ભાવનગર : ખાનગી જમીનમાં ગેર’કાયદેસર ખોદકામ કરી માટી વહેંચી મારતા ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી...

જો તમે તમારી માલિકીની જમીનમાં પણ ખોદકામ કરી ગેરકાયદેસર માટી વહેંચશો તો પણ કાનૂની કાર્યવાહી થશે…

New Update
ભાવનગર : ખાનગી જમીનમાં ગેર’કાયદેસર ખોદકામ કરી માટી વહેંચી મારતા ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી...

ભાવનગર શહેરના સંસ્કાર મંડળ વિસ્તરમાં ખાનગી માલિકીની જમીનમાં ગેરકાયદેસર બેઝમેન્ટનું ખોદકામ કર્યા હોવાની બાતમી મળતા ખાણ ખનીજ વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જો તમે તમારી માલિકીની જમીનમાં પણ ખોદકામ કરી ગેરકાયદેસર માટી વહેંચશો તો પણ કાનૂની કાર્યવાહી થશે… આવો જ એક કિસ્સો ભાવનગર શહેરમાંથી સામે આવ્યો છે. ભાવનગર શહેરના સંસ્કાર મંડળ નજીક આવેલ ભાંગલી ગેટ પાસે એક માલિકીના પ્લોટમાં બેઝમેન્ટ માટે ખોદકામ કરીને બારોબાર માટી વહેંચી દેવામાં આવી હતી. જેની બાતમી મળતા ભાવનગર ખાણ ખનીજ વિભાગના અધિકરીઓ સ્થળ પર પહોંચ્યા હતા, અને ખાડાની માપણી કરી જરૂરી કાર્યવાહી હાથ હતી. જોકે, અધિકારીઓના જણાવ્યા અનુસાર, શહેરમાં કોઈ ખાનગી માલિકીની જગ્યામાં બેઝમેન્ટ બનાવવાની માંગ કરવામાં આવી હોય તેની પણ રોયલ્ટી ભરવી ફરજિયાત છે, ત્યારે અનુમતિ વગર જો કોઈ જગ્યાએ આવી રીતે કામગીરી કરવામાં આવે ત્યાં દરોડા પાડી જે તે વ્યક્તિ વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories