ભાવનગર : રથયાત્રા પૂર્વે પોલીસ દ્વારા બંદોબસ્તની ફાળવણી, ૩૦૦૦ જવાનો રહેશે તૈનાત

આગામી 12 જુલાઈ અષાઢી બીજના રોજ ભાવનગર શહેરમાં ભગવાન જગન્નાથજી, બલરામજી અને સુભદ્રાજી નગરચર્યાએ નીકળનાર છે.

New Update
ભાવનગર : રથયાત્રા પૂર્વે પોલીસ દ્વારા બંદોબસ્તની ફાળવણી, ૩૦૦૦ જવાનો રહેશે તૈનાત

દેશમાં ત્રીજા નંબરની અને રાજ્યમાં અમદાવાદ બાદ બીજા નંબરની ગણાતી ભાવનગરની ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે પોલીસ દ્વારા બંદોબસ્તની ફાળવણી કરવામાં આવી હતી.

આગામી 12 જુલાઈ અષાઢી બીજના રોજ ભાવનગર શહેરમાં ભગવાન જગન્નાથજી, બલરામજી અને સુભદ્રાજી નગરચર્યાએ નીકળનાર છે. કોરોના મહામારી વચ્ચે મર્યાદિત વાહનો અને લોકોની ઉપસ્થિતિમાં નીકળનારી આ રથયાત્રા 17 કિલોમીટર લાંબા રૂટ પર ફરશે. નિજ મંદિરે પહિન્દ અને છેડાપોરાની વિધિ પૂર્ણ કરી રથયાત્રા તેના નિયત માર્ગ પર નીકળશે. આ માર્ગ પર સવારે 7 થી 1 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે. જેથી લોકોને સોશિયલ મીડિયા કે ઇલેક્ટ્રિક મીડિયાના માધ્યમ દ્વારા દર્શનનો લાભ લેવા ભક્તોને અનુરોધ કરવામાં આવ્યો છે. શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા સંપન્ન થાય તે માટે ભાવનગરના એસ.પી. જયપાલસિંહ રાઠોડની દેખરેખ હેઠળ ભાવનગર પોલીસતંત્ર દ્વારા રથયાત્રા બંદોબસ્તમાં મસમોટો પોલીસ કાફલો તૈનાત રહેશે. નવાપરા પોલીસ અધિક્ષક કચેરી ખાતેથી પોલીસ અધિકારીઓ અને જવાનોને તેમના પોઈન્ટ ફાળવી દેવામાં આવ્યા છે. આશરે 3000 જેટલો પોલીસ કાફલો ખડેપગે તૈનાત રહેશે જેમાં એસપીના માર્ગદર્શન હેઠળ 5 એસઆરપી કંપનીના જવાનો, 16 ડીવાયએસપી, 44 પીઆઈ, 111 પીએસઆઇ, 1600 પોલીસ જવાન, 14 ઘોડેસવાર અને 1700 હોમગાર્ડના જવાનો ખડેપગે રહેશે.

Read the Next Article

ભરૂચ : દેવપોઢી અગિયારસનો ભાડભૂત માછીમાર સમાજમાં અનેરો મહિમા, નર્મદા મૈયાને દુગ્ધાભિષેક-ચુંદડી અર્પણ કરી માછીમારીનો પ્રારંભ કર્યો...

ભાડભૂતથી લગભગ 12 કિમી દૂર જ્યાં દરિયા અને નદીના પાણીનું સંગમ થાય છે અને ભાંભરું પાણી બને છે, ત્યાં આ વખતે હીંલસા માછલી વિશાળ પ્રમાણમાં જોવા મળી છે.

New Update
Devpodhi Ekadashi
  • દેવપોઢી અગિયારસનો માછીમાર સમાજમાં અનેરો મહિમા

  • માછીમાર સમાજ દ્વારા નર્મદા મૈયાને ચુંદડી અર્પણ કરાય

  • દરિયા દેવ-નર્મદા નદીના સંગમ સ્થાને દુગ્ધાભિષેક કરાયો

  • હર હર નર્મદેના નાદથી ભાડભૂતનું વાતાવરણ ગુંજી ઉઠ્યું

  • મોટી સંખ્યામાં માછી સમાજના આગેવાનો-સભ્યોની હાજરી

ભરૂચ જિલ્લાના ભાડભૂત ખાતે દેવપોઢી અગિયારસના પાવન દિવસે માછીમાર સમાજે નર્મદા મૈયાને ચુંદડી અર્પણ કરી દુગ્ધાભિષેક સાથે માછીમારીનો પ્રારંભ કર્યો હતો.

ભરૂચ શહેર તથા જિલ્લામાં દેવશયની એકાદશીના પાવન દિવસે માછીમાર સમાજે પરંપરાગત રીતે નર્મદા નદીમાં ચુંદડી અર્પણ કરી માછીમારીનો પ્રારંભ કર્યો હતો. આ સાથે જ નર્મદા મૈયાના એક કિનારાથી બીજા કિનારા સુધી દુગ્ધાભિષેક કરી માછીમારોએ નદી માતાને નમન કર્યું હતું. ભરૂચ જિલ્લાના ભાડભૂતથી લગભગ 12 કિમી દૂર જ્યાં દરિયા અને નદીના પાણીનું સંગમ થાય છે અને ભાંભરું પાણી બને છેત્યાં આ વખતે હીંલસા માછલી વિશાળ પ્રમાણમાં જોવા મળી છે.

દરિયામાંથી હીંલસા માછલી પ્રજનન માટે ભાંભરા પાણીમાં આવે છેઅને ચાલુ વર્ષે વરસાદ વહેલો પડતાં માછીમારો માટે આ પરિસ્થિતિ અત્યંત અનુકૂળ બની છે. આ વર્ષે 40 વર્ષ બાદ લાખો રૂપિયાની વધારાની હીંલસા માછલી પકડાઈ છેજેનાથી માછીમારોમાં ખુશીનો માહોલ છવાયો છે. દેવશયની એકાદશીએ લગભગ 1500થી વધુ બોટમાં માછીમારો દરિયામાં ઉતરી માછીમારી કરવા પ્રસ્થાન થયા હતા.