓ ધારાસભ્યો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ તેઓ કાર્યક્રમ સ્થળ એવા જવાહર મેદાનની મુલાકાતે પહોચ્યા હતા અને તૈયારીઓ અંગે સમીક્ષા કરી હતી.

Read the Next Article

ભરૂચ: PM કિસાન સન્માન નિધિનો લાભ મેળવવા ફાર્મર રજીસ્ટ્રીની નોંધણી કરાવવી ફરજિયાત, ખેડૂતોને સત્વરે નોંધણી કરાવવા અનુરોધ

ભારત સરકાર દ્રારા ખેડૂત આઇડી (ફાર્મર રજીસ્ટ્રી)ની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે. ૨૦મો હપ્તો રિલીઝ થાય ત્યારે નોંધણી કરાવવાની બાકી હશે તેવા ખેડૂતો પીએમ કિસાન યોજનાના લાભથી વંચિત રહેશે

New Update
Farmer Registry
પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના આગામી એટલે કે, ૨૦માં હપ્તાનો લાભમેળવવા માટે ભારત સરકાર દ્રારા ખેડૂત આઇડી (ફાર્મર રજીસ્ટ્રી)ની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે. ૨૦મો હપ્તો રિલીઝ થાય ત્યારે નોંધણી કરાવવાની બાકી હશે તેવા ખેડૂતો પીએમ કિસાન યોજનાના લાભથી વંચિત રહેશે. પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો આગામી ૨૦મો હપ્તો ટૂંક સમયમાં રીલીઝ થનાર હોઈ સત્વરે નોંધણી કરાવવી આવશ્યક છે. એટલા માટે જ, બાકી રહી ગયેલા ખેડૂતો સત્વરે ફાર્મર રજીસ્ટ્રીમાં નોંધણી કરાવી શકે તે માટે અત્યારે ગ્રામ્ય કક્ષાએ ઝુંબેશ સ્વરુપે નોંધણી કરવામાં આવી રહી છે.
ખેડૂત લાભાર્થીઓએ સત્વરે નોંધણી કરાવવા માટે ગામના તલાટી કમ મંત્રી અથવા ગ્રામસેવકનો સંપર્ક કરવાનો રહેશે. આ ઉપરાંત ખેડૂતો જાતે ઘરેથી મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી પણ નોંધણી કરી શકે છે. કોમન સર્વિસ સેન્ટર (CSC) અથવા ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટર મારફતે પણ ખેડૂત નોંધણી કરાવી શકે છે.
Latest Stories